સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના અનુસંધાને પીડિત ખેડૂત તથા તેમના પરિવારજનોને હૂંફ, સહકાર અને નૈતિક સમર્થન આપવા પાટીદાર સેવા સંઘના આગેવાનો પીપળીયા ગામે પહોંચ્યા હતા.
પાટીદાર સેવા સંઘના પ્રતિનિધિઓએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. સાથે જ પરિવારને ન્યાય અપાવવા માટે સમાજ તેમની સાથે અડીખમ ઉભો રહેશે તેવી ખાતરી આપી હતી.
આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂત પર થયેલો હુમલો નિંદનીય છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પીડિત પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી હતી.
પાટીદાર સેવા સંઘે પીડિત પરિવારને તમામ પ્રકારની મદદ અને સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. ઘટનાને લઈને ગ્રામજનોમાં પણ પીડિત પરિવાર પ્રત્યે સહાનુભૂતિ જોવા મળી રહી છે.
પાટીદાર આગેવાન વિજયભાઈ માગુકિયા એ મુલાકત લીધી
પીપળીયા ગામના રહેવાસીઓ ખેડૂતો સાથે સંવાદ કર્યો
માથાભારે લોકો સામે મજબૂતીથી લડી લેવા આહ્વાન
ખેડૂત પત્નીઓને (માતાઓને) પોતાના પતિને મદદરૂપ થવા વિનંતી કરવામાં આવી
સામાજિક એકતા બનાવીશુ તો કોઇના બાપની મજાલ નથી કે કોઇ ખેડુતોની સામે આંખ ઉચી કરીને જોઇ શકે
માવતરોએ દુખણા (ઓરતા) લઇ સુરતથી પધારેલા યુવાનોને આશીર્વાદ આપ્યા
ભોગ બનનાર ખેડુતને આજીવન મદદરૂપ થવા પાટીદાર સેવા સંઘનું એલાન
નાની બાબતોમાં પણ પોલીસ સ્ટેશન પહોંચી ફરીયાદ કરવા માર્ગદર્શન આપ્યું
અસામાજિક તત્વોએ પીપળીયા અગાઉ પોપટભાઇ વઘાસીયા પર હુમલો કર્યો હતો તે કેસ ફરી ઓપન કરવા સરકારમાં રજૂઆત કરાશે
રિપોર્ટર નરેશભાઈ ડાંખરા ભાવનગર














