![]()
શરદપૂનમની રાત્રે વધુ ભેજથી જુલાઈમાં અતિવૃષ્ટિની સંભાવના રૂ બપોરે 12 વાગ્યે 2 ફૂટની લાકડીનો પડછાયો 6 ઇંચ સુધીનો જોવા મળતા 55-60 ઇંચ વરસાદની શકયતા
જૂનાગઢ, રૂ અખાત્રીજના દિવસે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં ગયો હતો તેમજ બપોરે 12 વાગ્યે 2 ફૂટની લાકડીનો પડછાયો 6 ઈંચનો જોવા મળ્યો હતો. આ મુજબ 55થી 60 ઈંચ વરસાદ થવાની શક્યતા છે, જ્યારે જુલાઈ માસમાં અતિવૃષ્ટી થવાની સંભાવના જોવા મળી છે.
હોળીની જ્વાળા, અખાત્રીજના પવન, શરદ પૂનમની રાત્રીના આવતા ભેજ સહિતની બાબતોના આધારે વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવે છે. વંથલી વર્ષા વિજ્ઞાાન મંડળના વામજાએ અખાત્રીજના પવનના આધારે આગામી ચોમાસામાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અખાત્રીજના વાયવ્યથી અગ્નિ દિશામાં તેમજ પશ્ચિમથી પૂર્વ દિશામાં પવન રહ્યો હતો. આ ઉપરાંત બપોરે 12 વાગ્યે તડકામાં 2 ફૂટની ઉભી લાકડી રાખી તેનો પડછાયો લેવામાં આવ્યો હતો. આ લાકડીનો પડછાયો 6 ઈંચનો થયો હતો, જેના એક ઈંચ બરાબર 10 ઈંચ વરસાદ ગણવામાં આવે છે તે મુજબ આગામી ચોમાસાના સિઝન દરમ્યાન કુલ પપથી 60 ઈંચ વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું હતું કે, અખાત્રીજના દિવસે આકાશમાં વાદળો રહેવાથી અનાજનું પુષ્કળ ઉત્પાદન થવાનું અનુમાન છે. જ્યારે શરદ પૂનમના રાત્રીના ખુલ્લા આકાશમાં રાખેલા ખાંડ અને પૌઆમાં ખૂબ ભેજ આવ્યો હતો જેના આધારે જુલાઈ માસમાં અતિવૃષ્ટીની શક્યતા છે.















