• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આખરે પવન ખેડાની ‘તપસ્યા’ થઈ પૂરી! કોંગ્રેસે ખડગે સહિત આ દિગ્ગજોને મોકલ્યા રાજ્યસભા, જુઓ લિસ્ટ | Cong…

satyasamachar by satyasamachar
June 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આખરે પવન ખેડાની ‘તપસ્યા’ થઈ પૂરી! કોંગ્રેસે ખડગે સહિત આ દિગ્ગજોને મોકલ્યા રાજ્યસભા, જુઓ લિસ્ટ | Cong…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

Load More


Congress Rajya Sabha Candidates: રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કેટલાક નામ એવા છે જે અગાઉથી જ નક્કી માનવામાં આવતા હતા, કેટલાક એવા છે જેઓ સંગઠનમાં લાંબા સમયથી કામ કરી રહ્યા હતા અને કેટલાક એવા નામ છે જેમની પસંદગી પાછળ સ્પષ્ટ રાજકીય સંદેશ છુપાયેલો છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચા કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રમુખ પવન ખેડાની થઈ રહી છે, જેમને આખરે રાજ્યસભાની ટિકિટ મળી ગઈ છે. આ એ જ પવન ખેડા છે, જેમણે ગત વખતે ટિકિટ ન મળવા પર કહ્યું હતું કે, ‘કદાચ મારી તપસ્યામાં કોઈ ખામી રહી ગઈ હશે.’

કોંગ્રેસે ખડગે સહિત આ દિગ્ગજોને મોકલ્યા રાજ્યસભા

કોંગ્રેસે કર્ણાટકથી પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પવન ખેડા અને મન્સૂર અલી ખાનને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ મધ્ય પ્રદેશથી મીનાક્ષી નટરાજન, રાજસ્થાનથી નીરજ ડાંગી, તમિલનાડુથી પ્રવીણ ચક્રવર્તી અને ઝારખંડથી પ્રણવ ઝાને મેદાનમાં ઉતાર્યા છે. આ નામો દ્વારા કોંગ્રેસે સંગઠન, સામાજિક સંતુલન અને પ્રાદેશિક રાજકારણને સાધવાનો પ્રયાસ કર્યો છે.

પવન ખેડા: લાંબી પ્રતીક્ષા બાદ મળી રાજ્યસભાની ટિકિટ

આ યાદીમાં સૌથી ચર્ચિત નામ પવન ખેડાનું છે. છેલ્લા ઘણા વર્ષોથી મીડિયા અને ટીવી ડિબેટ્સમાં કોંગ્રેસનો પક્ષ મજબૂતીથી રજૂ કરનારા ખેડા પાર્ટીના સૌથી પ્રખર ચહેરાઓમાં ગણાય છે. વર્ષ 2024માં જ્યારે રાજ્યસભાની યાદી આવી અને તેમાં તેમનું નામ નહોતું, ત્યારે તેમણે એક ભાવુક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘કદાચ મારી તપસ્યામાં કોઈ ખામી રહી ગઈ હશે.’ આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ હતી. પાર્ટીની અંદર પણ એવું માનવામાં આવતું હતું કે ખેડા લાંબા સમયથી રાજ્યસભાના પ્રબળ દાવેદાર છે.

હવે કોંગ્રેસે તેમને કર્ણાટકથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કરીને એવો સંકેત આપ્યો છે કે સંગઠન માટે સતત કામ કરનારાઓને આખરે સન્માન મળે જ છે. રાહુલ ગાંધી અને ખડગે નેતૃત્વના નજીકના ગણાતા ખેડા હવે સંસદની અંદર કોંગ્રેસનો અવાજ બની શકે છે.

મલ્લિકાર્જુન ખડગે: અધ્યક્ષની સંસદમાં વાપસી

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનો રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હતો. પાર્ટીએ તેમને ફરી એકવાર કર્ણાટકથી ઉમેદવાર બનાવીને સ્પષ્ટ કરી દીધું છે કે આગામી વર્ષોમાં પણ તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં બન્યા રહેશે. 84 વર્ષની ઉંમરે પણ ખડગે વિપક્ષના રાજકારણના સૌથી મહત્વપૂર્ણ ચહેરાઓમાંથી એક છે. સંસદની અંદર સરકારને ઘેરવાથી લઈને INDIA ગઠબંધનને એકજૂથ રાખવા સુધી તેમની ભૂમિકા સતત વધી છે. કોંગ્રેસ નેતૃત્વ માને છે કે રાજ્યસભામાં ખડગેની હાજરી પાર્ટી માટે જરૂરી છે. આ જ કારણ છે કે તેમની ઉમેદવારી લગભગ નક્કી માનવામાં આવી રહી હતી.

મન્સૂર અલી ખાન

કર્ણાટકથી કોંગ્રેસે મન્સૂર અલી ખાનને પણ ટિકિટ આપી છે. તેમની પસંદગી માત્ર એક નેતાને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય નથી માનવામાં આવી રહ્યો, પરંતુ તેની પાછળ સામાજિક અને રાજકીય સંદેશ પણ છે. કોંગ્રેસ લાંબા સમયથી પોતાને લઘુમતીઓનો અવાજ ગણાવતી આવી છે. કર્ણાટકમાં પાર્ટીની મજબૂત સરકાર હોવા છતાં તેને પોતાના પરંપરાગત વોટ બેંકને સતત પોતાની સાથે જાળવી રાખવાની જરૂર છે. મન્સૂર અલી ખાનને ટિકિટ આપીને કોંગ્રેસે મુસ્લિમ સમુદાયને પ્રતિનિધિત્વ આપવાનો સંદેશ આપ્યો છે. આ સાથે જ આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વિપક્ષ સતત પ્રતિનિધિત્વ અને સામાજિક ભાગીદારીના મુદ્દા ઉઠાવી રહ્યો છે.

મીનાક્ષી નટરાજન: રાહુલ ગાંધીના વિશ્વાસુ સહયોગી

મધ્ય પ્રદેશથી મીનાક્ષી નટરાજનને ટિકિટ મળવી પણ ખાસ માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને સંગઠનમાં લાંબા સમયથી સક્રિય મીનાક્ષી નટરાજનને રાહુલ ગાંધીના નજીકના નેતાઓમાં ગણવામાં આવે છે. તેઓ એવા નેતાઓમાંથી એક છે જેમણે ચૂંટણીમાં હાર-જીતથી પરે રહીને સંગઠન માટે સતત કામ કર્યું છે. ભારત જોડો યાત્રા અને ત્યારપછીના કાર્યક્રમોમાં પણ તેમની સક્રિય ભૂમિકા રહી. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ લાંબા સમયથી મજબૂત નેતૃત્વની શોધ કરી રહી છે. આવી સ્થિતિમાં મીનાક્ષી નટરાજનને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય સંગઠન પ્રત્યેના સમર્પણને સન્માન આપવા તરીકે જોવામાં આવી રહ્યો છે.

આખરે પવન ખેડાની 'તપસ્યા' થઈ પૂરી! કોંગ્રેસે ખડગે સહિત આ દિગ્ગજોને મોકલ્યા રાજ્યસભા, જુઓ લિસ્ટ 2 - image

નીરજ ડાંગી: રાજસ્થાનમાં સંતુલન સાધવાનો પ્રયાસ

રાજસ્થાનથી કોંગ્રેસે વર્તમાન સાંસદ નીરજ ડાંગી પર ફરી એકવાર ભરોસો મૂક્યો છે. ડાંગી અશોક ગેહલોત જૂથના વિશ્વાસુ નેતાઓમાંથી એક માનવામાં આવે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે સંસદમાં પણ સક્રિય ભૂમિકા ભજવી છે. રાજસ્થાન કોંગ્રેસ લાંબા સમયથી જૂથબંધીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં કોઈ નવા ચહેરાને લાવવાને બદલે ડાંગીને ફરી તક આપીને પાર્ટીએ સ્થિરતાનો સંદેશ આપ્યો છે. આ નિર્ણય એ પણ દર્શાવે છે કે કોંગ્રેસ હાલમાં રાજસ્થાનમાં કોઈ નવા વિવાદથી બચવા માગે છે.

આ પણ વાંચો: રાજકારણમાં ભૂકંપ: TMCના 23 સાંસદો બળવાખોર જૂથના સંપર્કમાં, મમતા બેનરજીએ બોલાવી બેઠક

પ્રવીણ ચક્રવર્તી: રાહુલ ગાંધીના ‘ડેટા મેન’ને તક

તમિલનાડુથી પ્રવીણ ચક્રવર્તીનું નામ સૌથી અલગ માનવામાં આવી રહ્યું છે. તેઓ પરંપરાગત અર્થમાં જનનેતા નથી, પરંતુ કોંગ્રેસની વ્યૂહાત્મક ટીમમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. પ્રવીણ ચક્રવર્તીને રાહુલ ગાંધીની આર્થિક અને ડેટા આધારિત વ્યૂહરચનાઓના પ્રમુખ વાસ્તુકાર માનવામાં આવે છે. ભારત જોડો યાત્રાથી લઈને ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા સુધીની ઘણી મહત્વપૂર્ણ યોજનાઓમાં તેમની ભૂમિકા રહી છે. કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલીને એવો સંકેત આપ્યો છે કે પાર્ટી હવે માત્ર જનાધાર ધરાવતા નેતાઓને જ નહીં, પરંતુ નીતિ અને વ્યૂહરચના બનાવનારા  પ્રોફેશનલ ચહેરાઓને પણ મહત્વ આપી રહી છે.

પ્રણવ ઝા: ઝારખંડમાં સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ

ઝારખંડથી પ્રણવ ઝાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં કોંગ્રેસ ઝારખંડ મુક્તિ મોરચા સાથે ગઠબંધનમાં છે અને ત્યાં પોતાની સંગઠનાત્મક સ્થિતિ મજબૂત કરવા માંગે છે. પ્રણવ ઝા લાંબા સમયથી સંગઠનમાં સક્રિય રહ્યા છે. તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કોંગ્રેસના એ પ્રયાસોનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે, જેના દ્વારા પાર્ટી રાજ્યોમાં નેતૃત્વની બીજી હરોળના નેતૃત્વને આગળ વધારવા માંગે છે. ઝારખંડમાં કોંગ્રેસનો સ્વતંત્ર રાજકીય આધાર મર્યાદિત છે, તેથી સંગઠનના સમર્પિત નેતાઓને આગળ લાવવાની વ્યૂહરચના મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સંગઠન, વફાદારી અને સામાજિક સંતુલનનું મિશ્રણ

કોંગ્રેસની આ યાદી પર નજર કરીએ તો સ્પષ્ટપણે દેખાય છે કે પાર્ટીએ માત્ર ચૂંટણીનું ગણિત જ નથી જોયું. પવન ખેડા અને મીનાક્ષી નટરાજન જેવા નેતાઓને સંગઠનમાં લાંબા સમયના યોગદાનનું ઈનામ મળ્યું છે. ખડગેના માધ્યમથી અનુભવ અને નેતૃત્વને જાળવી રાખવામાં આવ્યા છે. મન્સૂર અલી ખાન દ્વારા સામાજિક પ્રતિનિધિત્વનો સંદેશ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ પ્રવીણ ચક્રવર્તી જેવા રણનીતિકારને તક આપીને કોંગ્રેસે ભવિષ્યના રાજકારણની ઝલક પણ બતાવી છે. આ યાદી દર્શાવે છે કે કોંગ્રેસ હાલમાં બે મોરચે કામ કરી રહી છે- એક તરફ જૂના અને વફાદાર નેતાઓને સન્માન આપવું અને બીજી તરફ નવી રાજકીય તથા વ્યૂહાત્મક જરૂરિયાતો મુજબ ટીમ તૈયાર કરવી. આ યાદીમાં ભલે સૌથી વધુ ચર્ચા પવન ખેડાની થઈ રહી હોય, પરંતુ વાસ્તવમાં આ યાદી કોંગ્રેસના આગામી રાજકીય રોડમેપની પણ ઝલક આપે છે.

Next Post
રાજકારણમાં ભૂકંપ: TMCના 23 સાંસદો બળવાખોર જૂથના સંપર્કમાં, મમતા બેનરજીએ બોલાવી બેઠક | tmc party spli…

રાજકારણમાં ભૂકંપ: TMCના 23 સાંસદો બળવાખોર જૂથના સંપર્કમાં, મમતા બેનરજીએ બોલાવી બેઠક | tmc party spli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

Recent News

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…
GUJARAT

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

ઇરાન તરફથી કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરાઈ નથી સમજૂતીના સંકેત છતાં ઇરાનમાં હજી પણ લોકોને વિશ્વાસ નથી કે સમજૂતી થશે,...

Read more

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In