• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, July 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદની રથયાત્રા માટે ભગવાનના સાત જોડી વિશેષ વાઘા તૈયાર, કાપડ ખાસ વૃંદાવનથી મંગાવાયું | Ahmedabad …

satyasamachar by satyasamachar
June 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદની રથયાત્રા માટે ભગવાનના સાત જોડી વિશેષ વાઘા તૈયાર, કાપડ ખાસ વૃંદાવનથી મંગાવાયું | Ahmedabad …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Load More


Ahmedabad Ready For The 149th Rath Yatra: અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આગામી 16મી જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા માટે જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ મંદિર પરિસરમાં ભગવાનના ત્રણેય રથનું સમારકામ, રંગરોગાન અને ઉપેણી બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ ઉત્સાહભર્યા માહોલ વચ્ચે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે વિશેષ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે રથયાત્રામાં જોડાનારા ગજરાજ, સુરક્ષા વ્યવસ્થા અને ભગવાનના વિશેષ વાઘા અંગે રસપ્રદ માહિતી આપી હતી. 

જળયાત્રાથી લઈને રથયાત્રા સુધીની પરંપરાગત વિધિ

મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે, ‘અમે વર્ષોની પરંપરા મુજબ જ તમામ તૈયારી કરી રહ્યા છીએ. ટ્રક, અખાડા અને ભજન મંડળીઓના એસોસિયેશનને જરૂરી સૂચના આપી દેવાઈ આવી છે.’ 

આ દરમિયાન તેમણે રથયાત્રા પૂર્વેના ધાર્મિક ઉત્સવોની પણ માહિતી આપી હતી. જેમ કે… 

•જળયાત્રા મહોત્સવ: સાબરમતી નદીના આરેથી 108 કળશમાં ગંગાપૂજન કરી જળ લવાશે, જેનાથી ભગવાનનો જ્યેષ્ઠાભિષેક સ્નાન વિધિ થશે.

•મોસાળાગમન અને નેત્રોત્સવ: સ્નાન યાત્રા બાદ ભગવાન મોસાળ જશે અને ત્યારબાદ નેત્રોત્સવ વિધિ યોજાશે.

•સોનાવેશ અને પ્રસ્થાન: અષાઢ સુદ એકમના રોજ ભગવાનના સોનાવેશના દર્શન થશે અને અષાઢી બીજના દિવસે વડાપ્રધાન કે મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરાયા બાદ રથયાત્રાનું પ્રસ્થાન થશે.

•ભંડારો: અમાસના દિવસે સંતો-મહંતો માટે વિશેષ ભંડારો, વસ્ત્રદાન અને દાલ-રોટીના પ્રસાદનું આયોજન છે.

પરંપરા મુજબ 18 ગજરાજ અને ભજન મંડળીઓ જોડાશે

ગત વર્ષે ખાડિયામાં ડીજેના અવાજને કારણે ગજરાજ ભડક્યા હતા અને નાસભાગ મચી હતી. આ બાબતે સાવચેતી રાખતા મહંતશ્રીએ જણાવ્યું કે, ‘આ વખતે આવી ઘટના ન બને તે માટે મહાવતો અને જનતાને જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. વન વિભાગના ડૉક્ટરોની વિશેષ ટીમ હાથીઓની તપાસ કરશે. આ ઉપરાંત, હાથીઓ પર પૂરતું નિયંત્રણ રાખવા માટે તેમની સાથે વધારાના માણસો પણ તહેનાત કરાશે. પરંપરાગત નિયમ મુજબ જ આ વર્ષે પણ 16 થી 18 ગજરાજ અને 108 જેટલી ટ્રકો યાત્રામાં જોડાશે. ભજન મંડળીઓ અને ટ્રકો માટે રૂટિન મુજબની જ મંજૂરી લેવામાં આવી છે.

મથુરા-વૃંદાવનના કાપડમાંથી ભગવાન માટે 7 જોડ વાઘા

દર વર્ષે ભગવાન અવનવી થીમ અને ડિઝાઈનના વાઘા ધારણ કરીને નગરચર્યાએ નીકળે છે. આ વર્ષે ભગવાન માટે કુલ સાત જોડ વિશેષ વસ્ત્રો તૈયાર થઈ રહ્યા છે. 

•કાપડની પસંદગીઃ વસ્ત્રો માટેનું ખાસ કાપડ અને એમ્બ્રોઇડરીનું સિલેક્શન મથુરા-વૃંદાવનથી કરાયું છે.

•ડિઝાઇનર દરજી: શાહપુર મોડ વાળાની પોળમાં રહેતા સુનીલભાઈ દરજી વર્ષોની પરંપરા મુજબ આ વાઘા તૈયાર કરી રહ્યા છે.

અમાસ, એકમ, મંગળા આરતી અને રથમાં બિરાજમાન થતી વખતે ભગવાન કયા વસ્ત્રો ધારણ કરશે તે વાઘા તૈયાર થઈને આવ્યા બાદ નક્કી કરાશે.

ઇમરજન્સી માટે રથના ‘સ્પેર વ્હિલ’ તૈયાર, રૂટમાં ફેરફાર નહીં

રથયાત્રા દરમિયાન કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો સમય ન બગડે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથના સ્પેર વ્હિલ (પૈડાં) તૈયાર રખાયા છે, જેથી ભગવાન સમયસર નગરચર્યા પૂર્ણ કરી નીજ મંદિરે પરત ફરી શકે. સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રા શાંતિપૂર્ણ અને આનંદથી સંપન્ન થાય તે માટે સરકાર, મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશને બેઠકો યોજીને તમામ વહીવટી જવાબદારીઓ સંભાળી લીધી છે. આ વર્ષે રથયાત્રાના રૂટ કે આયોજનમાં કોઈ જ ફેરફાર કરાયો નથી.



Next Post
સુરત: પાટીદાર અનામત આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિતના અગ્ર…

સુરત: પાટીદાર અનામત આંદોલન સમયના વધુ બે કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિતના અગ્ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

Recent News

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ગઢડામા અષાઢી બીજ ના દિવસે યોજાનારી ૩૩ મી ભગવાન જગન્નાથજી રથયાત્રા અનુસંધાને યોજાઈ શાંતિ સમીતીની મીટીંગ.. મીટીંગ મા SP ધર્મેન્દ્ર...

Read more

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In