• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…

satyasamachar by satyasamachar
May 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More


Online Pharmacy Vs Retail Medical Stores: આજના ડિજિટલ યુગમાં એક ક્લિક પર કપડાં અને કરિયાણાની જેમ દવાઓ પણ ઘરબેઠા આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી જાય છે. આ સુવિધા ગ્રાહકોને ખૂબ સુવિધાજનક લાગે છે, પરંતુ તેની પાછળ એક મોટું આર્થિક અને આરોગ્ય સંબંધિત સંકટ આકાર લઈ રહ્યું છે. ભારતભરના 12.4 લાખથી વધુ કેમિસ્ટ અને ફાર્માસ્યુટિકલ વિતરકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ‘ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ'(AIOCD)એ 20 મેના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. મોટા કોર્પોરેટ-સમર્થિત ઓનલાઇન ફાર્મસી પ્લેટફોર્મ્સ અને ક્વિક-કોમર્સ એપ્સ સામે પરંપરાગત મેડિકલ સ્ટોર સંચાલકો કેમ રસ્તા પર ઉતરવા મજબૂર થયા છે અને આ વિવાદ શું છે, ચાલો સમજીએ.

વિવાદનું મુખ્ય કારણ: ઈ-ફાર્મસી પર કડક ધોરણોનો અભાવ

આ વિવાદનું મુખ્ય કારણ ઈ-ફાર્મસી પ્લેટફોર્મનો સતત વધતો જતો વ્યાપ અને ઓનલાઇન દવા વેચાણને નિયંત્રિત કરતી અપૂરતી સરકારી દેખરેખ છે. કેમિસ્ટ સંગઠનોનો આક્ષેપ છે કે ઓનલાઇન દવા વેચતા પ્લેટફોર્મ્સ નબળા નિયમન હેઠળ કામ કરી રહ્યા છે. તેઓ પ્રિસ્ક્રિપ્શન, સ્ટોરેજની યોગ્ય શરતો અને ડિલિવરીના કડક ધોરણોની ચકાસણી કર્યા વિના જ આડેધડ દવા વેચી રહ્યા છે. આ સંગઠનના પ્રમુખ જે. એસ. શિંદે અને મહા મંત્રી રાજીવ સિંઘલે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, ‘આ ફક્ત વેપારનો મુદ્દો નથી, પરંતુ દર્દીની સલામતીનો મામલો છે.’

દર્દીઓની સુરક્ષા પર મોટું જોખમ: AI અને નકલી પ્રિસ્ક્રિપ્શન

કેમિસ્ટ ઍસોસિએશનનું કહેવું છે કે ઓનલાઇન દવા વિક્રેતાઓ પ્રિસ્ક્રિપ્શનની ચકાસણી કરતા નથી, જેના કારણે અનેક ગંભીર જોખમો ઊભા થયા છે.

  • એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ: દર્દીઓ એક જ જૂના પ્રિસ્ક્રિપ્શન પરથી વારંવાર ઓનલાઇન દવાઓ મંગાવે છે.
  • નશાકારક અને એન્ટિબાયોટિક્સનો દુરુપયોગ: એન્ટિબાયોટિક્સ અને વ્યસનકારક દવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે.
  • AI જનરેટેડ પ્રિસ્ક્રિપ્શન: આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવેલા પ્રિસ્ક્રિપ્શન બતાવીને ઓનલાઇન દવાઓ ખરીદવાનું જોખમ વધી ગયું છે.
  • એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR): ડૉક્ટરની સલાહ વિના ઓનલાઇન એન્ટિબાયોટિક્સના અનિયંત્રિત વપરાશને કારણે શરીરમાં દવાઓ અસર કરતી બંધ થઈ જાય છે, જે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય માટે મોટો ખતરો છે.

અદૃશ્ય આર્થિક યુદ્ધ: ‘ડીપ ડિસ્કાઉન્ટિંગ’ અને અન્યાયી સ્પર્ધા

નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત મેડિકલ સ્ટોર્સ ખૂબ જ ઓછા નફાના માર્જિન પર કામ કરે છે. બીજી તરફ, મોટા કોર્પોરેટ જૂથોના પીઠબળ ધરાવતી ઈ-ફાર્મસીઓ ગ્રાહકોને આકર્ષવા માટે 50 ટકા સુધીનું આક્રમક ડિસ્કાઉન્ટ આપે છે. સ્થાનિક કેમિસ્ટો માટે આટલું મોટું ડિસ્કાઉન્ટ આપવું આર્થિક રીતે શક્ય નથી. આથી બજારમાં ‘અન્યાયી સ્પર્ધા’ ઊભી થઈ રહી છે, જે નાના કેમિસ્ટોના અસ્તિત્વને જોખમમાં મૂકી રહી છે. કેમિસ્ટોની માંગ છે કે સરકારે આ પ્રિડેટરી પ્રાઇઝિંગ (Predatory Pricing) રોકવી જોઈએ અને બજારમાં બધા માટે સમાન તક એટલે કે ‘લેવલ પ્લેઇંગ ફીલ્ડ’ નીતિ લાવવી જોઈએ.

આ પણ વાંચો : સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ!

કોવિડ-યુગના નિયમો અને બે વિવાદાસ્પદ નોટિફિકેશન

આ સમગ્ર વિવાદના મૂળમાં સરકારના બે મુખ્ય નોટિફિકેશન (જાહેરનામા) છે, જેને લઈને કેમિસ્ટો ભારે વિરોધ કરી રહ્યા છે.

1. G.S.R. 220(E) નોટિફિકેશન ઃ માર્ચ 2020માં દેશમાં કોવિડ-19 મહામારીના કારણે કટોકટી અને લોકડાઉનની સ્થિતિ હતી, ત્યારે સરકારે દર્દીઓ સુધી દવાઓ સરળતાથી પહોંચી શકે તે માટે કામચલાઉ ધોરણે G.S.R. 220(E) નોટિફિકેશન જાહેર કર્યું હતું, જે અંતર્ગત દવાઓની હોમ ડિલિવરી માટે નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી. કેમિસ્ટોનો આરોપ છે કે મહામારી પૂરી થઈ ગઈ હોવા છતાં સરકારે આ કામચલાઉ છૂટછાટ ચાલુ રાખી છે. આનાથી બજારમાં એવી છટકબારીઓ ઊભી થઈ છે જેનો ગેરફાયદો ઈ-ફાર્મસી અને ક્વિક-કોમર્સ મેડિસિન એપ્સ ઉઠાવી રહી છે. આ છૂટછાટો પ્રિસ્ક્રિપ્શન દવાના વેચાણને નિયંત્રિત કરતા ‘ડ્રગ નિયમ 65’ હેઠળના સલામતી પગલાંને નબળા પાડે છે.

2. G.S.R. 817(E) નોટિફિકેશન : બીજો વિવાદનો મુદ્દો G.S.R. 817(E)નો ડ્રાફ્ટ છે. આ ડ્રાફ્ટમાં ઈ-ફાર્મસીઓને નિયંત્રિત કરવા માટે ફરજિયાત નોંધણી, પ્રિસ્ક્રિપ્શન તપાસ, ઓપરેશનલ સેફગાર્ડ્સ (સુરક્ષા ઉપાયો) અને નિયમોના ઉલ્લંઘન બદલ દંડની જોગવાઈઓ પ્રસ્તાવિત કરાઈ હતી. જો કે, સરકારે આ ડ્રાફ્ટનો ઔપચારિક રીતે અમલ પણ ન કર્યો અને તેને પાછો પણ ન ખેંચ્યો. સ્પષ્ટ કાનૂની માળખાના અભાવે ઈ-ફાર્મસીઓ કોઈપણ રોકટોક વિના બિન્ધાસ્ત કામ કરી રહી છે, જેનો કેમિસ્ટો વિરોધ કરી રહ્યા છે અને તેને રદ કરવાની માંગ કરી રહ્યા છે.

સરકારની પ્રતિક્રિયા અને હડતાળની અસરો

તાજેતરમાં કેમિસ્ટ ઍસોસિયેશનના સભ્યોએ કેન્દ્રીય દવા નિયમનકારના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓએ ખાતરી આપી છે કે આ મુદ્દો હાલમાં આરોગ્ય મંત્રાલયની સમીક્ષા હેઠળ છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર ઠાલા આશ્વાસનો મળતા હોવાથી કેમિસ્ટો સંતુષ્ટ નથી.

શું દેશમાં દવાઓની કમી સર્જાશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ અંગે મેમોરેન્ડમ સુપરત કરાયું છે. કેમિસ્ટોએ ચેતવણી આપી છે કે જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. 20 મેના રોજ યોજાનારી આ હડતાળથી નાના શહેરો અને અર્ધ-શહેરી વિસ્તારોમાં નિયમિત દવા ખરીદી પર થોડી અસર પડી શકે છે કારણ કે ત્યાં સ્થાનિક ફાર્મસીઓ જ મુખ્ય સ્રોત છે. જો કે, ઍસોસિયેશને સ્પષ્ટ કર્યું છે કે ઈમરજન્સી દવાઓ તમામ જગ્યાએ ઉપલબ્ધ રહેશે.

બધાં રાજ્યો હડતાળમાં સામેલ નહીં થાય

બીજી તરફ, પશ્ચિમ બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઓછામાં ઓછા 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રિટેલ ફાર્મસી ઍસોસિએશનોએ ‘જાહેર હિત’ અને દર્દીઓ સુધી દવાઓની અવિરત પહોંચ જાળવી રાખવા માટે આ હડતાળથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. ઘણાં સંગઠનો હડતાળમાં ન જોડાવાના હોવાથી 20 મેના રોજ દવા પુરવઠા પરની અસર મર્યાદિત રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો : જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર

Next Post
અમદાવાદમાં લૂંટારુઓ સક્રિય: ‘કાર કેમ ભટકાડી?’ કહીને ગાડી પડાવી લીધી | ECO Car Looted On Vastral Ring…

અમદાવાદમાં લૂંટારુઓ સક્રિય: ‘કાર કેમ ભટકાડી?’ કહીને ગાડી પડાવી લીધી | ECO Car Looted On Vastral Ring…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In