વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
ગુજરાતમાં દર વર્ષે 10મી ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યના 11 જિલ્લાઓમાં કે જે જગ્યાએ સિંહનું વિચરણ છે
ત્યાં શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રામજનોના સહકારથી રેલી, સભા અને સિંહ સંરક્ષણની પ્રતિજ્ઞા લેવડાવી વગેરેનું આયોજન હોય છે.
આગામી 10 મી ઓગસ્ટ અને સોમવારના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી 11 જિલ્લાના 58 તાલુકાઓમાં કરવામાં આવશે. અંગેની કાર્યશાળા સાસણ વન્ય પ્રાણી વિભાગના આયોજન હેઠળ સાસણ ખાતે તા 26 જુલાઈના કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં સંબોધન કરતા વન્ય પ્રાણી વિભાગના નાયબ વંન સંરક્ષક શ્રી અવનીશ્ર્વર વ્યાસે માનવ અને સિંહ વચ્ચેના સંઘર્ષને દુઃખદ ગણાવીને સિંહ એક પ્રાણી છે અને માણસ એક સમજુ અને વિવેક સભર વર્તે તેવું પ્રાણી છે તેથી તેની સાથે વિવેક પૂર્ણ વર્તવાનો ભાર મૂકીને આવા સંઘર્ષને નિવારવા પર જોર આપ્યું હતું.તેઓએ આયોજનની રૂપરેખા પણ તેઓએ રજૂ કરી.
આગામી આયોજન અંગે જિલ્લાના સંયોજકો અને શિક્ષણના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંકલન સાધવા સૌને અનુરોધ કર્યો.
સમગ્ર આયોજનનું સંકલન શ્રી કરશનભાઈ વાળાએ કર્યું હતું.














