• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારત અને EU વચ્ચે થયેલા વેપાર કરારમાં સામાન્ય નાગરિકોને શું થશે ફાયદો? જાણો સંપૂર્ણ વિગતો | india eu…

satyasamachar by satyasamachar
January 27, 2026
in INDIA, INDIA
Reading Time: 3 mins read
A A
0
ભારત અને EU વચ્ચે થયેલા વેપાર કરારમાં સામાન્ય નાગરિકોને શું થશે ફાયદો? જાણો સંપૂર્ણ વિગતો | india eu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


India EU Free Trade Deal: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઇતિહાસની સૌથી મોટી ડીલનું એલાન થઈ ચૂક્યું છે.  જેમાં બંને પક્ષોએ મોટાભાગના ઉત્પાદનો પર ટેરિફ મહદઅંશે ઘટાડી દીધો છે, ઘણી એવી વસ્તુઓ છે જેમાં ટેરિફ શૂન્ય પણ કરી દેવામાં આવ્યો છે. આ મધર ઓફ ઓલ ડીલથી ભારતના લોકોને મોટો ફાયદો થશે, અનેક વસ્તુઓ સસ્તી થશે તો વેપાર ક્ષેત્રે મોટા લાભથી શક્યતા છે. 

શું થશે ફાયદો?

કેમિકલ્સ: યુરોપિયન યુનિયનથી આવતા કેમિકલ ઉત્પાદનો પર લાગતી 22% ટેરિફ નાબૂદ કરી દેવાથી, જેથી કેમિકલ ઉત્પાદનો સાથે સંલગ્ન વસ્તુઓ સસ્તી થશે. 

મશીનરી: યુરોપિયન મશીનરી પર લાગતો 44 ટકા ટેરિફ દૂર કરી દેવામાં આવશે, જેનાથી કેપિટલ ગુડ્સ અને ઈન્ડસ્ટ્રીયલ ઈનપુટનો ખર્ચ ઘટશે. 

આરોગ્ય: મેડિકલ અને સર્જીકલ ઉપકરણોમાં 90 ટકા પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ નહીં લેવાય. જેનાથી હેલ્થકેરનો ખર્ચ ઘટશે. ભારતની જેનેરિક દવાઓ માટે 27 યુરોપિયન દેશોના બજારો ખુલશે.

ફાર્માસ્યુટિકલ્સ: EU ફાર્મા ઉત્પાદનો પર લાગતા 11 ટકા ટેરિફને નાબૂદ કરી દેવામાં આવ્યો

વિમાન અને અંતરીક્ષ યાન: આ શ્રેણીમાં લગભગ તમામ ઉત્પાદનો પર ટેરિફ હટાવી દેવામાં આવ્યો જેથી ઉડ્ડયન અને અવકાશ ક્ષેત્રમાં થશે મોટો

ગ્રીન એનર્જી: આગામી બે વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે યુરોપ ભારતને 500 મિલિયન યુરો આપશે. ભારતમાં ગ્રીન ટેકનોલોજી અને ક્લિન એનર્જીમાં પ્રોત્સાહન આપવામાં યુરોપ મદદ કરશે.

ફાઈનાન્શિયલ: યુરોપની ફાઈનાન્શિયલ કંપનીઓમાં ભારતીયોને સરળતાથી એન્ટ્રી મળશે. 

બેન્કિંગ: મેરિટાઈમ, બેન્કિંગ, શિપિંગ સેવાઓ સસ્તી થશે. 

ઇલેક્ટ્રોનિક: આ ક્ષેત્રે ટેરિફ ઘટતા હવે મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થશે

સ્ટીલ અને રાસાયણિક ઉત્પાદનો: લોખંડ, સ્ટીલ અને રાસાયણિક ઉત્પાદનો પર શૂન્ય ટેરિફનો પ્રસ્તાવ છે. આનાથી બાંધકામ અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે કાચા માલના ભાવ ઘટશે, જેનાથી ઘર બનાવવાનું કે ઔદ્યોગિક માલ ખરીદવાનું સસ્તું થશે.

ઓટોમોબાઈલ સેક્ટરમાં રાહત

યુરોપિયન કાર: EUથી ભારતમાં આવતી લક્ઝરી કારો પર હાલ 100 ટકાથી વધુ ટેરિફ વસૂલવામાં આવે છે જેને તબક્કાવાર ઘટાડીને માત્ર 10 ટકા કરી દેવામાં આવશે, પણ તે વાર્ષિક અઢી લાખ વાહનોના ક્વોટાની મર્યાદા રહેશે. આનાથી ભારતમાં લક્ઝરી મર્સિડીઝ, BMW કે ઓડી જેવી કારોના ભાવમાં ધરખમ ઘટાડો થશે.

ખાવા-પીવાની વસ્તુઓ પર થશે અસર

-ઓલિવ તેલ, માર્જરિન અને અમુક વનસ્પતિ તેલ પરના ટેરિફ ઘટાડવામાં આવશે અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે.

-યુરોપના ફળોના રસ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ પર ટેરિફ શૂન્ય કરી દેવાશે જેથી તેના ભાવમાં મોટો ઘટાડો આવશે. 

-બિયર પર ટેરિફ ઘટાડીને 50 ટકા કરી દેવામાં આવશે

-વાઈન પર ટેરિફ ઓછો, હવે માત્ર 20–30% ટકા જ વસૂલવામાં આવશે, જેથી યુરોપના દેશોથી આવતો દારૂ સસ્તો થઈ જશે

-90 ટકા વસ્તુઓ પર ટેરિફ સામાન્ય કરી દેવાશે

ભારતે યુરોપિયન યુનિયન માટે બજાર ખૂલ્યું મૂક્યું

આ મઘર ઓફ ઓલ ડીલથી ભારતે યુરોપિયન યુનિયન માટે બજાર ખૂલ્યું મૂક્યું છે. યુરોપથી આવતી 90 ટકા વસ્તુઓ પર ટેરિફ ઓછામાં ઓછો અથવા તો શૂન્ય ટેરિફ લાગુ પડશે. આનાથી યુરોપિયન નિકાસકારોને વાર્ષિક આશરે 4 બિલિયન યુરોની બચત થવાનો અંદાજ છે, જેનો સીધો ફાયદો ભારતીય ગ્રાહકો અને સ્થાનિક ઉદ્યોગોને સસ્તા ભાવો અને સારા ઇનપુટ ખર્ચના રૂપમાં થવાની સંભાવના છે.

ભારતીય નિકાસકારોને થશે તગડો ફાયદો

આ વેપાર કરારથી માત્ર વસ્તુઓ સસ્તી થશે જ નહીં, પરંતુ ભારતીય કાપડ, ચામડા અને હીરા અને ઝવેરાતના વેપારીઓ માટે એક વિશાળ યુરોપિયન બજાર પણ ખુલશે. ભારતીય કપડાં પરનો ટેરિફ નાબૂદ થવાથી ભારત બાંગ્લાદેશ અને વિયેતનામને પાછળ છોડીને ટેક્સટાઇટલમાં નંબર વન નિકાસકાર બની શકે છે.

ગુજરાતના કયા કયા ઉદ્યોગોને થશે લાભ?

-ટેક્સટાઇલ અને એપેરલ (કાપડ ઉદ્યોગ)

-કેમિકલ્સ (રસાયણો)

-ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ડિવાઇસ (દવાઓ અને તબીબી ઉપકરણો)

-એન્જિનિયરિંગ ગુડ્સ

-ઇલેક્ટ્રોનિક્સ

-જેમ્સ અને જ્વેલરી (હીરા અને ઝવેરાત)

ભારતને મળશે 4500 કરોડનું બજેટ

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અનુસાર આવનાર બે વર્ષમાં ભારતમાં ગ્રીન હાઉસ અને ગેસ ઉત્સર્જનની અસરોને ઓછી કરવા યુરોપિયન યુનિયન મદદ કરશે જે માટે 500 મિલિયન યુરો એટલે કે લગભગ 4500 કરોડ રૂપિયાની સહયોગ EU કરશે. EU ટ્રેડમાર્ક્સ, ડિઝાઇન્સ, કોપીરાઇટ અને ટ્રેડ સિક્રેટને મજબૂત કાયદાકીય રક્ષણ મળશે, ડિજિટલ વેપાર માટે એક ખાસ વ્યવસ્થા હશે, જેથી ઓનલાઈન કારોબાર સુરક્ષિત, નિષ્પક્ષ અને ભરોસાથી ભરેલો હશે. 

યુરોપના કુલ 27 દેશના બજારમાં ભારતની વસ્તુઓની બોલબાલા વધશે

યુરોપના 45 કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીઓની સીધી એન્ટ્રી થશે, ટેક્સ ઓછો થવાના કારણે ભારતની નિકાસ વધશે, જેની સામે યુરોપની કંપનીઓ ભારતમાં રોકાણ વધારશે, FDI વધશે, નિકાસ અને રોકાણના કારણે ભારતમાં રોજગારીની વધુ તકો ઊભી થશે, સપ્લાય ચેઈનમાં સુધારો થતાં ચીન પરની નિર્ભરતા ઘટશે.

બંને પક્ષે કેટલો વેપાર?

વર્ષ 2025માં ભારત અને યુરોપ વચ્ચે કુલ 136.53 અબજ ડોલરનો વેપાર થયો. ભારતે 60.7 અબજ ડોલરનો સામાન આયાત કર્યો જ્યારે 75.9 અબજ ડોલરના સામાનની નિકાસ કરી. એવામાં ટ્રેડ ડીલમાં ટેરિફમાં ઘટાડો થતાં ઉપભોક્તા અને ઉત્પાદક બંનેને લાભ થશે. ભારત યુરોપથી હાઈ કેટેગરી મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, વિમાન, મેડિકલ ઉપકરણ વગેરે આયાત કરે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, સ્માર્ટફોન, કાપડ, ફાર્મા પ્રોડક્ટ્સ, જ્વેલરી, લોખંડની નિકાસ કરવામાં આવે છે. એવામાં આ ડીલમાં 90 ટકા સામાન પર ટેરિફ ઓછો અથવા નહિવત થઈ શકે છે. આ સેક્ટરમાં કામ કરતાં ઉદ્યોગો અને બિઝનેસમેનને તેનો મોટો લાભ મળશે. 

ભારતે વિશ્વના સૌથી મોટા FTA પર હસ્તાક્ષર કર્યા: PM મોદી

ભારત-યુરોપની સંયુક્ત પત્રકાર પરિષદમાં PM મોદીએ કહ્યું હતું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓએ આજે નવો અધ્યાય સ્થાપિત કર્યો. છેલ્લા ઘણાં વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા હતા. આજે આ સંબંધોને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. ભારતે આજે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એગ્રીમેન્ટ સમૃદ્ધિની નવી બ્લૂપ્રિન્ટ છે. ભારત અને યુરોપની આ ડીલ ઈન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે. આ સિવાય અમે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો-પેસિફિક સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. 

Next Post
એમેઝોનમાં ફરી મોટી છટણીઃ 16,000 લોકોની હકાલપટ્ટી કરાશે, સૌથી વધુ અસર ભારતીયોને થશે | Amazon Layoffs …

એમેઝોનમાં ફરી મોટી છટણીઃ 16,000 લોકોની હકાલપટ્ટી કરાશે, સૌથી વધુ અસર ભારતીયોને થશે | Amazon Layoffs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…

અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…

બગોદરા-ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત: ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે 7 ગુલાંટ મારી, એકનું મો…

બગોદરા-ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત: ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે 7 ગુલાંટ મારી, એકનું મો…

વડોદરા: પહેલા જ વરસાદમાં જ સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચેનું નાળું ધોવાયું, અનેક ગામો સંપર્કવિહોણા! | F…

વડોદરા: પહેલા જ વરસાદમાં જ સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચેનું નાળું ધોવાયું, અનેક ગામો સંપર્કવિહોણા! | F…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

Recent News

અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…

અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…

બગોદરા-ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત: ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે 7 ગુલાંટ મારી, એકનું મો…

બગોદરા-ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત: ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે 7 ગુલાંટ મારી, એકનું મો…

વડોદરા: પહેલા જ વરસાદમાં જ સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચેનું નાળું ધોવાયું, અનેક ગામો સંપર્કવિહોણા! | F…

વડોદરા: પહેલા જ વરસાદમાં જ સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચેનું નાળું ધોવાયું, અનેક ગામો સંપર્કવિહોણા! | F…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…
GUJARAT

અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…

Cricketer Death In Ahmedabad: અમદાવાદ શહેરના અમદુપુરા વિસ્તારમાં એક અત્યંત ભાવુક અને અનોખી ઘટના જોવા મળી છે. અહીં રહેતા અને...

Read more

બગોદરા-ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત: ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે 7 ગુલાંટ મારી, એકનું મો…

વડોદરા: પહેલા જ વરસાદમાં જ સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચેનું નાળું ધોવાયું, અનેક ગામો સંપર્કવિહોણા! | F…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In