• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સસ્તી થશે લક્ઝુરિયસ કાર! યુરોપ સાથે ટ્રેડ ડીલમાં મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: રિપોર્ટ | India …

satyasamachar by satyasamachar
January 26, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સસ્તી થશે લક્ઝુરિયસ કાર! યુરોપ સાથે ટ્રેડ ડીલમાં મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: રિપોર્ટ | India …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અજિત પવાર પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, VSRના 4 વિમાનના પૈડા થંભી ગયા | ajit pawar plane …

અજિત પવાર પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, VSRના 4 વિમાનના પૈડા થંભી ગયા | ajit pawar plane …

ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી …

ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી …

ખનીજ માફિયાઓ પર દરોડાના ગુજરાત સરકારના ફક્ત નાટકો! ફરિયાદ નોંધી પણ લીઝ રદ ના કરી | gujarat sand mafi…

ખનીજ માફિયાઓ પર દરોડાના ગુજરાત સરકારના ફક્ત નાટકો! ફરિયાદ નોંધી પણ લીઝ રદ ના કરી | gujarat sand mafi…

Load More


India–EU FTA Deal Impact On Cars Price : ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે આવતીકાલે 27 જાન્યુઆરીએ ‘મધર ઓફ ઓલ ડીલ’ એટલે કે ઐતિહાસિક વેપાર કરાર થવાનો છે. બંને વચ્ચે જે ‘મુક્ત વેપાર કરાર’ થવાનો છે, તેમાં મોંઘી લક્ઝુરિયસ કારની ડીલ પણ સામેલ છે. આ ડીલ માટે યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન હાલ ભારતની મુલાકાતે છે અને આવતીકાલે તેઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કર્યા બાદ ભારત-ઈયુ ડીલ અંગે મોટી જાહેરાત કરી શકે છે. ડીલમાં મોંઘી લક્ઝુરિયસ કારનો પણ સમાવેશ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ભારત સરકાર યુરોપીય યુનિયનથી આવતી કારો પરની આયાત ડ્યૂટીમાં મોટી કપાત કરવાની તૈયારીમાં છે. હાલ યુરોપથી ભારત આયાત થતી કારોનો પરની ઈમ્પોર્ટ ડ્યૂટી 110 ટકા સુધી પહોંચી ગઈ છે, જેમાં 40 ટકા ઘટાડો કરવાનો પ્રસ્તાવ છે. 

ભારતે યુરોપથી આયાત થતી કારો પર ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા મંજૂરી આપી

રિપોર્ટ મુજબ, ભારત સરકારે 15,000 યુરો એટલે કે લગભગ 16.3 લાખ રૂપિયાથી વધુની કિંમતવાળી યુરોપમાં બનેલી કારો (લિમિટેડ યુનિટ્સ) પર આયાત કર ઘટાડવા તાત્કાલીક મંજૂરી આપી દીધી છે. જ્યારે આગામી સમયમાં તેમાં વધુ ઘટાડો કરીને 10 ટકા સુધી લાવવાની તૈયારી છે. જો બંને વચ્ચે વાટાઘાટો સફળ રહેશે તો યુરોપથી ભારતમાં આયાત થતી કારોની કિંમતમાં ભારે ઘટાડો થઈ શકે છે, જેનાથી વોક્સવેગન, મર્સિડીઝ બેંઝ અને BMW જેવી યુરોપીયન બ્રાન્ડની કારો ભારતમાં સરળતાથી એન્ટ્રી કરી શકશે અને ભારતીયોને પણ આ કારો ખરીદવામાં મોટો ફાયદો થશે.

આ પણ વાંચો : 200 અબજ ડૉલરનું માર્કેટ અને લાખો નોકરીઓ… યુરોપ સાથે ફ્રી ટ્રેડ ડીલથી ભારતને શું ફાયદો થશે?

ડીલ પર ગમે ત્યારે જાહેરાત થવાની સંભાવના

મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, કાર ડીલ અંગેની સમજૂતી પર મંગળવારે જાહેરાત થવાની સંભાવના છે. જોકે આ મામલે ભારતના વાણિજ્ય મંત્રાલય અને યુરોપીયન આયોગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. તેમ છતાં એવું મનાઈ રહ્યું છે કે, બંને તરફ ચાલી રહેલી વાતચીત અંતિમ તબક્કામાં છે અને કોઈપણ સમયે મોટી જાહેરાત થઈ શકે છે.

ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત પુરી થવાની જાહેરાત તઈ શકે છે. ત્યારબાદ સમજૂતીને અંતિમરૂપ આપવામાં પ્રક્રિયા બાકી રહેશે, જેમાં થોડો સમય લાગી શકે છે.

…તો મોંઘી કારોની કિંમતમાં થશે 50 ટકા સુધીનો ઘટાડો

વર્તમાન સમયમાં યુરોપની 45000થી 50000 યુરોની કિંમતની કારો જ્યારે ભારત આવે છે, ત્યારે તેના પર લાગતો ટેક્સ કારની ચોક્કસ કિંમત જેટલો કે પછી તેનાથી વધુ સુધી પહોંચી જાય છે. આ જ કારણે આવી કારો ભારતીય શોરૂમ સુધી પહોંચતા-પહોંચતા ઘણી મોંઘી થઈ જાય છે.

જો ઈમ્પોર્ટ ડ્યૂટી 40 ટકા સુધી લિમિટેડ કરવામાં આવશે તો ટેક્સનો બોઝ ઘટી જશે. જેના કારણે GST અને ડીલ માર્જિનની રકમ ઉમેરવા છતાં એક્સ-શોરૂમની કિંમતમાં મોટો તફાવત જોવા મળશે. જાણકારોનું માનવું છે કે, નવી ટેક્સ વ્યવસ્થા લાગુ થયા બાદ યુરોપીયન કારોની એક્સ-શોરૂમ કિંમત 30થી 50 ટકા સુધી ઘટી શકે છે. એટલે કે કરોડો રૂપિયાની કારો લગભગ 25થી 30 લાખ રૂપિયા સુધી ઘટી શકે છે.

આ પણ વાંચો : EUના પ્રમુખ ભારતની ચાર દિવસની મુલાકાતે, PM મોદી સાથે 27 જાન્યુઆરીએ કરશે મોટી જાહેરાત

આવતીકાલે ભારત-EU વચ્ચે મોટી બેઠક

ઉલ્લેખનીય છે કે, ઈયુના અધ્યક્ષાની ભારત મુલાકાતની સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારત-ઈયુ આજસુધી વિશ્વમાં કોઈપણ દેશે ન કરી હોય તેવી ‘ગેમ ચેન્જર ડીલ’ કરવાની તૈયારીમાં છે. ઈયુના અધ્યક્ષા અને એન્ટોનિયા કોસ્ટા સૌપ્રથમ 26 જાન્યુઆરીએ યોજાનાર પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. જ્યારે 27 જાન્યુઆરીએ ભારત-ઈયુ વચ્ચે મોટી બેઠક યોજાવાની છે, જેમાં તેઓ મોટા વેપારી કરાર પર હસ્તાક્ષર કરવાના છે. FTA ડીલ થયા બાદ ભારતના ઉત્પાદનો યુરોપીય સંઘમાં ઓછા અને મુક્ત ટૅરિફે આયાત થશે, જ્યારે યુરોપીય સંઘ પણ આવી રીતે જ ભારતમાં આયાત કરી શકશે.

આજસુધી કોઈપણ દેશે આવી ડીલ કરી નથી : ઉર્સુલા વોન ડેર લેયેન

યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન (Ursula von der Leyen) સ્વિત્ઝર્લૅન્ડના દાવોસમાં 20 જાન્યુઆરીએ કહ્યું હતું કે, ‘યુરોપિયન યુનિયન ભારત સાથે એવી ડીલ કરવાની તૈયારીમાં છે, જે આજસુધી કોઈપણ દેશે કરી નથી. આ ડીલથી 27 દેશોને મોટી રાહત થશે.’ બીજીતરફ ભારતના વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે પણ ભારત-ઈયી વેપાર કરારને ‘મધર ઑફ ઓલ ડીલ્સ’ ગણાવ્યો છે.

મુક્ત વેપાર કરારથી ભારતને શું ફાયદો ?

ભારત અને યુરોપીય સંઘ વચ્ચે 2024-2025માં લગભગ રૂ.11.8 લાખ કરોડ (136.5 અબજ ડૉલર)નો વેપાર થયો હતો. આમાં ભારતે રૂ.6,59,460 કરોડ(75.8 અબજ ડૉલર)ની નિકાસ કરી હતી, જ્યારે યુરોપીયન સંઘે રૂ.5,28,090 કરોડ(60.7 અબજ ડૉલર)ની નિકાસ કરી હતી. જોકે હવે બંને વચ્ચે ‘મુક્ત વેપાર કરાર’ થવાનો હોવાથી ભારતની નિકાસ ઝડપી વધશે. યુરોપના સર્વિસ સેક્ટરથી લઈને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભારતની નિકાસમાં ધરખમ વધારો થશે.

આ પણ વાંચો : ટ્રમ્પને પદથી હટાવવાનો પ્રસ્તાવ આવશે? ભારત સાથે ડીલ મુદ્દે તેમના જ સાંસદ નારાજ, ઓડિયો લીક થતાં ખળભળાટ

‘મુક્ત વેપાર કરાર’થી ભારતને થતા 10 મહત્ત્વના ફાયદા

1… ભારતની નિકાસ ઝડપથી વધશે

2… મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટની નિકાસ વધતા આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન મળશે

3… મેન્યુફેક્ચરિંગ, આઇટી, ડિજિટલ સર્વિસ, લોજિસ્ટિક અને MSME સહિતના સેક્ટરોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો નોકરીઓની તકો ઊભી થશે.

4… ભારતીય પ્રોફેશનલ્સને યુરોપમાં કામ કરવાની વધુમાં વધુ તક મળશે.

5… ભારતીય કંપનીઓ યુરોપમાં એન્ટ્રી પણ કરી શકે અને પોતાનો કારોબાર પણ વધારી શકશે.

6… ડીલની સૌથી મહત્ત્વની વાત એ છે કે, ચીન પર ભારતની નિર્ભરતામાં ઘટાડો થશે.

7… અમેરિકાએ ટૅરિફથી યુરોપ સાથે સંબંધો બગાડ્યા છે. આવી સ્થિતિમાં ભારત યુરોપમાં વધુમાં વધુ આયાત કરીને મોટું માર્કેટ બની શકે છે.

8… જો ભારતના સ્ટાર્ટઅપ યુરોપમાં રોકાણ કરશે તો તેમને મોટો લાભ થશે.

9… ડીલના કારણે ભારત-યુરોપીયન સંઘ વચ્ચેનો કારોબાર 136 અબજ ડૉલરથી વધીને 200-250 અબજ ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે.

10… અમેરિકા ટૅરિફથી ભારત-યુરોપીયન સંઘ પર દબાણ કરી રહ્યું છે, જોકે ડીલ બાદ બંનેની આયાત-નિકાસમાં વધારો થવાની બંનેના અર્થતંત્રને ગતિ મળશે.

ભારત-EU વચ્ચે FTA કરારથી ટ્રમ્પને લાગશે ઝટકો

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિતના દેશો પર મસમોટો ટૅરિફ ઝિંકીને સંબંધો બગાડી રહ્યા છે, ત્યારે ભારતે અમેરિકાના ટૅરિફને જડબાતોડ જવાબ આપવા માટે અનેક દેશો સાથે સંબંધો વધારવાની સાથે વેપાર કરાર કરવાની કવાયત શરૂ કરી દીધી છે. એટલું જ નહીં ભારત પોતાના ગાઢ મિત્ર દેશો સાથે વેપાર ભાગીદારી પણ વધારી રહ્યું છે. તાજેતરમાં જ ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ ઉપરાંત ભારત -બ્રાઝિલ વચ્ચે પણ ટૂંક સમયમાં વેપાર કરાર પર મહત્ત્વનો નિર્ણય થવાનો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, 27 જાન્યુઆરીના રોજ ભારત અને યુરોપીય સંઘ (EU) વચ્ચે મુક્ત વેપાર કરાર(FTA)ની જાહેરાત થવાની છે, જેના કારણે ટ્રમ્પને મોટો ઝટકો લાગવાનો છે.

Next Post
વાવ-થરાદ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદનું ભવ્ય મહા અધિવેશન યોજાયું..

વાવ-થરાદ ખાતે ગુજરાત પત્રકાર એકતા પરિષદનું ભવ્ય મહા અધિવેશન યોજાયું..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અજિત પવાર પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, VSRના 4 વિમાનના પૈડા થંભી ગયા | ajit pawar plane …

અજિત પવાર પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, VSRના 4 વિમાનના પૈડા થંભી ગયા | ajit pawar plane …

ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી …

ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી …

NCERTના નવા સિલેબસ મુદ્દે ભડક્યાં CJI, કહ્યું- ‘કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દઉં’ | CJI Su…

NCERTના નવા સિલેબસ મુદ્દે ભડક્યાં CJI, કહ્યું- ‘કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દઉં’ | CJI Su…

Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? |…

Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? |…

Recent News

અજિત પવાર પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, VSRના 4 વિમાનના પૈડા થંભી ગયા | ajit pawar plane …

અજિત પવાર પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, VSRના 4 વિમાનના પૈડા થંભી ગયા | ajit pawar plane …

ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી …

ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી …

NCERTના નવા સિલેબસ મુદ્દે ભડક્યાં CJI, કહ્યું- ‘કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દઉં’ | CJI Su…

NCERTના નવા સિલેબસ મુદ્દે ભડક્યાં CJI, કહ્યું- ‘કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દઉં’ | CJI Su…

Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? |…

Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? |…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અજિત પવાર પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, VSRના 4 વિમાનના પૈડા થંભી ગયા | ajit pawar plane …
INDIA

અજિત પવાર પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, VSRના 4 વિમાનના પૈડા થંભી ગયા | ajit pawar plane …

Ajit Pawar Plane Crash: અજિત પવાર પ્લેન ક્રેશ મામલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને મોટી કાર્યવાહી કરી છે. DGCAએ વિશેષ...

Read more

ભોપાલનો ગજબ કિસ્સો: પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે દાદાએ બ્રિટનને આપી હતી 35000ની લોન, હવે પૌત્ર કરશે વસૂલી …

NCERTના નવા સિલેબસ મુદ્દે ભડક્યાં CJI, કહ્યું- ‘કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દઉં’ | CJI Su…

Explainer: કેરળને મળ્યું નવું નામ: કેવી હતી ‘કેરળમ’ની ઐતિહાસિક યાત્રા? ક્યાં ખોવાઈ ગયું ત્રાવણકોર? |…

ગુજરાતી ફિલ્મ “Chor No.1” ની શુભ શરૂઆત, ટીમમાં ઉત્સાહનો માહોલ.

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In