![]()
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફ.એસ.એસ.આઈ) દ્વારા ખાદ્યપદાર્થોના વ્યવસાય સાથે સંકળાયેલા એકમો માટે લાયસન્સ અને રજીસ્ટ્રેશનની નોંધણીના નિયમોમાં ફેરફાર કરાયો છે.
ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડએક્ટ-૨૦૦૬ અને અધિનિયમ ૨૦૧૧ મુજબ તમામ ખાદ્ય એકમો માટે લાયસન્સ કે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. અગાઉ નાના ધંધાર્થીઓ કે જેનું ટર્નઓવર ૧૨ લાખ સુધીનું હોય તેમણે રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું, જ્યારે હોટલ, રેસ્ટોરન્ટ, ઉત્પાદક પેઢી, હોલસેલર અને ડિસ્ટ્રિબ્યુટર જેવા એકમો કે જેમનું ટર્નઓવર ૧૨ લાખથી ૨૦ કરોડની વચ્ચે હતું તેમને સ્ટેટ લાયસન્સ લેવું પડતું હતું.
એફ.એસ.એસ.આઈ દ્વારા તા. ૧૩ માર્ચે જારી કરાયેલા હુકમ મુજબ હવે, વાર્ષિક ૧.૫ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા ખાદ્ય એકમોએ માત્ર રજીસ્ટ્રેશન લેવાનું રહેશે. જ્યારે ૧.૫ કરોડ થી ૫૦ કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા એકમોએ સ્ટેટ લાયસન્સ અને ૫૦ કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા એકમોએ સેન્ટ્રલ લાયસન્સ લેવાનું રહેશે. આ નવા નિયમો તા. ૧ એપ્રિલથી લાગુ કરાયા છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વેપારીઓને લાઇસન્સ રજીસ્ટ્રેશન મેળવી લેવા સૂચિત કરાયા છે.















