• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં અંબર ચોકડી પાસે એક વ્યક્તિનું ચોરીની શંકાના આધારે અપહરણ કરી જઇ ઢોર માર મારી હત્યા નિપજાવાઈ…

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં અંબર ચોકડી પાસે એક વ્યક્તિનું ચોરીની શંકાના આધારે અપહરણ કરી જઇ ઢોર માર મારી હત્યા નિપજાવાઈ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

Load More


Jamnagar Crime : જામનગર શહેરના અંબર ચોકડી પાસે આવેલા બાવરીવાસ વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ચોરીની શંકાને આધારે ચાર અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિનું અપહરણ કરી માર મારતાં તેનું મોત નિપજાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતકના જમાઈની ફરિયાદના આધારે હત્યા અને અપહરણ સહિતની કલમો હેઠળ ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને કેટલાક શકમંદોને ઉઠાવી લઈ પૂછપરછ શરૂ કરી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર થયા મુજબ તા.30 માર્ચ 2026ના રોજ સાંજના સમયે બે મોટરસાયકલમાં આવેલા ચાર અજાણ્યા ઈસમો અંબર ચોકડી નજીક બાવરી વાસ વિસ્તારમાં રહેતા અને આ કેસના ફરીયાદી ઉદલ કનૈયાભાઈ પરમારના ઝૂંપડા સામે ફૂટપાથ પર બેઠેલા ફરિયાદીના સસરા રાજુભાઈ રામદેવભાઈ કોષ્ટી અને સંજય પાસે પહોંચ્યા હતા. શરૂઆતમાં વાતચીત બાદ આરોપીઓએ અચાનક બંનેને ઢીકાપાટુ તેમજ પ્લાસ્ટિકની નળી વડે માર મારવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ આરોપીઓએ બંનેને બળજબરીપૂર્વક મોટરસાયકલમાં બેસાડી અપહરણ કરી લીમડાલાઇન વિસ્તારમાં આવેલા એક ડેલામાં લઈ ગયા હતા. ત્યાં લઈ જઈ બંનેને ગોંધી રાખી ફરીથી નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજુભાઈ કોષ્ટિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે સંજયને શરીરે ઈજાઓ થતાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ લીમડા લેન વિસ્તારમાં આવેલી ફ્રીજ, એસી. રીપેરીંગની દુકાનમાંથી એ.સી.ની પાઈપ (નળી) ચોરીની શંકાના આધારે આ કૃત્ય કર્યું હતું.

દરમિયાન મૃતકના સાળા તથા અન્ય પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને 108ની મદદ લીધી હતી, અને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો જેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, અને તેમાં પ્રાથમિક રિપોર્ટમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હોવાથી પોલીસ દ્વારા આ મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે, અને કેટલાક શકમંદોને ઉઠાવી લેવાયા છે, જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ રહી છે. લીમડાલેન વિસ્તારમાં આવેલી ફ્રીન એસી રીપેરીંગની દુકાનમાંથી કોપરના પાઇપની ચોરી થઈ હતી જેમાં મૃતક સામેલ હોવાનું અનુમાન લગાવીને આરોપીઓએ હુમલો કરી દીધો હતો, અને આખરે બનાવ હત્યામાં પલટાયો છે એ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

Next Post
સાવધાન! ડિજિટલ પેમેન્ટનું સ્પીકર બદલવાના બહાને પાણીપુરીવાળાના ખાતામાંથી 45,000 સેરવી લીધા | ahmedaba…

સાવધાન! ડિજિટલ પેમેન્ટનું સ્પીકર બદલવાના બહાને પાણીપુરીવાળાના ખાતામાંથી 45,000 સેરવી લીધા | ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…

સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…

Recent News

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…

સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…
GUJARAT

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

Ahmedabad News: શહેરના માધુપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઊડાવતી ઘટના સામે આવી છે. બે વર્ષ પહેલા જે પરિવારના દીકરાની...

Read more

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

સુરતમાં કોર્પોરેટર બનાવા ઈચ્છુક દાવેદારોએ જ કર્યો નિયમોનો ઉલાળીયો : ભાજપ કાર્યાલય બહાર જ આડેધડ વાહનો…

રાજ્ય સરકારનો વટ હુકમ: જમીન વ્યવહારોમાં 135-Dની નોટિસ પ્રક્રિયામાં મોટો ફેરફાર | Gujarat Land Revenu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In