India Condemns Pakistan’s Airstrike on Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી એક હોસ્પિટલ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા એર સ્ટ્રાઈકની ભારતે આકરી ટીકા કરી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે(MEA) આ હુમલાને ‘બર્બર’ અને ‘કાયરતાપૂર્ણ’ હિંસક કૃત્ય ગણાવ્યું છે. કાબુલના ઓમિદ નશામુક્તિ કેન્દ્ર પર થયેલા આ હુમલામાં કથિત રીતે 400 લોકોના મોત થયા છે અને 250 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જે બાદ ભારતે પાકિસ્તાનના આ આક્રમક વલણ સામે આકરા પ્રહાર કર્યા છે.
ભારતનો પાકિસ્તાન પર પ્રહાર
ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હોસ્પિટલ જેવી સંસ્થા, ‘જેનો ઉપયોગ ક્યારેય સૈન્ય લક્ષ્ય તરીકે ન થઈ શકે, ત્યાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા તે ઘોર અમાનવીયતા છે. પાકિસ્તાન આ નરસંહારને સૈન્ય અભિયાનનું નામ આપીને બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર હુમલો અને પ્રાદેશિક શાંતિ માટે મોટું જોખમ છે.’
આંતરિક નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ
પાકિસ્તાનના વલણની આકરી ટીકા કરતા ભારતે જણાવ્યું કે, આ હુમલો ઇસ્લામાબાદની પોતાની આંતરિક નિષ્ફળતાઓ પરથી ધ્યાન ભટકાવવાનો અને તેના ‘બિનજવાબદાર વર્તન’નો પુરાવો છે. શાંતિ અને કરુણાના પ્રતીક સમાન પવિત્ર રમઝાન માસમાં કરવામાં આવેલો આ હુમલો અત્યંત આઘાતજનક અને નિંદનીય છે. ભારતનું માનવું છે કે કોઈ પણ ધર્મ, નૈતિક મૂલ્યો કે આંતરરાષ્ટ્રીય કાયદો હોસ્પિટલના લાચાર દર્દીઓને નિશાન બનાવવાની પરવાનગી આપતા નથી. આ ઘટના પાકિસ્તાનની સરહદ પાર ફેલાઈ રહેલી હિંસક માનસિકતાને છતી કરે છે.
આ પણ વાંચો: ઘરમાં એક સમયે કેટલા ગેસ સિલિન્ડર રાખી શકાય? નિયમો તોડનારાને ખાવી પડશે જેલની હવા
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને ખાસ અપીલ કરી છે કે આ ‘ગુનાહિત કૃત્ય’ માટે જવાબદારોને સજા અપાવવામાં આવે. ભારતે વિશ્વ સમક્ષ એવી પણ માગ કરી છે કે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં નાગરિકોને આડેધડ નિશાન બનાવવાની પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને સોમવારે આખી રાત કાબુલ અને નંગરહારમાં એરસ્ટ્રાઈક કરી હતી, જે તેના ઓપરેશન ‘ગજબ-લિલ-હક'(ઇન્સાફ માટે ગુસ્સો)નો ભાગ હોવાનું કહેવાય છે. ભારત શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે, ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. આ દુ:ખદ ક્ષણમાં ભારત અફઘાનિસ્તાનના લોકો સાથે ઉભું છે. અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને અમારું સમર્થન રહેશે.
હોસ્પિટલ પર એરસ્ટ્રાઈકમાં 400ના મોત
એક તરફ ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં બીજી તરફ ભારતના પડોશમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન વારંવાર અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કરી રહ્યું છે. એવામાં હવે અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાને કાબુલમાં એક હોસ્પિટલ સહિત રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના આ હુમલામાં 400 લોકોના મોત થયા છે. જ્યારે 250થી વધુ ઈજાગ્રસ્ત છે. આ ઘટના બાદ તાલિબાને સ્પષ્ટ કરી દીધું છે કે હવે પાકિસ્તાન સાથે વાતચીત કે કૂટનીતિનો સમય પૂરો થઈ ગયો છે, હવે માત્ર બદલો લેવામાં આવશે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું છે કે, ઈસ્લામાબાદ સાથે કૂટનીતિના દરવાજા હવે કાયમ માટે બંધ થઈ ગયા છે. પાકિસ્તાને જે ગુનો કર્યો છે, તેની સજા ભોગવવી જ પડશે. અમે પાકિસ્તાન પાસેથી ગણી-ગણીને વેર વસૂલ કરીશું.
માત્ર સૈન્ય ઠેકાણા પર હુમલા કર્યા: પાકિસ્તાનનો દાવો
અફઘાનિસ્તાનના આરોગ્ય વિભાગના પ્રવક્તા શરાફત ઝમાને જણાવ્યું કે કાબુલમાં નશામુક્તિ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતી એક હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં અનેક નિર્દોષોના જીવ ગયા છે. જોકે બીજી તરફ પાકિસ્તાનનો દાવો જુદો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ અફઘાનિસ્તાનના આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. પાકિસ્તાને કહ્યું છે કે હુમલા અત્યંત સચોટ હતા અને માત્ર સૈન્ય ઠેકાણાઓ તથા ‘આતંકવાદી’ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જ નિશાન બનાવવામાં આવ્યા હતા, કોઈ પણ એવી જગ્યાને ટાર્ગેટ કરવામાં આવી નથી જ્યાં સામાન્ય લોકો રહેતા હોય.
ફેબ્રુઆરીના અંતથી જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ
નોંધનીય છે કે પાકિસ્તાન એવો આરોપ લગાવતું રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં હાજર અલગ-અલગ ઉગ્રવાદી સંગઠનો તેના દેશમાં હુમલા કરે છે. બીજી બાજુ, તાલિબાન સરકાર આ આરોપોનો ઈનકાર કરતી આવી છે. જે બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે દરરોજ સૈન્ય સંઘર્ષ થઈ રહ્યો છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આગ્રહ કર્યો છે જેથી વિસ્તારમાં સ્થિરતા જળવાઈ રહે. ફેબ્રુઆરીના અંતથી બંને દેશો વચ્ચે હુમલા તેજ થયા છે અને આ અથડામણ હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે.
India Condemns Pakistan’s Airstrike on Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલી એક હોસ્પિટલ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા એર સ્ટ્રાઈકની ભારતે આકરી ટીકા કરી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે(MEA) આ હુમલાને ‘બર્બર’ અને ‘કાયરતાપૂર્ણ’ હિંસક કૃત્ય ગણાવ્યું છે. કાબુલના ઓમિદ નશામુક્તિ કેન્દ્ર પર થયેલા આ હુમલામાં કથિત રીતે 400 લોકોના મોત થયા છે અને 250 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જે બાદ ભારતે પાકિસ્તાનના આ આક્રમક વલણ સામે આકરા પ્રહાર કર્યા છે.
ભારતનો પાકિસ્તાન પર પ્રહાર
ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હોસ્પિટલ જેવી સંસ્થા, ‘જેનો ઉપયોગ ક્યારેય સૈન્ય લક્ષ્ય તરીકે ન થઈ શકે, ત્યાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા તે ઘોર અમાનવીયતા છે. પાકિસ્તાન આ નરસંહારને સૈન્ય અભિયાનનું નામ આપીને બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે અફઘાનિસ્તાનની સંપ્રભુતા પર હુમલો અને પ્રાદેશિક શાંતિ માટે મોટું જોખમ છે.’
આંતરિક નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ
પાકિસ્તાનના વલણની આકરી ટીકા કરતા ભારતે જણાવ્યું કે, આ હુમલો ઇસ્લામાબાદની પોતાની આંતરિક નિષ્ફળતાઓ પરથી ધ્યાન ભટકાવવાનો અને તેના ‘બિનજવાબદાર વર્તન’નો પુરાવો છે. શાંતિ અને કરુણાના પ્રતીક સમાન પવિત્ર રમઝાન માસમાં કરવામાં આવેલો આ હુમલો અત્યંત આઘાતજનક અને નિંદનીય છે. ભારતનું માનવું છે કે કોઈ પણ ધર્મ, નૈતિક મૂલ્યો કે આંતરરાષ્ટ્રીય કાયદો હોસ્પિટલના લાચાર દર્દીઓને નિશાન બનાવવાની પરવાનગી આપતા નથી. આ ઘટના પાકિસ્તાનની સરહદ પાર ફેલાઈ રહેલી હિંસક માનસિકતાને છતી કરે છે.
આ પણ વાંચો: ઘરમાં એક સમયે કેટલા ગેસ સિલિન્ડર રાખી શકાય? નિયમો તોડનારાને ખાવી પડશે જેલની હવા
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને ખાસ અપીલ કરી છે કે આ ‘ગુનાહિત કૃત્ય’ માટે જવાબદારોને સજા અપાવવામાં આવે. ભારતે વિશ્વ સમક્ષ એવી પણ માગ કરી છે કે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં નાગરિકોને આડેધડ નિશાન બનાવવાની પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને સોમવારે આખી રાત કાબુલ અને નંગરહારમાં એરસ્ટ્રાઈક કરી હતી, જે તેના ઓપરેશન ‘ગજબ-લિલ-હક'(ઇન્સાફ માટે ગુસ્સો)નો ભાગ હોવાનું કહેવાય છે. ભારત શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે, ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. આ દુ:ખદ ક્ષણમાં ભારત અફઘાનિસ્તાનના લોકો સાથે ઉભું છે. અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને અમારું સમર્થન રહેશે.
હોસ્પિટલ પર એરસ્ટ્રાઈકમાં 400ના મોત
એક તરફ ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં બીજી તરફ ભારતના પડોશમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન વારંવાર અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કરી રહ્યું છે. એવામાં હવે અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાને કાબુલમાં એક હોસ્પિટલ સહિત રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના આ હુમલામાં 400 લોકોના મોત થયા છે. જ્યારે 250થી વધુ ઈજાગ્રસ્ત છે. આ ઘટના બાદ તાલિબાને સ્પષ્ટ કરી દીધું છે કે હવે પાકિસ્તાન સાથે વાતચીત કે કૂટનીતિનો સમય પૂરો થઈ ગયો છે, હવે માત્ર બદલો લેવામાં આવશે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કહ્યું છે કે, ઈસ્લામાબાદ સાથે કૂટનીતિના દરવાજા હવે કાયમ માટે બંધ થઈ ગયા છે. પાકિસ્તાને જે ગુનો કર્યો છે, તેની સજા ભોગવવી જ પડશે. અમે પાકિસ્તાન પાસેથી ગણી-ગણીને વેર વસૂલ કરીશું.
માત્ર સૈન્ય ઠેકાણા પર હુમલા કર્યા: પાકિસ્તાનનો દાવો
અફઘાનિસ્તાનના આરોગ્ય વિભાગના પ્રવક્તા શરાફત ઝમાને જણાવ્યું કે કાબુલમાં નશામુક્તિ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતી એક હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં અનેક નિર્દોષોના જીવ ગયા છે. જોકે બીજી તરફ પાકિસ્તાનનો દાવો જુદો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ અફઘાનિસ્તાનના આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. પાકિસ્તાને કહ્યું છે કે હુમલા અત્યંત સચોટ હતા અને માત્ર સૈન્ય ઠેકાણાઓ તથા ‘આતંકવાદી’ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને જ નિશાન બનાવવામાં આવ્યા હતા, કોઈ પણ એવી જગ્યાને ટાર્ગેટ કરવામાં આવી નથી જ્યાં સામાન્ય લોકો રહેતા હોય.
ફેબ્રુઆરીના અંતથી જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ
નોંધનીય છે કે પાકિસ્તાન એવો આરોપ લગાવતું રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં હાજર અલગ-અલગ ઉગ્રવાદી સંગઠનો તેના દેશમાં હુમલા કરે છે. બીજી બાજુ, તાલિબાન સરકાર આ આરોપોનો ઈનકાર કરતી આવી છે. જે બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે દરરોજ સૈન્ય સંઘર્ષ થઈ રહ્યો છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અફઘાનિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આગ્રહ કર્યો છે જેથી વિસ્તારમાં સ્થિરતા જળવાઈ રહે. ફેબ્રુઆરીના અંતથી બંને દેશો વચ્ચે હુમલા તેજ થયા છે અને આ અથડામણ હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે.
















