• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

’10 થી 15 પોલીસવાળાની લાશો પડશે…’, એવી ધમકી આપનારા કુંદન ઠાકુરનું એન્કાઉન્ટર | kundan thakur and p…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
’10 થી 15 પોલીસવાળાની લાશો પડશે…’, એવી ધમકી આપનારા કુંદન ઠાકુરનું એન્કાઉન્ટર | kundan thakur and p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી | Maharashtr…

બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી | Maharashtr…

‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…

‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

Load More


Kundan Thakur Encounter: બિહારના મોતિહારીમાં મંગળવારે વહેલી સવારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને પોલીસને પડકાર આપનાર કુખ્યાત ગુનેગાર કુંદન ઠાકુર વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ ઘટના ચકિયા પોલીસ સ્ટેશન વિસ્તાર રામડીહા ગામમાં બની હતી. ગોળીબારમાં બે ગુનેગારો માર્યા ગયા છે. બીજી તરફ STFનો એક જવાન પણ શહીદ થઈ ગયો છે. આ એન્કાઉન્ટરમાં બે ગુનેગારોને ઠાર કરી દેવામાં આવ્યા છે જેમાં કુંદન ઠાકુર અને પ્રિયાંશુ દુબે સામેલ છે. STF જવાનનું નામ શ્રીરામ યાદવ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 

10 થી 15 પોલીસવાળાની લાશો પડશે

આ ઘટના ફક્ત એક એન્કાઉન્ટર નહોતી, પરંતુ તે પહેલાની કહાની ઘણી ખતરનાક અને ચોંકાવનારી છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત ગુનેગાર કુંદન ઠાકુરનું એક ઓડિયો રેકોર્ડિંગ હવે સામે આવ્યું છે, જેણે પોલીસ અને જનતા બંનેને ચોંકાવી દીધા છે. આ ઓડિયોમાં કુંદન ઠાકુર જે બેખોફ અંદાજમાં પોલીસને ધમકી આપતો સંભળાય રહ્યો છે તે દર્શાવે છે કે તેનું મનોબળ કેટલું ઊંચું થઈ ગયું હતું. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઓડિયો એન્કાઉન્ટરના બે દિવસ પહેલાનો છે, જેમાં કુંદન ઠાકુરે ચકિયાના એડિશનલ સ્ટેશન હાઉસ ઓફિસરને ફોન કરીને સીધો પડકાર ફેંક્યો હતો. તેણે કહ્યું કે, તમે જ્યાં ઇચ્છો ત્યાં સમય અને સ્થળ નક્કી કરો, હું ત્યાં અગાઉથી પહોંચી જઈશ. 10 થી 15 પોલીસવાળાની લાશો પડશે અને તમે મને પકડી પણ નહીં શકશો.

આટલું જ નહીં તેણે પોલીસ પર તેના પરિવારને હેરાન કરવાનો આરોપ લગાવતા અહીં સુધી કહી દીધું હતું કે, ‘જો મારા પરિવારને તંગ કર્યો, તો હું પણ તમારા પરિવારને છોડીશ નહીં.’ વાતચીત દરમિયાન તેના અવાજમાં ન તો ડર હતો ન તો ખચકાટ, પરંતુ તે એક ખુલ્લો પડકાર હતો. ઓડિયોમાં કુંદન ઠાકુર વારંવાર કહી રહ્યો હતો કે, ‘હું ભાગવા વાળો નથી. જો એન્કાઉન્ટર થશે તો અમે ભાગીશું નહીં, પરંતુ સામેથી તેનો સામનો કરીશું. જ્યારે પોલીસે પૂછ્યું કે, શું તું ધમકી આપી રહ્યો છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે હું ધમકી નથી આપી રહ્યો, સલાહ આપી રહ્યો છે.’

આ પણ વાંચો: ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, એક જ પરિવારના 6ના મોત

પોલીસના રડાર પર હતો કુંદન ઠાકુર

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુંદન ઠાકુર ઘણા સમયથી પોલીસના રડાર પર હતો. તેની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. આ વચ્ચે જ પોલીસને તેના ઠેકાણા વિશે વિશ્વસનીય માહિતી મળી, ત્યારબાદ મોડી રાત્રે એક સ્પેશિયલ ટીમે વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ હાજર ગુનેગારોએ ચેતવણી આપ્યા વિના ગોળીબાર શરૂ કરી દીધો. અચાનક થયેલા ગોળીબારમાં STFનો એક જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમાચારથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. પોતાના સાથીદારને ગુમાવ્યા બાદ પણ પોલીસ ટીમે પીછે હઠ ના કરી. સ્વબચાવમાં  જવાબી કાર્યવાહી કરતા પોલીસે પણ ગોળીબાર કર્યો, જેમાં કુંદન ઠાકુર સહિત બે ગુનેગારો ઘટના સ્થળ પર જ માર્યા ગયા. થોડા સમય માટે આખો વિસ્તાર ગોળીબારના અવાજથી ગુંજતો રહ્યો.

પોલીસને સતત આપી રહ્યો હતો ધમકી

પૂર્વ ચંપારણના પોલીસ અધિક્ષક (એસપી) સ્વર્ણ પ્રભાતે જણાવ્યું કે, ‘કુંદન ઠાકુર પોલીસને સતત ધમકી આપી રહ્યો હતો અને ઘણા દિવસોથી તેને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. પોલીસે તેના ઠેકાણાને ઘેરી લેતાની સાથે જ ગુનેગારોએ હુમલો કરી દીધો, જેના કારણે જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી. આ કાર્યવાહી દરમિયાન જે મકાનમાં ગુનેગારો છુપાયેલા હતા તે મકાનના માલિક ઉજ્જવલ કુમાર અને તેના પિતાની ધરપકડ કરવામાં આવી છે. ગુનેગારોને કેવી રીતે આશ્રય આપવામાં આવી રહ્યો હતો તે જાણવા માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટના બાદ વિસ્તારમાં ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. દરેક મુલાકાતીઓ પર નજર રાખવામાં આવી રહી છે, અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.’

Next Post
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેના પાટા ઓળંગી રહેલા શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરુણ…

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેના પાટા ઓળંગી રહેલા શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરુણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી | Maharashtr…

બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી | Maharashtr…

‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…

‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

ગોધરા: ધાર્મિક સ્થાનોને પણ ગેસની તંગીની અસર, મહાપ્રભુજી બેઠક મંદિરમાં ભક્તોને અપાતું ભોજન અને મનોરથ …

ગોધરા: ધાર્મિક સ્થાનોને પણ ગેસની તંગીની અસર, મહાપ્રભુજી બેઠક મંદિરમાં ભક્તોને અપાતું ભોજન અને મનોરથ …

Recent News

બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી | Maharashtr…

બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી | Maharashtr…

‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…

‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

ગોધરા: ધાર્મિક સ્થાનોને પણ ગેસની તંગીની અસર, મહાપ્રભુજી બેઠક મંદિરમાં ભક્તોને અપાતું ભોજન અને મનોરથ …

ગોધરા: ધાર્મિક સ્થાનોને પણ ગેસની તંગીની અસર, મહાપ્રભુજી બેઠક મંદિરમાં ભક્તોને અપાતું ભોજન અને મનોરથ …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી | Maharashtr…
GUJARAT

બહુચરાજી સ્મશાનમાં દસપિંડ વિધિની જગ્યાનું કામ અટકતા મહારાષ્ટ્રીયન સમાજની આંદોલનની ચીમકી | Maharashtr…

Vadodara : વડોદરાના બહુચરાજી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજ માટે ફાળવેલી ‘દસપિંડ’ વિધિની જગ્યાનું કામ છેલ્લા ત્રણ વર્ષથી અટકેલું હોવાથી સામાજિક કાર્યકર...

Read more

‘અમારી દીકરી પરત આપો…’, ચૌધરી સમાજનું મહા સંમેલન, પ્રેમ લગ્નને લઈને સર્જાયો વિવાદ | Chaudhary Comm…

… તો નીતિશે બિહારના નવા CM ફાઈનલ કરી દીધા? ભાજપ નેતાના ખભે હાથ મૂકી કહ્યું- હવે આ લોકો જ કરશે કામ …

ગોધરા: ધાર્મિક સ્થાનોને પણ ગેસની તંગીની અસર, મહાપ્રભુજી બેઠક મંદિરમાં ભક્તોને અપાતું ભોજન અને મનોરથ …

અમદાવાદના કાલુપુરના રેવડી બજારમાં ભીષણ આગ, 30 દુકાનો ખાખ, ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે | Ahmeda…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In