![]()
Pradeep Guruji Fake Note Scandal: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે થોડાક દિવસ પહેલા અમદાવાદમાંથી કરોડો રૂપિયાની 500-500ની નકલી નોટો સુરતથી વટાવવા આવેલા એક મહિલા સહિત 7 લોકોની ધરપકડ કરી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે કરેલી પ્રાથમિક પૂછપરછમાં ‘પ્રદીપ ગુરુજી’ના આ કૌભાંડના મૂળ છેક ચીન સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું છે. આરોપીઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે.
‘પ્રદીપ ગુરુજી’ને વૈભવી જિંદગી જોઈતી હતી
મુખ્ય આરોપી પ્રદીપ ગુરુજીએ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ મશીનો અને સિક્યોરિટી થ્રેટ ધરાવતા પેપર માટે લાખો રૂપિયાનો વ્યવહાર હવાલા મારફતે કર્યો હતો. યોગ શિબિરો અને દાનના નામે ઉઘરાવેલા નાણાંથી એશોઆરામની જિંદગી જીવતા આ પ્રદીપ ગુરુજી’ સહિતના શખસોએ 1 લાખ અસલી સામે 3 લાખ નકલી નોટ આપવાની લાલચે બજારમાં અંદાજે 10થી 12 લાખની નકલી કરન્સી વહેતી કરી હોવાની આશંકા છે. હાલ પોલીસ ટેકનિકલ એનાલિસિસ અને સીડીઆરના આધારે આ રેકેટમાં જોડાયેલા અન્ય સંપર્કો અને આયુષ મંત્રાલયના બોગસ બોર્ડના ઉપયોગ અંગે તપાસ કરી રહી છે.
અશોક માવાણીના ઘરે બેસી કાવતરું, 50% હિસ્સો પ્રદીપગીરીનો
ક્રાઈમ બ્રાન્ચના PIએ આ ઘટના વિશે જણાવ્યું કે, ‘અમે ગત 18 તારીખે મળેલી બાતમીના આધારે સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનના સંચાલક પ્રદીપ ઉર્ફે પ્રદીપગીરી જોટંગીયા, મુકેશ ઠુમર અને અન્ય સાત આરોપીઓની અંદાજે 2 કરોડ 48 લાખ 26 હજાર 500 રૂપિયાની નકલી નોટો સાથે ધરપકડ કરી છે. આ આખું કાવતરું આજથી છ મહિના પહેલા મુખ્ય આરોપી અશોક માવાણીના ઘરે બેસીને રચવામાં આવ્યું હતું, જેમાં પ્રદીપગીરીના ઇન્સ્ટ્રક્શન મુજબ કામ થતું હતું અને નક્કી થયા મુજબ નફાનો 50% હિસ્સો પ્રદીપગીરીને અને બાકીનો 50% હિસ્સો અન્ય આરોપીઓ વચ્ચે વહેંચવાનો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પ્રદીપનું યોગ ફાઉન્ડેશન 2020 પછી સક્રિય નહોતું અને તે દાન કે શિબિરોની આવક પોતાના પર્સનલ એકાઉન્ટમાં લઈને અંગત ઉપયોગ માટે વાપરતો હતો, જેમાંથી તેણે ફોર્ચ્યુનર, થાર અને એક્સયુવી-700 જેવી ગાડીઓ પણ ખરીદી હતી.’
17,50,000 રૂપિયા હવાલા મારફતે ચીન મોકલ્યા
‘આ નકલી નોટો છાપવા માટે પ્રદીપગીરી ફેબ્રુઆરી મહિનામાં ખાસ ચીન ગયો હતો, જ્યાં તેણે વધુ નોટો છાપવા માટે સારી ક્વોલિટીના પ્રિન્ટિંગ મશીનો મેળવવા ગુઆન્ઝોઉ સિટીમાં એજન્ટો સાથે પૂછપરછ કરી હતી. નોટો માટેના ખાસ સિક્યોરિટી થ્રેટવાળા પેપર્સ પણ ચીનથી જ ઈમ્પોર્ટ કરવામાં આવ્યા હતા, જેના માટે 17,50,000 રૂપિયા હવાલા મારફતે ચીન મોકલવામાં આવ્યા હતા. મુકેશ નામના આરોપીએ તેના લેપટોપમાં સિક્યોર પ્રિન્ટ એજન્ટ નામની એપ્લિકેશનનો ઉપયોગ કરીને આ નોટો છાપી હતી, જે એપ્લિકેશન ક્યાંથી આવી તે અંગે અમે હાલ ટેકનિકલ એનાલિસિસ કરી રહ્યા છીએ.’
33 ટકા નફો કમાવવાનું આયોજન
‘આ લોકોની યોજના એવી હતી કે 1 લાખ અસલી રૂપિયા સામે 3 લાખની નકલી નોટો આપી 33 ટકા જેવો નફો કમાવો. પકડાઈ ન જવાય તે માટે તેમણે કોઈ ખાસ એજન્ટ રાખ્યા નહોતા, પરંતુ જે કોઈ ઓળખીતા મારફતે લાઈન મળે તેને સીધી નોટો વટાવવાનું નક્કી કર્યું હતું.’
આ પણ વાંચો: કોર્પોરેશનનું ‘પાપ’ ભુવા રૂપે બહાર આવ્યું: વડોદરામાં જ્યાં જુઓ ત્યાં રસ્તા ખોદી નખાયા, ઊંડા ખાડામાં બાઇકચાલક પટકાયા
10 થી 12 લાખ રૂપિયાની નકલી નોટો માર્કેટમાં સર્ક્યુલેટ
‘અમે અત્યાર સુધીમાં જે રકમ કબ્જે કરી છે તે સિવાય, ચીનથી મંગાવેલા કાગળની ગણતરી કરતા એવું જણાય છે કે હજી પણ અંદાજે 10થી 12 લાખ રૂપિયાની નકલી નોટો માર્કેટમાં સર્ક્યુલેટ થઈ ગઈ હોવાની શક્યતા છે, જે રિકવર કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. આ ઉપરાંત આરોપીઓના મોબાઈલના આઈપીડીઆર અને સીડીઆર મંગાવીને તેઓ અમદાવાદમાં કોના સંપર્કમાં હતા અને આયુષ મંત્રાલયના બોગસ બોર્ડના ઉપયોગ અંગેની તપાસ પણ કરવામાં આવી રહી છે.’
<a href=
<p>The post અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme… first appeared on gandhinagarmetro.com.</p>















