![]()
અમદાવાદ, બુધવાર
વટવામાં દહેજના દૂષણના કારણે લગ્નના છ મહિનામાં મહિલાએ સાસરીયાના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો. જેમાં લગ્નના પંદર દિવસમાં ઘરકામ તથા જમવાનું બનાવતા આવડતું નથી અને દહેજ તથા ટું વ્હીલર માટે દબાણ કરીને સાસરીયાના લોકો માનસિક શારિરીક ત્રાસ આપતા હતા. આ બનાવ અંગે વટવા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.
મારી માતા કહે તેટલું કરવાનું કહી પતિ મારઝૂડ કરતો ઃ કંટાળી મહિલાનો સાસરીમાં ગળાફાસો ખાઇ આપઘાત ઃ વટવા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ
રખિયાલ વિસ્તારમાં રહેતા આધેડે વટવા પોલીસ સ્ટશનમાં વટવા ખાતે રહેતા યુવક સહિત પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની ૨૨ વર્ષની ભાણીના લગ્ન તા. ૦૮-૦૯-૨૫ના રોજ સમાજના રિતી રિવાજ મુજબ કર્યો હતા. લગ્નના પંદર દિવસ પછી સાસરિયા દ્વારા ઘરકામ તથા જમવાનું બનાવતા આવડતું નથી અને દહેજ તથા ટું વ્હીલર માટે દબાણ કરીને સાસરીયાના લોકો માનસિક શારિરીક ત્રાસ આપતા હતા.
મહિલા પતિના વાત કરી તો તેઓએ માતા કહે તેમ કરવાનું કહીને મારઝૂડ કરતા હતા. જેના કારણે કંટાળીને મહિલાએ પોતાની સાસરીમાં ગઇકાલે મોડી રાતે ફાંસોખાઇને આત્મહત્યા કરી હતી. આ ઘટના અંગે વટવા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.















