• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા કોર્પોરેશનની વેરા વસુલાત ઝુંબેશ : રૂ.1.96 કરોડની બાકી વેરા અંગે મકરપુરા એસ.ટી. ડેપો સીલ | Vad…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા કોર્પોરેશનની વેરા વસુલાત ઝુંબેશ : રૂ.1.96 કરોડની બાકી વેરા અંગે મકરપુરા એસ.ટી. ડેપો સીલ | Vad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યાત્રાધામ શામળાજીના ભક્તો માટે રેલવેનો મહત્ત્વનો નિર્ણય: હવે ‘વંદે ભારત’ ટ્રેન શામળાજી સ્ટેશને ઊભી ર…

યાત્રાધામ શામળાજીના ભક્તો માટે રેલવેનો મહત્ત્વનો નિર્ણય: હવે ‘વંદે ભારત’ ટ્રેન શામળાજી સ્ટેશને ઊભી ર…

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!…

છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!…

Load More


Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ ઉઘરાવતા વિવિધ વેરા પૈકી છેલ્લા કેટલાય વખતથી રૂ.1.96 કરોડથી વધુ બાકી વેરો પડતો હોવાના કારણે પાલિકાની એક્શનમાં આવેલી રેવન્યુ વિભાગ ટીમે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ (જીએસઆરટીસી) સંચાલિત મકરપુરા એસટી ડેપોને સીલ મારી દેવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પેસેન્જર સહિત એસટી બસ પાસવાળા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પાલિકાના રેવન્યુ વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરીમાં માત્ર એક જ એન્ટ્રીગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જ્યારે બાકીના તમામ રૂમો સહિત બુકિંગ કાઉન્ટર, એસટી બસ પાસ કાઉન્ટર સહિતના તમામ રૂમો સીલ કરી દેવાતા સમગ્ર ડેપોમાં આવન જાવન કરતી બસો ક્યાંય નહિ દેખાતી હોવાના કારણે બસ ડેપો માત્ર કેટલાક પેસેન્જર બહાર ખુલ્લામાં નજરે પડવા સિવાય સમગ્ર ડેપો સૂમસામ દેખાઈ રહ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડે આવેલા મકરપુરા એસટી ડેપોની મિલકતને પાલિકાના રેવન્યુ વિભાગની છેલ્લા કેટલાય વખતથી વેરો ભરવામાં આવતો ન હતો. પરિણામે પાલિકાના વેરાની કુલ રકમ વધીને 1,96,05,784 રૂપિયા જેવી મસ મોટી રકમ બાકી પડતી હતી. આ અંગે પાલિકા દ્વારા સમયાંતરે નિયત બાકી રકમ અંગે ઉઘરાણી કરીને નોટિસો પણ આપવામાં આવતી હતી આમ છતાં પણ જીએસઆરટીસી (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ) દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હતી.

 જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રના રેવન્યુ વિભાગ વેરા અંગે એક્શન મોડમાં આવી ગયું હતું. જેમાં એક કરોડથી વધુ વેરાની રકમ બાકી હોય તેવા બાકીદારો સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી. જેમાં મકરપુરા એસટી ડેપોના વેરાના રૂપિયા 1,96,05,784 બાકી હોવાથી તાત્કાલિક ધોરણે મકરપુરા એસટી ડેપોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા રેવન્યુ વિભાગની ટીમ મકરપુરા એસટી ડેપો ખાતે બાકી વેરાની ઉઘરાણી અંગે પહોંચી હતી પરંતુ કોઈ ચોક્કસ જવાબ મળતો ન હતો. પરિણામે પાલિકાની રેવન્યુ વિભાગની ટીમે મકરપુરા એસટી ડેપોને સીલ મારવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે શરૂ કરી હતી. પરંતુ મુસાફરોની આવન જાવન માટે માત્ર એક જ એન્ટ્રીગેટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો આ સિવાય મકરપુરા ડેપોના તમામ રૂમને સીલ કરી દેવાયા હતા. એસટી ડેપોનો સીસીટીવી રૂમ પણ રેવન્યુ વિભાગ એ સીલ કરી દીધો હતો. જ્યારે બીજી બાજુ એસટી ડેપોમાં આ કારણે એસટી બસોની આવન જાવન તદ્દન ઓછી થઈ ગઈ હતી જેથી સમગ્ર એસટી ડેપો સુમસામ જણાતો હતો. માત્ર કેટલાક મુસાફરો કે જેમને આ બાબતની જાણકારી ન હતી તેવા ગણતરીના મુસાફરો જ ડેપોની બહારના પેસેજમાં એસટી બસની રાહ જોતા ફરી રહ્યા હતા. 

સૌથી મજાની વાત તો એ છે કે એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને એસટી ભાડામાં રાહત અંગે આપવામાં આવતા એસટી બસ સ્ટેશન પાસની છેલ્લી તારીખ હોવાથી પાંચ રીન્યુ કરાવવા આવનારાઓ પણ એસટી બસ પાસ રૂમને કરાયેલું સીલ જોઈને હતાશ થયા હતા. હવે છેલ્લી તારીખ હોવાથી એસટી બસનો પાસ કઢાવવા માટે મૂંઝવણમાં મુકાયા હતા. આવી જ રીતે એસટી બસ માટે રિઝર્વેશન કાઉન્ટર સહિત પાર્સલ રૂમ પણ સીલ કરી દેવા હતા માલ સામાનનું પાર્સલ કરવા આવનાર અને આવેલા પાર્સલની ડીલેવરી લેવા આવનારા પણ વીલા મોઢે પરત જતા જોવા મળ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે પાલીકાના બાકી વેરા અંગે ગુજરાત  સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ક્યારે ભરતા પેસેન્જરો અને એસટી બસ પાસવાળા, બુકિંગ કરાવવા આવનાર પેસેન્જર તથા પાર્સલ વિભાગ ક્યારે શરૂ થાય છે એ જોવું રહ્યું. 

હવે, વેરાની 1 કરોડ કે તેથી ઓછા બાકીદારો માટે વિવિધ સ્કીમો કરાશે 

વડોદરા મહાનગરપાલિકાના બાકી વેરા અંગે એક્શનમાં આવેલા રેવન્યુ વિભાગ દ્વારા પ્રાથમિક તબક્કે સૌથી વધુ વેરા બાકી રૂપિયા એક કરોડ કે તેથી વધુ વેરાની રકમ બાકી હોય એવા સામે તાત્કાલિક ધોરણે જે તે પ્રોપર્ટીને સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં પાલિકાના વેરાની કુલ રૂપિયા 1,96,05,784 બાકી પડતા હોવાથી મકરપુરા એસટી ડેપોના તમામ રૂમોને સીલ કરી દેવામાં આવ્યા હતા. 

પાલિકાના રેવન્યુ વિભાગ દ્વારા હવે રૂપિયા 50 લાખથી 1 કરોડ સુધીના વેરાની બાકી પડતી રકમ અંગે રેવન્યુ વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે. ત્યારબાદ રૂપિયા 25 લાખથી 50 લાખ વેરા બાકી દારૂ સામે કાર્યવાહી કરાશે. અને સૌથી છેલ્લા રૂપિયા 25 લાખથી 1 લાખ સુધીના બાકીદારો સામે કાર્યવાહી કરાશે. આવા બાકીદારો માટે અલગથી વ્યવસ્થા કરીને પાલિકામાં અલગ કાઉન્ટર કરાશે. જ્યાં આવા પાટીદારોને વ્યાજ માફી આપી શકાય એવો કોઈ કાર્યક્રમ પાલિકા દ્વારા નક્કી કરાશે તેમ જાણવા મળ્યું હતું.

Next Post
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની ધમકી | Jamnagar youth threatened to death girlf…

જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની ધમકી | Jamnagar youth threatened to death girlf...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

યાત્રાધામ શામળાજીના ભક્તો માટે રેલવેનો મહત્ત્વનો નિર્ણય: હવે ‘વંદે ભારત’ ટ્રેન શામળાજી સ્ટેશને ઊભી ર…

યાત્રાધામ શામળાજીના ભક્તો માટે રેલવેનો મહત્ત્વનો નિર્ણય: હવે ‘વંદે ભારત’ ટ્રેન શામળાજી સ્ટેશને ઊભી ર…

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!…

છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!…

અમદાવાદમાં બુટલગેરનો પૌત્ર ફરી વિવાદમાં: ખાનગી કોલેજ બહાર રિવોલ્વર બતાવીને વિદ્યાર્થીઓને ધમકાવ્યા, ક…

અમદાવાદમાં બુટલગેરનો પૌત્ર ફરી વિવાદમાં: ખાનગી કોલેજ બહાર રિવોલ્વર બતાવીને વિદ્યાર્થીઓને ધમકાવ્યા, ક…

Recent News

યાત્રાધામ શામળાજીના ભક્તો માટે રેલવેનો મહત્ત્વનો નિર્ણય: હવે ‘વંદે ભારત’ ટ્રેન શામળાજી સ્ટેશને ઊભી ર…

યાત્રાધામ શામળાજીના ભક્તો માટે રેલવેનો મહત્ત્વનો નિર્ણય: હવે ‘વંદે ભારત’ ટ્રેન શામળાજી સ્ટેશને ઊભી ર…

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!…

છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!…

અમદાવાદમાં બુટલગેરનો પૌત્ર ફરી વિવાદમાં: ખાનગી કોલેજ બહાર રિવોલ્વર બતાવીને વિદ્યાર્થીઓને ધમકાવ્યા, ક…

અમદાવાદમાં બુટલગેરનો પૌત્ર ફરી વિવાદમાં: ખાનગી કોલેજ બહાર રિવોલ્વર બતાવીને વિદ્યાર્થીઓને ધમકાવ્યા, ક…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
યાત્રાધામ શામળાજીના ભક્તો માટે રેલવેનો મહત્ત્વનો નિર્ણય: હવે ‘વંદે ભારત’ ટ્રેન શામળાજી સ્ટેશને ઊભી ર…
GUJARAT

યાત્રાધામ શામળાજીના ભક્તો માટે રેલવેનો મહત્ત્વનો નિર્ણય: હવે ‘વંદે ભારત’ ટ્રેન શામળાજી સ્ટેશને ઊભી ર…

Vande Bharat train will stop at Shamlaji station: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના ભક્તો અને અરવલ્લી જિલ્લાના રહેવાસીઓ માટે રેલવે વિભાગ...

Read more

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ | Sardar Patel statue unveiled under Dakor flyov…

છોટા ઉદેપુરમાં ₹5 કરોડનું ઓડિટોરિયમ ધૂળ ખાય છે, કામ પૂર્ણ થયાના 6 મહિના બાદ પણ ઉદ્ઘાટનના ઠેકાણા નથી!…

અમદાવાદમાં બુટલગેરનો પૌત્ર ફરી વિવાદમાં: ખાનગી કોલેજ બહાર રિવોલ્વર બતાવીને વિદ્યાર્થીઓને ધમકાવ્યા, ક…

યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ સૌથી મોટો લાભ થયો રશિયાને! ચીનને અબજો ડોલરનું નુકસાન | Russia Gains From Mi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In