Operation Sindoor First Anniversary: ભારતે ગુરુવારે પાકિસ્તાન પ્રેરિત સરહદ પારના આતંકવાદ સામે પોતાની રક્ષા કરવાના અધિકારને ફરી દોહરાવ્યો છે. ઓપરેશન સિંદૂરના એક વર્ષ પૂર્ણ થવા પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સાથે સાથે પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ બંગાળ દ્વારા કરવામાં આવી રહેલી ટિપ્પણીઓનો જવાબ આપતા બંગાળની પણ ઝાટકણી કાઢી છે.
બાંગ્લાદેશ મુદ્દે ભારતનું વલણ
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપની જીત બાદ બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાનના નિવેદન પર પણ ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતે સ્પષ્ટ કર્યું કે, મુખ્ય મુદ્દો ભારતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પરત મોકલવાનો (Repatriation) છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીયતાની ચકાસણીના 2,860થી વધુ કેસો બાંગ્લાદેશ પાસે પેન્ડિંગ છે, જેમાંથી ઘણા 5 વર્ષથી વધુ જૂના છે. ભારતે આશા વ્યક્ત કરી છે કે, બાંગ્લાદેશ આ પ્રક્રિયા ઝડપી બનાવશે જેથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત મોકલવાની પ્રક્રિયા સરળ બની શકે.
રાજનીતિ છોડો અને તમારા નાગરિકોને પરત બોલાવો
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપની જીત બાદ બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ આપેલા નિવેદન પર ભારત સરકારે આકરું વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, અસલી મુદ્દો નિવેદનબાજીનો નહીં, પરંતુ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓને પરત મોકલવાનો છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામો બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બાંગ્લાદેશે સહકાર આપવાની જરૂર છે.
ભારતનો મુખ્ય પક્ષ રીપેટ્રિએશન
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશ તરફથી જે ટિપ્પણીઓ થઈ રહી છે, તેને અસલી મુદ્દાથી અલગ જોઈ શકાય નહીં. ભારતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓને તેમના દેશમાં પરત મોકલવા. રણધીર જાયસ્વાલે જણાવ્યું કે આ પ્રક્રિયા માટે બાંગ્લાદેશનો સહકાર અનિવાર્ય છે, જે હાલમાં પૂરતો મળી રહ્યો નથી.
આંકડાકીય વિગત: 2,860થી વધુ કેસ પેન્ડિંગ
ભારતે બાંગ્લાદેશની ઢીલી નીતિ સામે લાલ આંખ કરતા ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. અત્યારે 2,860થી વધુ કેસ એવા છે જેમાં રાષ્ટ્રીયતાની તપાસ કરવાની જવાબદારી બાંગ્લાદેશની છે, પરંતુ તે પેન્ડિંગ છે. તે પૈકી ઘણા કેસ એવા છે જે છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી અટવાયેલા પડ્યા છે. ભારત ઇચ્છે છે કે બાંગ્લાદેશ આ વેરિફિકેશનની પ્રક્રિયા ઝડપી બનાવે જેથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત મોકલવાનું કામ સરળતાથી થઈ શકે.
આતંકવાદ એ પાકિસ્તાનની સરકારી નીતિ
રણધીર જાયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જાણે છે કે પાકિસ્તાન આતંકવાદને તેની સરકારી નીતિ તરીકે વાપરે છે. ભારત પોતાની સુરક્ષા માટે હંમેશા સજ્જ છે અને વૈશ્વિક સ્તરે આતંકવાદ વિરોધી લડાઈને વધુ મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.















