• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અદાણી સેઝને આપેલી ગૌચરની 108 હેક્ટર જમીન પાછી લેવાનો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમે રદ કર્યો | Adani SEZ G…

satyasamachar by satyasamachar
January 30, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અદાણી સેઝને આપેલી ગૌચરની 108 હેક્ટર જમીન પાછી લેવાનો હાઈકોર્ટનો આદેશ સુપ્રીમે રદ કર્યો | Adani SEZ G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


Gujarat High Court News: કચ્છના મુંદ્રા તાલુકાના નવીનાળ ગામની 108 હેકટર ગૌચરની જમીન અદાણી સેઝ પાસેથી પાછી લઈ લેવાના રાજ્ય સરકારના વિવાદીત નિર્ણયને અને ગુજરાત હાઇકોર્ટના આ અંગેના હુકમને અદાણી જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેની આખરી સુનાવણીના અંતે સુપ્રીમકોર્ટે એક અગત્યના આદેશ મારફતે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડને ફાળવાયેલી જમીન પરત લેવાના સરકારના નિર્ણયને અને આ અંગેના ગુજરાત હાઇકોર્ટના હુકમને રદબાતલ ઠરાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને પગલે અદાણી જૂથને બહુ મોટી રાહત મળી છે. 

અદાણી પોટ્‌ર્સ એન્ડ સેઝ લિ.ને મોટી રાહત 

અગાઉ 10 જૂલાઈ 2024ના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથની ખંડપીઠે ગૌચરની જમીન પાછી લેવા અંગેના હુકમ સામે મનાઈહુકમ ફરમાવી દીધો હતો. આ દરમિયાન કેસમાં તમામ પક્ષકારોની દલીલો પૂર્ણ થયા બાદ સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં અદાણી સેઝ પાસેથી જમીન પાછી લઈ લેવા અંગેના ગુજરાત સરકારના 4-7-2024ના નિર્ણય અને તેના અનુસંધાનમાં ગુજરાત હાઇકોર્ટે જાહેર કરેલા 5-7-2024ના હુકમને રદબાતલ ઠરાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પગલે ગૌચર જમીન અંગેના તમામ હક્કો અદાણી કંપની પાસે અબાધિત રહેશે, સાથે સાથે અદાણી પોટ્‌ર્સ એન્ડ સેઝ લિ.ને મોટી રાહત મળી છે.

આ પણ વાંચો: SIR વિવાદમાં: મતદારોના નામ રદ કરવા 9.88 લાખ ફોર્મ-7 ભરાયા, ચૂંટણી પંચના મૌનથી બબાલ!

જાણો શું છે સમગ્ર મામલો

કેસની વિગતો મુજબ, રાજય સરકાર દ્વારા ગત 15-7-2005ના રોજ કચ્છના મુંદ્રા તાલુકાના નવીનાળ ગામે 9,34,829 હેકટર ગૌચરની જમીન અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડને સ્પેશ્યલ ઇકોનોમીક ઝોન(સેઝ)ના વિકાસ માટે સરકાર દ્વારા નિયત કરાયેલ અવેજની ચૂકવણી થયા બાદ ફાળવવામાં આવી હતી. બાદમાં આ જમીનને કેન્દ્ર સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સેઝ જમીન તરીકે પણ સૂચિત કરવામાં આવી હતી. 

જો કે, વર્ષ 2011માં કચ્છના મુંદ્રા તાલુકાના નવી નાળ ગામની ગૌચરની કિંમતી જમીન ગુજરાત સરકાર દ્વારા અદાણી જૂથને સેઝ માટે ફાળવવાના જાહેરનામા અને નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી મારફતે પડકારવામાં આવ્યો હતો. જેમાં અદાણી કંપનીને ફાળવાયેલી જમીન પરત લેવાની માંગણી કરાઇ હતી. 

જેમાં હાઇકોર્ટની ગંભીર ટકોર અને આલોચના બાદ રાજય સરકાર દ્વારા 4-7-2024ના નિર્ણયથી નવીનાળ ગામની અદાણીને ફાળવાયેલી ગૌચરની 108 હેકટર જમીન પરત લઇ લીધી હતી. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણયની જાણ કરતું સોગંદનામું પણ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાનમાં ગુજરાત હાઇકોર્ટે 5-7-2024ના આદેશ મારફતે સરકારને ઉપરોકત ગૌચરની જમીન પરત લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવા હુકમ કર્યો હતો. 

બીજી તરફ, ગુજરાત હાઇકોર્ટના આ હુકમના નારાજ થઇ અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિ. દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે,લગભગ  બે દાયકા પહેલાં કંપનીને ફાળવાયેલી જમીન પરત લેવાનો આદેશ તેઓને કોઇપણ પ્રકારની નોટિસ આપ્યા વિના ગુજરાત સરકારે નિર્ણય લીધો છે, તેથી તે બિલકુલ ગેરકાયદે, અયોગ્ય અને રદબાતલ થવાપાત્ર ઠરે છે. ગુજરાત સરકારનો નિર્ણય કુદરતી ન્યાયના સિઘ્ધાંત વિરૂદ્ધનો અને ગેરકાયદે હોઇ તેને સુપ્રીમ કોર્ટે રદ કરવો જોઇએ. અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિ., ગુજરાત સરકાર સહિતના તમામ પક્ષકારોની રજૂઆત અને દલીલોની સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે આખરે અદાણી સેઝને ફાળવાયેલી જમીન પરત લેવા અંગેના રાજ્ય સરકારના નિર્ણયને તેમ જ ગુજરાત હાઇકોર્ટના આ અંગેના હુકમને રદબાતલ ઠરાવ્યા હતા. 

Next Post
રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગના નવા નિયમો જાહેર, નાગરિકો માટે મહત્વના ફેરફાર | Tatkal Ticket New Guid…

રેલવેમાં તત્કાલ ટિકિટ બુકિંગના નવા નિયમો જાહેર, નાગરિકો માટે મહત્વના ફેરફાર | Tatkal Ticket New Guid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja…

ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja…

અમદાવાદ: સુભાષબ્રિજનું ટેન્ડર મંજૂર, 391 કરોડના ખર્ચે બનશે આઠ લેન, ખાસ ટેકનિકનો કરાશે ઉપયોગ | Ahmeda…

અમદાવાદ: સુભાષબ્રિજનું ટેન્ડર મંજૂર, 391 કરોડના ખર્ચે બનશે આઠ લેન, ખાસ ટેકનિકનો કરાશે ઉપયોગ | Ahmeda…

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

Recent News

ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja…

ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja…

અમદાવાદ: સુભાષબ્રિજનું ટેન્ડર મંજૂર, 391 કરોડના ખર્ચે બનશે આઠ લેન, ખાસ ટેકનિકનો કરાશે ઉપયોગ | Ahmeda…

અમદાવાદ: સુભાષબ્રિજનું ટેન્ડર મંજૂર, 391 કરોડના ખર્ચે બનશે આઠ લેન, ખાસ ટેકનિકનો કરાશે ઉપયોગ | Ahmeda…

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja…
GUJARAT

ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિઓની જાહેરાત, સ્થાનિક ચૂંટણી માટે જૂના જોગીઓના શીરે જવાબદારી | Guja…

Gujarat Congress: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. કોંગ્રેસે કાચું ન કાપતા પહેલાથી જ ગુજરાત કોંગ્રેસની સ્ટેટ લેવલ સમિતિની...

Read more

અમદાવાદ: સુભાષબ્રિજનું ટેન્ડર મંજૂર, 391 કરોડના ખર્ચે બનશે આઠ લેન, ખાસ ટેકનિકનો કરાશે ઉપયોગ | Ahmeda…

જેતલપુરધામમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સંગમ: દ્વિશતાબ્દી મહોત્સવમાં મોહન ભાગવત રહ્યા ઉપસ્થિતિ | Jetalp…

વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will …

નસવાડીમાં ‘નલ સે છલ’: કુકરદામાં 3 વર્ષથી ટાંકી-નળ તૈયાર પણ પાણીનું ટીપુંય ટપક્યું નથી, 82 કરોડની યોજ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In