• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’ | indian gov…

satyasamachar by satyasamachar
May 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’ | indian gov…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Government on Gold Monetization: દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા તેમજ કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, કેન્દ્ર સરકાર હવે મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પાસે રહેલા સોનાને મોનેટાઇઝ કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે એવો પણ દાવો કરાયો હતો કે, મંદિરોનું આ સોનું દેશના “સ્ટ્રેટેજિક ગોલ્ડ રિઝર્વ”નો ભાગ બની શકે છે. જોકે, હવે કેન્દ્ર સરકારે આ તમામ દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.

કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે આ અંગે સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરતા જણાવ્યું છે કે, સરકાર પાસે મંદિરોના સોનાને મોનેટાઇઝ કરવાની કોઈ યોજના નથી. મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, મંદિર ટ્રસ્ટો પાસે રહેલા સોનાના બદલામાં કોઈ ગોલ્ડ બોન્ડ જાહેર કરવાની કે તે સોનાનો સરકારના રિઝર્વ માટે ઉપયોગ કરવાની કોઈ જ ચર્ચા કે પ્રક્રિયા ચાલી રહી નથી.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More

શું હતી સમગ્ર અફવા?

સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સ અને અહેવાલો દ્વારા એવો ભ્રામક દાવો કરવામાં આવ્યો હતો કે, સરકાર દેશભરના મોટા મંદિરોના સોનાને દેશના સ્ટ્રેટેજિક ગોલ્ડ રિઝર્વમાં સામેલ કરવા વિચારી રહી છે. આ અફવાઓમાં ખાસ કરીને મંદિરના ગોપુરમ, ગર્ભગૃહના દરવાજા અને અન્ય ધાર્મિક માળખાઓ પર જડેલા સોનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ પ્રકારના દાવાઓને કારણે શ્રદ્ધાળુઓમાં ગેરસમજ ફેલાઈ હતી અને ધાર્મિક સંસ્થાઓમાં પણ ચિંતાની લાગણી સાથે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા નાણાં મંત્રાલયે તાત્કાલિક આગળ આવીને આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવું પડ્યું છે.

👉 Clarification on false claims on monetisation of temple gold holdings

👉 Speculation and rumours suggesting that the Government is planning to introduce monetisation scheme for Gold held by temple trusts, or any religious institution, across the country are completely false,… pic.twitter.com/BcuGaogGM7

— Ministry of Finance (@FinMinIndia) May 19, 2026

સરકારે શું કરી સ્પષ્ટતા?

નાણાં મંત્રાલયે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, ‘સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ તમામ માહિતી સંપૂર્ણપણે ખોટી, ભ્રામક અને બિનઆધારભૂત છે. સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવે છે કે, મંદિર ટ્રસ્ટો હસ્તકના સોનાને કોઈપણ પ્રકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ અથવા સ્ટ્રેટેજિક ગોલ્ડ રિઝર્વ સાથે જોડવાની કોઈ યોજના હાલના તબક્કે અસ્તિત્વમાં નથી.’

મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે, ‘સરકાર દ્વારા કોઈપણ નવી નીતિ કે યોજનાઓ અંગેની માહિતી માત્ર સત્તાવાર પ્રેસ રિલીઝ, સરકારી વેબસાઇટ્સ અથવા અધિકૃત સરકારી માધ્યમો દ્વારા જ જાહેર કરવામાં આવે છે. તેથી, નાગરિકોએ સોશિયલ મીડિયા પર ફરતી આવી અપ્રમાણિત માહિતી પર બિલકુલ વિશ્વાસ ન કરવો જોઈએ.’

લોકોને મંત્રાલયની અપીલ

કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આવી ભ્રામક અફવાઓને સોશિયલ મીડિયા પર આગળ શેર ન કરે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આવી ખોટી માહિતી સમાજમાં બિનજરૂરી ગેરસમજ અને ભયનો માહોલ પેદા કરી શકે છે. આ સાથે જ લોકોને માત્ર સત્તાવાર સ્ત્રોતો પરથી મળતી માહિતીને જ સાચી માનવાની સલાહ આપવામાં આવી છે.

શું છે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ?

ભારત સરકારે વર્ષ 2015માં ‘ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ’ની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ સામાન્ય નાગરિકો અને સંસ્થાઓ પોતાના ઘરમાં કે લોકરમાં પડેલા નિષ્ક્રિય સોનાને બેંકોમાં જમા કરાવીને તેના પર નિયમિત વ્યાજ મેળવી શકે છે. જોકે, હાલમાં મંદિરોના સોનાને લઈને જે દાવા કરવામાં આવ્યા હતા, તે સંદર્ભે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ નવી યોજના પર સરકાર કોઈ વિચારણા કરી રહી નથી. નાણાં મંત્રાલયની આ સત્તાવાર અને મક્કમ સ્પષ્ટતા બાદ હવે મંદિરોના સોનાના મોનેટાઇઝેશનને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી તમામ અફવાઓ અને અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.



Next Post
PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In