• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતના ફળોના એક હજાર કન્ટેનર ખાડી દેશોમાં ફસાયા, ખેડૂતોને ફટકો | One thousand containers of Indian f…

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતના ફળોના એક હજાર કન્ટેનર ખાડી દેશોમાં ફસાયા, ખેડૂતોને ફટકો | One thousand containers of Indian f…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

Load More


– ઇરાને હોર્મુઝ ખાડી બંધ કરતા સપ્તાહથી ભારે તંગદિલી 

– ભારતના હજારો ટન કેળા, દ્રાક્ષ, દાડમ, તરબુચ સપ્તાહથી ખાડી દેશોના પોર્ટો પર પડયા છે, ખેડૂતોએ સરકારની મદદ માગી

નવી દિલ્હી/દુબઇ : અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં ઇરાનના વડા અલી ખામેનેઇના મોતને પગલે ઇરાને આક્રામક રીતે વળતા પ્રહારો કર્યા છે. એટલુ જ નહીં સમુદ્રી વેપાર માટે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ ખાડીને ઇરાને બંધ કરી દીધી છે. જેથી ભારતનો વેપાર પણ અટકી પડયો છે. કૃષિ પ્રોડક્ટ્સના એક હજારથી વધુ કન્ટેનર દુબઇના જેબલ અલી પોર્ટ પર ફસાયેલા પડયા છે. છેલ્લા એક સપ્તાહથી વેપાર થંભી ગયો હોય તેવી સ્થિતિ છે, કૃષિ પેદાષોના કન્ટેનરો ફસાતા ભારતના ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 

જે પણ ભારતીય કન્ટેનરો ફસાયા છે તેમાં વિવિધ ફળો જેમ કે કેળા, દ્રાક્ષ, દાડમ, તરબુચ ઉપરાંત ડુંગળી સહિતના શાકભાજી પણ ફસાયેલા પડયા છે. આ તમામ વસ્તુઓ ભારતીય ખેડૂતો દ્વારા વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. હાલ ખાડી દેશોનો બધો વેપાર અટવાઇ ગયો હોવાથી ભારતને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે, ૨૮ ફેબુ્રઆરીથી આવી તમામ વસ્તુઓ અટવાયેલી હોવાથી હવે તે ખરાબ થવા લાગી છે. ખાડી દેશોમાં રમઝાન દરમિયાન ફળો, શાકભાજી વગેરેની માગણી વધુ હોય છે એવા સમયે આ કન્ટેનરો અટવાયેલા પડયા છે. જોકે ઇરાને હોર્મોઝની ખાડીમાંથી રશિયા અને ચીનના કન્ટેનરોની અવર જવર નથી અટકાવી તેથી તે દેશોને નુકસાનની શક્યતાઓ ઓછી છે. 

હાલમાં યુદ્ધને કારણે હજારો ટન ફળો પડયા છે જ્યારે હાલ જે ખેડૂતોએ પોતાના ફળો ખાસ કરીને દ્રાક્ષને પકવીને તૈયાર રાખી છે તેને વેચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને મોટું નુકસાન પણ થઇ શકે છે. ભારતના ખેડૂતોની નિકાસ જાણે થંભી ગઇ હોય તેવી સ્થિતિ છે, વિવિધ પોર્ટ પર આશરે પાંચથી છ હજાર ટન દ્રાક્ષ અટવાયેલી પડી છે. જ્યારે ૧૦ હજાર ટન જેટલી દ્રાક્ષ વિદેશ નિકાસના અભાવે ભારે નુકસાની સાથે વેચવી પડી શકે છે. મુંબઇના જવાહરલાલ નેહરુ પોર્ટ પરથી નિકાસ થનારી દ્રાક્ષના ૮૦ કન્ટેનરો ખાલી પડયા છે. ખેડૂતોએ આ પરિસ્થિતિને પહોંચી વળવા અને નુકસાન ભરપાઇ માટે સરકાર સમક્ષ મદદ માગી છે.

રમઝાનમાં ખજૂર, સફરજન, કીવીની આયાત અટવાઇ 

માત્ર નિકાસ જ નહીં આયાતને પણ નુકસાન થઇ રહ્યું છે, સફરજન, કીવી, ખડૂર જેવી ખાદ્ય વસ્તુઓના ૬૦૦થી ૭૦૦ કન્ટેનરો ઇરાનના ટાપુઓ પર અટવાયેલા પડયા છે. કીવીના કન્ટેનરનું મૂલ્ય ૩૦થી ૩૨ લાખ રૂપિયા જ્યારે ખજૂરનું મૂલ્ય ૪૫ લાખ રૂપિયા છે. કેન્દ્ર સરકારે આ વર્ષે ૨૦ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી હતી જોકે ઇરાને હોર્મુઝની ખાડી બંધ કરી દેતા અને યુદ્ધની સ્થિતિને જોતા ૨૦ લાખ ટન નહીં પણ પાંચ લાખ ટન ખાંડ જ માર્કેટ સુધી પહોંચી શકે તેમ છે.

હોર્મુઝ, ફારસ, ઓમાનની ખાડીમાં ભારતના 36 જહાજો રેસ્ક્યૂ કરવા ગુહાર

સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે હાલમાં પુરા વિસ્તારમાં પરિસ્થિતિ બહુ જ તંગદીલ છે, ખાસ કરીને હોર્મુઝ ખાડી, ફારસની ખાડી, ઓમાનની ખાડીને સૌથી વધુ જોખમકારક સમુદ્રી ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ભારતીય ઝંડાવાળા ૩૬ જહાજો હાજર છે, જેમાંથી ૨૪ જહાજ હોર્મુઝ ખાડીના પશ્ચિમમાં અને ૧૨ જહાજ પૂર્વી વિસ્તારમાં છે. સદનની ખાડીમાં પણ ત્રણ જહાજ ફસાયા છે. ભારતીય નાવિક સંગઠન ફોર્વર્ડ સીમેન યુનિયને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તે યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા નાવિકોને ભારતીય નેવીની સુરક્ષા પુરી પાડવામાં આવે. વિદેશ મંત્રાલય અને નેવી મળીને સંયુક્ત રીતે મદદ કરે.

ભારતીય ક્રૂવાળા જહાજો પર હુમલા વધ્યા, 23 હજાર ભારતીય નાવિકોના જીવ જોખમમાં 

દરમિયાન ઇરાન વોર ઝોનમાં ફસાયેલા ૨૩૦૦૦ ભારતીય નાવિકોંનો જીવ જોખમમાં મુકાયો છે, પશ્ચિમ એશિયાના સમુદ્રી વિસ્તારોમાં કામ કરી રહેલા આશરે ૨૩૦૦૦ ભારતીય નાવિકોએ મદદની ગુહાર લગાવી છે. છેલ્લા એક સપ્તાહમાં ભારતીય જહાજો અથવા ભારતીય ક્રૂવાળા જહાજો પર અનેક હુમલા થઇ ચુક્યા છે. 

ત્રણ ભારતીય નાવિકો માર્યા ગયા છે. 

આ સ્થિતિ વચ્ચે નાવિક યુનિયનોંના પ્રતિનિધિઓએ મુંબઇમાં અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ભારતીય નાવિકોને તાત્કાલીક મદદ પહોંચાડીને બહાર કાઢવાની કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી હતી. પાંચ માર્ચના રોજ સોનાંગોલ નામીબે નામના જહાજ પર ગોળીબાર થયો હતો જેમાં દસ ભારતીય નાવિકો સવાર હતા.

Next Post
સોનામાં ઝડપી ઘટાડો: દુબઈમાં માલભરાવા વચ્ચે સોનામાં 30 ડોલર ડિસ્કાઉન્ટ બોલાયા | Rapid decline in gold…

સોનામાં ઝડપી ઘટાડો: દુબઈમાં માલભરાવા વચ્ચે સોનામાં 30 ડોલર ડિસ્કાઉન્ટ બોલાયા | Rapid decline in gold...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

Recent News

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …
GUJARAT

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad …

Ahmedabad Danilimda fraud case: અમદાવાદ શહેરના દાણીલીમડામાં આવેલી કબાડી માર્કેટમાં ઓટોમોબાઈલ સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ માલ-સામાન...

Read more

ગુજરાતમાં ડ્રગ્સના કેસમાં બેદરકારી દાખવનાર PI-PSI સીધા સસ્પેન્ડ થશે, લોકલ પોલીસ સ્ટેશનોની જવાબદારી ન…

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ…

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In