![]()
અમદાવાદ,બુધવાર,8 એપ્રિલ,2026
સ્વચ્છતા સર્વેક્ષણમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવનારા દેશના શહેરોમાં
અમદાવાદે પ્રથમ ક્રમ મેળવ્યો છે.બીજી તરફ શહેરના પૂર્વ અને મધ્યઝોનના વિસ્તારોમાં સફાઈ
નહીં થતી હોવાની ફરિયાદોનુ પ્રમાણ વધ્યુ છે.આ બાબતને લઈ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ
પાનીએ પૂર્વ અને મધ્યઝોનના ડેપ્યુટી કમિશનરને ખખડાવતા કહયુ,તમારી પાસે પ્રો એકિટવ
મેઈન્ટેનન્સ સિસ્ટમ જ નથી.મધ્યઝોનના ડેપ્યુટી કમિશનરે બચાવ કરતા કમિશનરે કહયુ, એકની એક વાત ના કરો.
હેરીટેજ વોકરુટ ઉપર ગંદકી મેં જોઈ છે.તમારી કામગીરી નબળી દેખાય છે.
મ્યુનિસિપલ કમિશનરની વીકલી રીવ્યુ મિટીંગની શરુઆત
હાટકેશ્વરબ્રિજથી થઈ હતી.ભ્રષ્ટાચારનો બ્રિજ તોડી પડાયો છે. પરંતુ બ્રિજ તોડવાની
કામગીરી સમયે કોન્ટ્રાકટરની બેદરકારીથી મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની લાઈનમાં
બેથી ત્રણ વખત ભંગાણ પડયુ હતુ. કમિશનરે કોન્ટ્રાકટરે કોર્પોરેશનની પાણીની લાઈનને
તોડી નુકસાન કર્યુ.તે સામે કોન્ટ્રાકટર સામે શું કાર્યવાહી કરવામા આવી તેનો જવાબ
એક પણ અધિકારી આપી શકયા નહોતા.આ જોઈ કમિશનર નારાજ થયા હતા.તેમણે તાત્કાલિક
એસ.ઓ.પી.બનાવવા સુચના આપી હતી.
કોર્પોરેશનની સી.સી.આર.એસ.સિસ્ટમ ઉપર પૂર્વ ઝોનના વિવિધ
વોર્ડમાં રહેતા લોકો દ્વારા તેમના વિસ્તારમા સફાઈ નહીં થતી હોવાની ફરિયાદ કરી છે.આ
બાબતને લઈ કમિશનરે પૂર્વ ઝોનના નાયબ કમિશનરને કહયુ,તમે માત્ર કેટલી ફરિયાદ આવી.કેટલી ફરિયાદોનો નિકાલ થયો એ
સિવાય કાંઈ ફોલોઅપ કરતા હોય તેમ લાગતુ નથી. આ તબકકે મધ્યઝોનના ડેપ્યુટી કમિશનરે
વચ્ચે બોલતા કહયુ, અખબારોમાં
લોકો તંત્ર કામગીરી કરતુ હોવા છતાં ફોટા મોકલે છે જે છપાય છે.ત્યારે કમિશનરે કહયુ, એકના એક બહાના ના
બતાવશો.હેરીટેજ વોક રુટ ઉપર ગંદકી મેં જોઈ છે.મધ્યઝોનમાં રોડ ઉપર વેચાતા નોનવેજને
લઈને પણ નાયબ કમિશનરને ઠપકો આપ્યો હોવાનુ
આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
અમદાવાદમાં બગીચાને લઈ નાયબ કમિશનરનું અજ્ઞાન
અમદાવાદના વિવિધ બગીચાઓને લઈ
મિડીયામા અવારનવાર નેગેટિવ ન્યુઝ આવતા રહે છે. આ બાબતને લઈ મ્યુનિસિપલ કમિશનરે
નાયબ કમિશનર જયેશ ઉપાધ્યાયને સવાલ કર્યો હતો. કમિશનરે પુછયુ, અમદાવાદ
મ્યુનિ.ના કેટલા બગીચા પી.પી.પી. ધોરણે આપવામા આવ્યા છે. તેમજ કોર્પોરેશન દ્વારા
કેટલા બગીચા મેઈન્ટેઈન કરવામા આવે છે. આ અંગે નાયબ કમિશનર પાસે કોઈ જવાબ ન હોવાથી
છોભીલા પડી ગયા હતા.















