• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વ…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વ…
0
VIEWS
Share on FacebookShare on Twitter


PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (31મી માર્ચ)ના રોજ ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી રાજ્યના ઔદ્યોગિક, પરિવહન અને આધ્યાત્મિક વિકાસને વેગ આપતા કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

LIVE UPDATES:

જય જિનેન્દ્રના જયઘોષ સાથે પીએમ મોદીનું સંબોધન

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી : રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનો મહિમા | Mahavir Jayanti cele…

જામનગરમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી : રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનો મહિમા | Mahavir Jayanti cele…

સુરતમાં અગ્નિકાંડ: લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકોના મોત …

સુરતમાં અગ્નિકાંડ: લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકોના મોત …

જામનગરમાં મિગ કોલોનીમાં ગઈકાલે સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી : કાર અને સ્કૂટર દબાતાં બે વ્યક…

જામનગરમાં મિગ કોલોનીમાં ગઈકાલે સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી : કાર અને સ્કૂટર દબાતાં બે વ્યક…

Load More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ‘જય જિનેન્દ્ર’ના જયઘોષ સાથે કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘હું કોબા તીર્થથી દેશવાસીઓને મહાવીર જયંતીની શુભકામના આપું છું. હું આજે પરમપૂજ્ય આચાર્ય કૈલાશસાગર સૂરીશ્વરજીને યાદ કરું છું. તેમની પ્રેરણાથી આ મહાન તીર્થની સ્થાપના થઈ છે. અહીં મૂલ્યોનું સંરક્ષણ થાય છે, સંસ્કારને સંબલ મળે છે અને જ્ઞાનનું પોષણ થાય છે. આ ત્રિવેણી ભારતીય સભ્યતાનો આધાર છે. આ ત્રિવેણીને અવિરત જાળવી રાખવાનું આપણું દાયિત્વ છે. હજારો વર્ષની ભારતીય વિરાસત, જૈન ધર્મનું જ્ઞાન આગલી પેઢી સુધી પહોંચાડવા આપણા સંતોએ આ મ્યુઝિયમની સંકલ્પના કરવામાં આવી. આ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય જૈન દર્શન અને પ્રાચીન વારસાનું પવિત્ર કેન્દ્ર બન્યું છે. હું સૌ જૈન મુનિનું અભિનંદન અને તેમના ચરણોમાં પ્રણામ કરું છું.’

ઇતિહાસના પાનાઓ ટાંકીને પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘દુનિયામાં અનેક દાર્શનિકો અને શાસકો થયા, પરંતુ જ્યારે સત્તા અને શક્તિની વાત આવી ત્યારે ઘણાંએ આદર્શોને નેવે મૂકી દીધા હતા. જેના કારણે સત્તા અને મૂલ્યો વચ્ચે એક મોટી ખાઈ સર્જાઈ હતી. પરંતુ સમ્રાટ સંપ્રતિએ સત્તાને માત્ર ભોગનું સાધન નહીં, પણ સેવા અને સાધના તરીકે જોયું હતું. સમ્રાટ સંપ્રતિએ અહિંસા, સત્ય અને અપરિગ્રહનો પ્રચાર કરીને ભારતીય દર્શન અને વ્યવહારને એક તાંતણે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.’

‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ દીવાદાંડી સમાન: PM મોદી

PM મોદીએ કહ્યું છે કે દુનિયા અસ્થિરતા અને અશાંતિની આગમાં દાઝી રહી છે, અને આવા સમયે ભારતનો સાંસ્કૃતિક વારસો સમગ્ર માનવતા માટે આશાનું કિરણ છે. PM મોદીએ પોતાના સંબોધનમાં ભાર મૂકતા કહ્યું કે, આ મ્યુઝિયમમાં જે વારસો સાચવવામાં આવ્યો છે અને તે જે સંદેશ આપે છે, તે માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે અપાર મહત્વ ધરાવે છે. હું ઈચ્છું છું કે જે લોકો આ સ્થળની મુલાકાત લે, તેઓ ભારતીય જૈન પરંપરાના ઉપદેશોને વિશ્વના ખૂણે-ખૂણે લઈ જાય. 

‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ

મહાવીર જયંતીના પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના કોબા ખાતે જે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું છે, તેની પાછળ એક મહાન સંતનો દાયકાઓનો પુરુષાર્થ અને સમર્પણ છુપાયેલું છે. આ મ્યુઝિયમ માત્ર એક ઇમારત નથી, પરંતુ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજનું જીવનભરનું સ્વપ્ન છે.

આ મ્યુઝિયમમાં સંગ્રહિત અમૂલ્ય વારસો કોઈ સામાન્ય ખરીદી દ્વારા નથી આવ્યો, પરંતુ રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્યદેવ પદ્મસાગરસૂરીશ્વરજીએ છેલ્લા 60 વર્ષોમાં ભારત અને નેપાળની પદયાત્રા કરી છે. આ પદયાત્રા દરમિયાન તેમણે વિવિધ પ્રદેશોમાંથી અતિ દુર્લભ સાંસ્કૃતિક અવશેષો, હસ્તપ્રતો અને ઐતિહાસિક પુરાવાઓ શોધી કાઢ્યા હતા. આ અમૂલ્ય ખજાનાને આવનારી પેઢીઓ માટે અત્યંત શ્રદ્ધા અને આધુનિક તકનીક સાથે આ મ્યુઝિયમમાં સુરક્ષિત કરવામાં આવ્યો છે.

કોણ હતા સમ્રાટ સંપ્રતિ?

આ મ્યુઝિયમનું નામ સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિ પરથી રાખવામાં આવ્યું છે. જૈન ઇતિહાસમાં તેમનું સ્થાન અત્યંત ગૌરવશાળી છે. તે અહિંસા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. જૈન પરંપરા મુજબ, તેમણે જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં અને અનેક જિનાલયોના નિર્માણમાં પાયાનું યોગદાન આપ્યું હતું. મ્યુઝિયમ દ્વારા સમ્રાટ સંપ્રતિના સમયની અને જૈન ધર્મના સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની ઝાંખી વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે.

23મી એપ્રિલથી મ્યુઝિયમ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ મ્યુઝિયમ દેશ-વિદેશના પ્રવાસીઓ અને સંશોધકો માટે ભારતની પ્રાચીન આધ્યાત્મિક ચેતનાને સમજવાનું એક મુખ્ય કેન્દ્ર બની રહેશે.

PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. જ્યાં મુખ્યમંત્રી અને રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું હતું. હવે કોબા જવા રવાના થયા છે. 

કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ

મહાવીર જયંતીના પવિત્ર અવસરે પીએમ મોદી ગાંધીનગરના કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે. આ મ્યુઝિયમ જૈન ધર્મના શાશ્વત મૂલ્યો, અહિંસા અને ભારતની આધ્યાત્મિક વિરાસતને વિશ્વ સમક્ષ રજૂ કરશે. તે માત્ર કલાકૃતિઓનો સંગ્રહાલય નહીં, પરંતુ આધ્યાત્મિક ચેતનાનું જીવંત કેન્દ્ર બની રહેશે.

સેમિકન્ડક્ટર હબ બનવા તરફ ગુજરાતનું ડગલું

પીએમ મોદી સાણંદ ખાતે કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ ગુજરાત અને ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં મજબૂત સ્થાન અપાવશે અને હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ

પરિવહન ક્ષેત્રે મહત્ત્વની સિદ્ધિ સમાન 109 કિમી લાંબા ‘અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે’ (NE-8) નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ હાઈવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર માત્ર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે.

વાવ-થરાદ ખાતે વિકાસકાર્યોનો શિલાન્યાસ

પ્રવાસના અંતિમ તબક્કે વડાપ્રધાન વાવ-થરાદ ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે આ તમામ વિકાસકાર્યોની કુલ કિંમત 19,806.9 કરોડ રૂપિયા જેટલી થાય છે, જે ઉત્તર ગુજરાત અને સમગ્ર રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈએ લઈ જશે.

Next Post
સિંધુથી સાબરમતીની સફર: અમદાવાદમાં 9 વર્ષમાં 1295 પાકિસ્તાનીઓ બન્યા ભારતીય નાગરિક | 1 295 Pakistani M…

સિંધુથી સાબરમતીની સફર: અમદાવાદમાં 9 વર્ષમાં 1295 પાકિસ્તાનીઓ બન્યા ભારતીય નાગરિક | 1 295 Pakistani M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી : રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનો મહિમા | Mahavir Jayanti cele…

જામનગરમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી : રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનો મહિમા | Mahavir Jayanti cele…

સુરતમાં અગ્નિકાંડ: લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકોના મોત …

સુરતમાં અગ્નિકાંડ: લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકોના મોત …

જામનગરમાં મિગ કોલોનીમાં ગઈકાલે સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી : કાર અને સ્કૂટર દબાતાં બે વ્યક…

જામનગરમાં મિગ કોલોનીમાં ગઈકાલે સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી : કાર અને સ્કૂટર દબાતાં બે વ્યક…

અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છ…

અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છ…

Recent News

જામનગરમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી : રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનો મહિમા | Mahavir Jayanti cele…

જામનગરમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી : રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનો મહિમા | Mahavir Jayanti cele…

સુરતમાં અગ્નિકાંડ: લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકોના મોત …

સુરતમાં અગ્નિકાંડ: લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકોના મોત …

જામનગરમાં મિગ કોલોનીમાં ગઈકાલે સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી : કાર અને સ્કૂટર દબાતાં બે વ્યક…

જામનગરમાં મિગ કોલોનીમાં ગઈકાલે સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી : કાર અને સ્કૂટર દબાતાં બે વ્યક…

અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છ…

અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી : રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનો મહિમા | Mahavir Jayanti cele…
GUJARAT

જામનગરમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી : રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનો મહિમા | Mahavir Jayanti cele…

Jamnagar Mahavir Jayanti : જામનગર શહેરમાં આજે મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભક્તિપૂર્ણ અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી...

Read more

સુરતમાં અગ્નિકાંડ: લિંબાયતમાં ઘરમાં રાખેલા સાડીના કામના કેમિકલમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 5 લોકોના મોત …

જામનગરમાં મિગ કોલોનીમાં ગઈકાલે સાંજે ભારે પવનના કારણે એક ઝાડ ધરાશાયી : કાર અને સ્કૂટર દબાતાં બે વ્યક…

અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલુમ્પુરથી આવેલી મહિલા પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું, શરીરમાં બે કેપ્સ્યુલ છ…

શાળામાં તાળાં કે ઈવેન્ટમાં તાળીઓ? બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે PMના કાર્યક્રમમાં હાજર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In