અમદાવાદ,ગુરુવાર,21
મે,2026
અમદાવાદના નાગરિકોને સમયસર એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.બસ
મળે એ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ૭૯ સ્પોટ ઉપરના દબાણ,વાહનોનુ ગેરકાયદે
પાર્કિંગ હટાવશે.તંત્રના તારણ મુજબ,
લોકો દ્વારા રોંગ સાઈડમાં વાહન ચલાવવાની આદત,ટ્રાફિક નિયમનમાં બેદરકારીના કારણે મ્યુનિ.બસો મોડી પહોંચતી
હતી.બસોની સ્પીડ ઘટતી હતી.આ કારણથી બસો સમયસર ટ્રિપ પુરી કરી શકતી નહોતી.
એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ની બસોમાં દૈનિક સાત લાખ લોકો
મુસાફરી કરે છે.હાલમાં બંનેની થઈ ૧૨૫૦ બસો ઓનરોડ દોડાવાઈ રહી છે.આગામી બે વર્ષમાં
ત્રણ હજાર એ.સી.બસ ઉમેરવા આયોજન કરવામા આવ્યુ છે.બસો મોડી પડતી હોવાની વ્યાપક
ફરિયાદ પછી કોર્પોરેશન દ્વારા એક સર્વે કરાવવામા આવ્યો હતો.બસો સમયસર પહોંચતી નહી
હોવાથી મુસાફરોને વધુ રાહ જોવી પડતી હતી.કેટલીક જગ્યાએ પીક અવર્સમા બસોને લાંબા
સમય સુધી અટવાઈ રહેવુ પડતુ હતુ.આ પરિસ્થિતિને ધ્યાનમા રાખી એસ્ટેટ ઉપરાંત ટ્રાફિક
તથા અન્ય સંબંધિત વિભાગ દ્વારા સંયુકત કામગીરી શરુ કરવામા આવી છે.ટ્રાફિક અવરોધ
દુર થતા જરુરી સ્થળોએ પાર્કિંગની સુવિધા ઉભી કરવાની કામગીરી શરુ કરવામા આવી
છે.આગામી સમયમાં ઈલેકટ્રિક બસો વધારવાની સાથે ટ્રાફિક મેનેજમેન્ટ ઉપર વિશેષ ધ્યાન
કેન્દ્રિત કરવામા આવશે.
ટ્રાફિક જામના મુખ્ય સ્પોટ કયા-કયા?
ગીતા મંદિર,અપના
બજાર, કાલુપુર
બસ ટર્મિનસ,દિલ્હી
ચકલા,દિલ્હી
દરવાજા, રાયપુર
દરવાજા,રેંટિયાવાડી, સરદારબાગ,સારંગપુર, સિવિલ હોસ્પિટલ,સીટીએમ ક્રોસ રોડ, અજીત મિલ ચાર
રસ્તા, અસલાલી
રીંગ રોડ, લાલગેબી આશ્રમ, વિરાટનગર,સત્યમ નગર, સોનીની ચાલી, સ્વસ્તિક ચાર
રસ્તા(અમરાઈવાડી), હાટકેશ્વર
સર્કલ,ઈસ્કોન
મંદિર, ગુરૃકુળ,ગોતા સર્કલ,ચાંદલોડીયા અને
થલતેજ ગામ, થલતેજ
ચાર રસ્તા,પકવાન
સર્કલ, વૈષ્ણોદેવી
સર્કલ,સોલાબ્રિજ, એસ.ટી.વર્કશોપ,પાટીયા,ઈન્દિરાબ્રિજ
સર્કલ,ઓઢવ
જીઆઈડીસી, ઓઢવ
રીંગરોડ,કલાપીનગર, કુશ સોસાયટી, ઠકકરબાપાનગર
એપ્રોચ,દાસ્તાન
સર્કલ,નરોડા
ગામ સર્કલ,નરોડા
ફ્રૂટ માર્કેટ,નાના
ચિલોડા,બાપુનગર
ચાર રસ્તા,મેઘાણીનગર,રણાસણ સર્કલ,વસ્ત્રાલ રીંગ
રોડ,શારદાબેન
હોસ્પિટલ,સમજુબા
હોસ્પિટલ,જીવરાજ
પાર્ક,વેજલપુર,ઈસનપુર, વી.એસ.હોસ્પિટલ
બંને તરફ,અંકુર
ચાર રસ્તા,ઈન્કમ
ટેકસ,ગુજરાત
યુનિવર્સિટી,પાલડી,નવરંગપુરા, વાસણા,વાડજ,વિસત સર્કલ















