Pidilite Industriesના ચેરમેન આદરણીય શ્રી મધુકરભાઈ પારેખના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા “સ્વચ્છ મહુવા અભિયાન” અંતર્ગત આજે ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થા કળસાર ખાતે આજે શાળાકીય શિક્ષણના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી એક પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનું આયોજન સંસ્થાના આચાર્યશ્રી સેફાભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સ્ટેજ સંચાલન શાળાના શિક્ષિકા શ્રી ઇશિકાબેન ડુંગરાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી મયુરભાઈ સાબોજી દ્વારા વિદ્યાર્થીઓને સ્વચ્છતા, વ્યક્તિગત જવાબદારી, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સહભાગિતાના વિષયો પર અત્યંત પ્રેરણાદાયી અને માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને પોતાના ઘર, શાળા અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવા તેમજ સમાજમાં સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા માટે પ્રેરિત કર્યા.
કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આવા જાગૃતિમૂલક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસે અને તેઓ એક સ્વચ્છ, સ્વસ્થ તથા સુંદર સમાજના નિર્માણમાં સક્રિય યોગદાન આપે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો..














