Shahibaug Underbridge Closed: અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા અંડરબ્રિજ પર રેલવે ટ્રેકના સ્ટ્રેન્થનીંગ અને જર્જરિત પ્લેટો બદલવાની કામગીરીને પગલે ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા કરવામાં આવતી આ કામગીરી માટે અગાઉ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ટ્રેનોની સતત અવર-જવરને કારણે કામ પૂર્ણ ન થતા હવે નવી સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે.
બંધ રહેવાનો સમય અને તારીખ
તારીખ: 3 એપ્રિલ 2026 થી 7 એપ્રિલ 2026
સમય: દરરોજ બપોરે 12:00 થી સાંજના 17:00 (5:00) વાગ્યા સુધી
સ્થિતિ: આ સમય દરમિયાન અંડરબ્રિજના ત્રણેય પ્રવેશ અને નિકાસ માર્ગો વાહનો માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગોની વિગત
ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નીચે મુજબના ડાયવર્ઝન આપવામાં આવ્યા છે:
1. દિલ્હી દરવાજા કે સુભાષબ્રિજથી એરપોર્ટ/ગાંધીનગર તરફ જવા માટે:
• સુભાષબ્રિજના છેડે શિલાલેખ ફ્લેટ થઈ રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી ડફનાળા થઈને જઈ શકાશે.
2. એરપોર્ટ/ગાંધીનગરથી શહેર તરફ આવવા માટે:
• ડફનાળાથી રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકાશે.
• અસારવા, ગીરધરનગર કે કાલુપુર તરફ જવા માટે શાહીબાગ થઈ મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ કરી શકાશે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી
3. ગીરધરનગર/અસારવાથી ગાંધીનગર/એરપોર્ટ જવા માટે:
• શાહીબાગથી અનેક્ષી, ગાયત્રી મંદિર થઈ આર્મી કેન્ટોનમેન્ટ રોડ દ્વારા ઇન્દિરા બ્રિજ કે ગાંધીનગર તરફ જઈ શકાશે.
આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) નીરજ કુમાર બડગૂજર દ્વારા જાહેરનામું બહાર પાડી નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.















