• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રેલવે દ્વારા 40 વર્ષ જૂનું એસઆરપી ફાટક બંધ કરી દેવાતા 15000 રહીશો મુશ્કેલીમાં | 15000 residents in t…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રેલવે દ્વારા 40 વર્ષ જૂનું એસઆરપી ફાટક બંધ કરી દેવાતા 15000 રહીશો મુશ્કેલીમાં | 15000 residents in t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

Load More


– નડિયાદ શહેરના કપડવંજ રોડ પર

– 70 થી વધુ સોસાયટીના રહીશોને 3 કિલોમીટરનો લાંબો ફેરો ફરવાની નોબત આવી, ચૂંટણીના બહિષ્કારની ચીમકી

નડિયાદ : નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલા ૪૦ વર્ષ જૂના એસઆરપી ફાટકને રેલવે વિભાગ દ્વારા કોઈપણ આગોતરી જાણ વગર અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારની ૭૦થી વધુ સોસાયટીઓમાં વસતા અંદાજે ૧૫૦૦૦થી વધુ નાગરિકો માટે અવરજવરનો મુખ્ય માર્ગ બંધ થઈ જતા હવે તેમને ૩ કિલોમીટર જેટલો લાંબો ફેરો ફરવાની ફરજ પડી રહી છે. રેલવે તંત્રના આ નિર્ણયથી રોષે ભરાયેલા રહીશોએ એકઠા થઈને તંત્ર સામે બાંયો ચઢાવી છે અને જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

એસઆરપી કેમ્પ સામેનું આ ફાટક દાયકાઓથી હજારો લોકો માટે જીવાદોરી સમાન હતું, પરંતુ રેલવે વિભાગે વહીવટી પ્રક્રિયાના નામે લોકોની સુવિધાનો વિચાર કર્યા વગર જ રસ્તો રોકી દીધો છે. આ માર્ગ બંધ થવાથી દરરોજ સવારે શાળાએ જતા નાના બાળકો અને નોકરીયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, રેલવે દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જે સાઈડનો રસ્તો ફાળવવામાં આવ્યો છે તે અત્યંત સાંકડો અને કાચો છે, જ્યાંથી વાહન પસાર કરવું પણ જોખમી બની ગયું છે. સાંકડા રસ્તા પર સામસામે વાહનો આવી જતા સતત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને લોકોનો કિંમતી સમય તેમજ ઈંધણ વેડફાઈ રહ્યું છે. સ્થાનિક રહીશ બળદેવસિંહ રાજે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા માટે જ સાંકડો રસ્તો બનાવ્યો છે જે વાહનચાલકો માટે જોખમી છે. તેવી જ રીતે રહીશ ભવરસિંહ ગઢવીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, ફાટક બંધ થતા હવે ઈમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પણ સમયસર પહોંચી શકે તેમ નથી. જો કોઈ મોટી જાનહાની થશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા ગંભીર સવાલો રહીશો પૂછી રહ્યાં છે. લોકોના જીવ જોખમમાં મૂકીને લેવાયેલા આ નિર્ણય સામે રહીશોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે અને આંદોલનની રણનીતિ ઘડવામાં આવી રહી છે.

આ મામલે અગ્રણીઓએ ધારાસભ્યો, સાંસદ અને જિલ્લા કલેક્ટરથી લઈને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સુધી લેખિતમાં રજૂઆતો કરી છે. વારંવારની ફરિયાદો અને રૂબરૂ મુલાકાતો પછી પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહેલા તંત્ર સામે હવે રહીશોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી રસ્તો નહીં મળે ત્યાં સુધી તેઓ ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેશે. રેલવે અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવે સામાન્ય જનતા પીસાઈ રહી છે ત્યારે આ મામલો હવે નડિયાદમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

કટોકટીના સમયે સર્જાનારી મુશ્કેલીની ભીતિ

ફાટક બંધ થવાના કારણે આરોગ્ય વિષયક સેવાઓ ખોરવાઈ જવાની દહેશત વર્તાઈ રહી છે. સોસાયટી વિસ્તારમાં કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવી હોય કે આગની કોઈ ઘટના બને ત્યારે ફાયરની ગાડીને પ્રવેશવામાં ભારે મુશ્કેલી પડશે. તંત્રએ વૈકલ્પિક રોડ બનાવવામાં કરેલી વેઠ ઉતારવાની કામગીરીના કારણે એમ્બ્યુલન્સ જેવા મોટા વાહનો ફસાઈ જવાની પણ પૂરેપૂરી શક્યતા છે.

રજૂઆતોનું પરિણામ શૂન્ય રહેતા આંદોલનનું એલાન 

સ્થાનિક રહીશોએ છેલ્લા ઘણા સમયથી નડિયાદના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના દ્વાર ખખડાવ્યા છે. ધારાસભ્ય અને સાંસદ સભ્યને આ બાબતે ગંભીરતાથી દરમિયાનગીરી કરવા વિનંતી કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર ખાતરી મળી નથી. વારંવારની અવગણનાથી કંટાળેલા રહીશોએ હવે લોકશાહીના પર્વ સમાન ચૂંટણીના બહિષ્કારને જ એકમાત્ર શસ્ત્ર બનાવવાનું નક્કી કર્યું છે.

Next Post
ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G…

ST બસના મુસાફરો માટે ખુશખબર: હવે ઘરે બેઠા મોબાઈલથી નીકળશે ઓનલાઈન પાસ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ | G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

Recent News

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…
GUJARAT

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, સામાન્ય નાગરિકોને થશે મોટો ફાયદો | US Iran Pe…

US Iran peace deal: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો આખરે અંત આવ્યો છે અને બંને દેશો વચ્ચે...

Read more

પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? અમેરિકા-ઈરાન વચ્ચે ‘ડીલ’ બાદ ક્રૂડ ઓઈલની કિંમતોમાં કડાકો | Crude Oil Price C…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In