અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના સિંધુભવન ખાતે આવેલ એક સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રખ્યાત અભિનેત્રી માહીરા શર્મા અમદાવાદ આવી પહોંચી હતી.
જમ્મુ કાશ્મીરમાં જન્મેલ 27 વર્ષીય લોકોમાં હોટ ફેવરિટ ગણાતી અભિનેત્રી માહીરા શર્મા એક ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ આવી હતી જ્યાં તેને એક નજર જોવા અને સેલ્ફી લેવા માટે ફેન્સનો ઘસારો જોવા મળ્યો હતો. મહીરાએ પણ સલૂનની મુલાકાત લીધી હતી અને ઉપસ્થિત લોકો અને ફેન્સ સાથે સેલ્ફી પણ આપી હતી.
ખાસ કરીને અમારા પત્રકારને આપેલ ઇન્ટરવ્યૂમાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલ સવાલો બદલ તે ખૂબ જ આનંદિત થઈ હતી અને નિખાલસ બની તમામ સવાલોના જવાબો આપ્યા હતા. ગુજરાત આવી અહીંના વ્યંજનો ફાફડા, જલેબી, હાંડવાના તેણે ભરપૂર વખાણ કર્યા હતા અને ગુજરાત અને ગુજરાતના લોકો માટે આનંદભર્યા વિચારો રજૂ કર્યા હતા. તેઓએ સલૂનના સ્થાપક સુરેન્દ્ર સિંહ રાજપૂત અને તમામ સ્ટાફ સાથે ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા અને સેલ્ફી પણ પડાવી હતી.















