![]()
Jamnagar : જામનગર નજીક સિક્કા પાટિયા વિસ્તારમાં રહેતા ઉત્તર પ્રદેશના મૂળ વતની એક યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં અરેરાટી ફેલાઈ છે. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સિક્કા પાટિયા પાસે આવેલા એક શોરૂમના ઉપરના માળે ભાડાની ઓરડીમાં રહેતા તેમજ મજૂરી કામ કરતા રામ મેકુલાલ સ્નેહી (ઉ.વ. અંદાજે 22) નામના યુવાને પોતાની ઓરડીમાં પંખાના હૂક સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની જાણ ભાનુ બંભોલી વર્મા દ્વારા પોલીસને કરવામાં આવતાં મેઘપર પડાણા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું અને તે સંબંધમાં નિરાશા મળતાં તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે, સમગ્ર મામલે પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.















