ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી–દાંતા દ્વારા ન્યાય સાથે લોકજાગૃતિનું મિશન મજબૂત
પાલનપુર/અંબાજી,
ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળ એક મહત્વપૂર્ણ ચુકાદામાં ગ્રાહક મનીષાબેન પંચાલને વીમા કંપની સામે ન્યાય મળ્યો છે. આ કેસ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન બનાસકાંઠા સમક્ષ ફરિયાદ નંબર 432/2025 તરીકે દાખલ કરવામાં આવ્યો હતો.
વિગતો મુજબ, મનીષાબેન પંચાલ (મૂળ રહે – વરથું, જીલ્લો અરવલ્લી, હાલ રહે – પાલનપુર) એ આરોગ્ય સુરક્ષા માટે Star Health And Allied Insurance Company Limited પાસેથી તા. 19-11-2024ના રોજ રૂ. 19,364/- નુ પ્રીમિયમ ભરી 5 લાખ રૂપિયાની મર્યાદાવાળી પોલિસી ખરીદી હતી. પોલિસીની અવધિ 19-12-2024 થી 18-12-2025 સુધી માન્ય હતી.
વીમા પોલીસ સમય ચાલુ હતો અને તા. 21-12-2024ના રોજ અચાનક પેટમાં દુખાવાની તકલીફ થતા વિવિધ સ્થળે સારવાર લઈ અંતે અમદાવાદ સ્થિત Maryland Hospital ખાતે તા. 02-05-2025ના રોજ દાખલ થઈ તા. 03-05-2025ના રોજ ડોક્ટરની સલાહ મુજબ ઓપરેશન દ્વારા સારવાર લીધી.
ઉપચાર બાદ ક્લેમ પ્રક્રિયા કરતા વીમા કંપનીએ તા.30-06-2025ના રોજ “પૂર્વવર્તી બીમારી છુપાવેલ છે” જેવા ખોટા કારણો દર્શાવી ક્લેમ નામંજૂર કર્યો. ન્યાય માટે ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી દાંતા ની કામગીરી શોશિયલ મીડિયામાં જોતા હોય મનીષાબેને ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર નો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ આપી આગળની કાર્યવાહીમાં મદદરૂપ થવા વિનંતી કરતા સંસ્થાના પ્રમુખશ્રી વિપુલ ગુર્જર દ્વારા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019 ની કલમ 35 હેઠળ તા. 09-10-2025ના રોજ ગ્રાહક તકરાર કમીશન માં ફરિયાદ દાખલ કરી મજબૂત દલીલો સાથે કેસ આગળ ધપાવતા તા. 22-04-2026ના રોજ કમિશનના પ્રમુખશ્રી એન.પી. ચૌધરી સાહેબ અને સભ્યશ્રી બી.જે. આચાર્ય તથા સભ્ય શ્રીમતી એમ.જે. સૈયદ દ્વારા ફરિયાદીના પક્ષમાં ચુકાદો આપવામાં આવ્યો.
ચુકાદાના મુખ્ય મુદ્દા:
• ફરીયાદીને સામાવાળા વીમા કંપનીએ રૂ. 1,54,740/- ચૂકવવા
• ફરિયાદ તારીખથી વસુલાત સુધી 9% વ્યાજ આપવું
• 60 દિવસમાં ચુકવણી ફરજિયાત
• રૂ. 4,000/- ખર્ચ અને માનસિક વળતર લોકજાગૃતિ સાથે ન્યાયનું કાર્ય
આ માત્ર એક કેસની જીત નથી પરંતુ ગ્રાહક અધિકારોની જાગૃતિ અને કાયદાની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી દાંતા વર્ષ 2001થી દાંતા–અંબાજી વિસ્તારમાં સતત ગ્રાહક હિત માટે કાર્યરત છે.
ખાસ કરીને અંબાજી યાત્રાધામ વિસ્તારમાં દર વર્ષે કરોડો યાત્રાળુઓ આવતા હોવાથી, સંસ્થા દ્વારા:
• ગ્રાહક જાગૃતિ કેમ્પ
• પોસ્ટર, પેમ્ફ્લેટ અને ડિજિટલ અભિયાન
• છેતરપીંડી વિરોધી માર્ગદર્શન
• સાયબર ક્રાઇમ જાગૃતિ
• સ્કૂલ–કોલેજ કાર્યક્રમો
• વેપારીઓ સાથે મીટીંગ
જેવા વિવિધ માધ્યમો દ્વારા લોકજાગૃતિનું વિશાળ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
સંસ્થા દ્વારા લોકોમાં નીચેના મુદ્દાઓ અંગે ખાસ જાગૃતિ ફેલાવવામાં આવે છે:
• પાકું બિલ લેવાની આવશ્યકતા
• ઓનલાઈન છેતરપીંડીથી બચવા તકેદારી
• વીમા, બેંકિંગ અને ડિજિટલ વ્યવહારોમાં સાવચેતી
• ગ્રાહક અધિકારો અને કાયદાકીય ઉપાય
સંસ્થાનો સંદેશ
પ્રમુખશ્રી વિપુલ ગુર્જરે જણાવ્યું હતું કે:
“યોગ્ય માર્ગદર્શન અને કાયદાની જાણકારી હોય તો સામાન્ય નાગરિક પણ મોટી કંપની સામે ન્યાય મેળવી શકે છે. આ કેસ એનો જીવંત દાખલો છે.”
જનતા માટે અપીલ
ગ્રાહકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના હક્કો અંગે જાગૃત બને અને કોઈપણ પ્રકારની છેતરપીંડી અથવા અન્યાય સામે કાયદેસર પગલાં લે. જરૂર પડે તો ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી/દાંતા નો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.
👉 આ કેસ ન્યાયની જીત સાથે સાથે લોકોમાં વિશ્વાસ જગાવતો અને ગ્રાહક જાગૃતિને મજબૂત બનાવતો મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયો છે.
રિપોર્ટર અમિત પટેલ અંબાજી















