![]()
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના પાંચ વર્ષના શાસન વિરુદ્ધ આરોપનામું જાહેર કરાયું છે.
વડગામના ધારાસભ્યએ કહ્યું હતું કે, આ સયાજીરાવ ગાયકવાડનું વડોદરા છે, શહેરની ઓળખ ઔદ્યોગિક, કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી તરીકે હતી. પરંતુ આજે વડોદરા ભુવા, મચ્છર, મગર અને ખાડોદરા નગરી તરીકે ઓળખાય છે અને સોશિયલ મીડિયામાં શહેરની મજાક ઉડાવવામાં આવી રહી છે.
મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ, ભાજપના નેતાઓ, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલીભગતના કારણે ભ્રષ્ટાચાર વધ્યો છે, જેના કારણે શહેરની પરિસ્થિતિ કંગાળ બની છે. વડોદરા ૧૧ વખત પાણીમાં ડૂબ્યું છે અને વિશ્વામિત્રી નદીના કાંઠે જમીનના જોનફેર અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
હરણી બોટકાંડ મુદ્દે કહ્યું હતું કે, અનુભવ વગરના કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવાના પ્રયાસો થયા, જેના કારણે ૧૨ વિદ્યાર્થીઓ અને ૨ શિક્ષાકોના મૃત્યુ થયા છે. આ મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
શહેરમાં મચ્છરનો ઉપદ્રવ, દૂષિત પાણીની સમસ્યા, કોલેરાના કેસ અને ખુલ્લી ગટરોના કારણે થતા અકસ્માતો અંગે પણ ભાજપને નિશાને લીધું હતું.
આ ઉપરાંત, રાહુલગાંધી પર ટિપ્પણી મુદ્દે વડોદરાના સાંસદને ટકોર કરી હતી કે, તેઓએ શહેર માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ નિયમિત શરૂ કરાવવી જોઈએ અને વડોદરા એરપોર્ટને સયાજીરાવ ગાયકવાડનું નામ અપાવવું જોઈએ.
કોંગ્રેસનીવિચારધારા સાથે સુસંગત ઉમેદવારોને મેદાનમાં ઉતારી વધુમાં વધુ બેઠકો જીતવાનો પ્રયાસ કરાશે અને વડોદરાનું મૂળ બિરુદ પાછું અપાવવાનો સંકલ્પ કર્યો છે.















