![]()
Farmers Tractor Rally: ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે દેખાવો કરવા માટે આજે (15મી જૂન) અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટર રેલી કાઢીને સાથે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવશે. જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ભાગ લેશે. કોંગ્રેસે જણાવ્યાનુસાર, સરકાર કહે છે જગતનો તાત પરંતુ તેને અવારનવાર પડે છે સરકારની લાત. સરકારની આયોજન વગરની નીતિના કારણે ખેડૂત પિસાઈ રહ્યા છે. ગુજરાત સરકારના મિનિસ્ટર, કલેક્ટર, પોલીસ અધિકારીઓ બળજબરીથી ખેડૂતોના ખેતરમાં કંપનીની લાઈનો નખાવી રહ્યા છે.
ગાંધીનગર ખાતે 1111 ટ્રેક્ટરો સાથે એકઠા થશે
મળતી માહિતી મુજબ, કિસાન કોંગ્રેસ – કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત નેજા હેઠળ ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી આજે 11 કલાકે ખેડૂતો શાંતિપુરા સર્કલથી કુચ કરીને ગાંધીનગર ખાતે 1111 ટ્રેક્ટરો સાથે એકઠા થશે. ટ્રેક્ટર માર્ચ રાજ્યની રાજધાની તરફ આગળ વધશે અને સરકાર સમક્ષ ખેડૂતોની માંગણીઓ સીધી રજૂ કરશે.
આ પણ વાચો: NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા
રેલીમાં એ.આઈ.સી.સી. સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ યાત્રાના સંકલન અને આયોજનમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળશે. ખેડૂત અધિકાર રેલીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના વરિષ્ઠ આગેવાનો સંબોધન કરશે.















