નવસારી, સંજીવ રાજપૂત, એબીએનએસ:નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખાવડા આઇવી (સી) લિમિટેડ દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સમર્પિત ટોલ-ફ્રી હેલ્પલાઇનનો ગામની ખેડૂત મહિલાઓ દ્વારા પ્રારંભ કરાયો.
સમુદાય સાથે સક્રિય જોડાણ અને ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા, ખાવડા આઇવી (સી) પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈ સીધા વાતચીત કરી શકે તે મારે ‘સંવાદ’ નામની ટોલ-ફ્રી હેલ્પલાઇનની શરૂઆત ગામની ખેડૂત મહિલાઓ દ્વારા કરવામાં આવી. આ પહેલનો ઉદ્દેશ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ખેડૂતોના જમીન અને પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો અને ચિંતાઓનું નિરાકરણ લાવવાનો છે.
‘સંવાદ’ પહેલ અંતર્ગત હવે ખેડૂતો જમીન સંબંધિત મુદ્દાઓ, ટ્રાન્સમિશન કામ માટે જમીનના ઉપયોગ, વળતર અને વાજબી મૂલ્યાંકન તેમજ અન્ય કોઈપણ પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો માટે ટોલ-ફ્રી નંબર 18003095501 સીધો સંપર્ક કરી શકશે. અને કંપનીએ વધુમાં ખાતરી આપી છે કે આ પ્લેટફોર્મ દ્વારા મળતી તમામ ફરિયાદો અને પ્રશ્નોનું નિરાકરણ 48 કામકાજના કલાકોમાં નિરાકરણ કરવામાં આવશે.
આ પ્રસંગે નવસારી અને વલસાડ માટેના પ્રોજેક્ટ હેડ કંદર્પ પાંડે, કુમાર ગૌરવ, પ્રોજેક્ટ હેડ, ખાવડા–સુરત, અભિષેક ગૌર, કવિતા વર્મા, નિત્યા સુંદર પાંડા, અમિત શર્મા, શ્રીનાથ, કૃતિ દેસાઈ, સહિત ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.















