![]()
National News: પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બહાર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. આ ઘટના ચંડીગઢના સેક્ટર 37માં સાંજે 5:30 કલાક આસપાસ ઘટી છે. પોલીસ ધડાકાના કારણોની તપાસમાં જોતરાઈ ગઈ છે.
સૂત્રોનું કહેવું છે કે પંજાબમાં ભાજપ કાર્યાલય બહાર CRPFને ગોઠવી દેવામાં આવી છે. ઘટનાસ્થળેથી છરા પણ કબજે લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં બ્લાસ્ટના કારણોનો કોઈ અતોપતો મળ્યો નથી.















