Mumtaz Patel Post On Bharuch Congress: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન ભરુચ જિલ્લામાં કોંગ્રેસમાં આંતરિક મતભેદ જોવા મળી રહ્યો છે. મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં સૂચક ટકોર કરતાં ભરુચમાં રાજકારણ ગરમાયું છે.

સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ મૂકી મુમતાઝ પટેલે ભરુચ કોંગ્રેસને જણાવ્યું હતું કે, ‘એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. પહેલા આંતરિક ગોઠવણી કરીને એક થવું પડશે, નહીં તો પ્રચાર ફક્ત ઔપચારિકતા બની રહેશે. ચૂંટણી જીતવી છે તો પહેલા પોતાને જ મજબૂત બનાવવું પડશે.’
મુમતાઝે જણાવ્યું કે, ‘પાર્ટીના અંદરના મતભેદો અને ગેરસમજ દૂર કર્યા વગર સફળતા મેળવવી મુશ્કેલી બની શકે છે. આમ, ચૂંટણી જીતવા માટે મજબૂત સંગઠણ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે.’
આ પણ વાંચો: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષોને ઈસ્ત્રી, સંચા, પાણીની ટાંકી, ચીમની, પતંગ, સહિતના સિમ્બોલ ફાળવાયા
મુમતાઝ પટેલની સૂચક ટકોરથી ભરુચ કોંગ્રેસમાં આંતરિક વિખવાદની સ્થિતિ ખુલ્લી પડી હોવાનું જણાય છે. બીજી તરફ, મુમતાઝની પોસ્ટ પર લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે, ‘જેમને ટિકિટ મળી છે એ ઉમેદવારોને પણ માત્ર વ્યક્તિગત રીતે જીતવમાં રસ છે, તમારા આવવાનો કોઈ મતલબ નથી!’
સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા
















