• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, August 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

satyasamachar by satyasamachar
August 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

Load More


તખુભાઈ સાંડસુર
શિક્ષકો જન્મજાત હોય છે, જે ખરેખર પોતાના માટે નહીં, પણ બાળકના પરમ કલ્યાણાર્થે અવતરિત થઈને મથતાં હોય! જ્યાં પોતાનો વિચાર નહીં, પણ પોતાના વિદ્યાર્થીઓની ચિંતા વધુ હોય. 24×7 બાળકો માટે ઉપલબ્ધ હોય તેવા શિક્ષક ગુરુકુળમાં ન હોવા છતાં ઋષિતુલ્ય જ છે. આ વ્યાખ્યામાં બંધ બેસતા શિક્ષક હવે આજે દીવો લઈને શોધવા કઠિન તો છે જ, પણ ક્યાંક આજે પણ કોઈ ઘોર અંધકારમાં મીણબત્તી પ્રગટાવીને ઊભું છે. ભરૂચ જિલ્લાના આદિજાતિ વિસ્તારમાં ધૂણી ધખાવીને બેઠેલાં દરિયાદિલ આચાર્યા જ્યોત્સનાબેન બારોટની વાત આજે કરવી છે.

પેલી મીન પિયાસીની કહેણી છે કે, ‘સમતાનો જ્યાં સમય થયો, ત્યાં ઊંચું શું ને નીચું શું?’ આજ રફતારને પકડીને જ્યોત્સનાબેને આદિજાતિ વિસ્તારનાં બાળકો માટે પોતાની જાત સમર્પિત કરી છે.

‘બાલ દેવો ભવ’ સૂત્રને સાકાર કરતાં જ્યોત્સનાબેન નવેઠા ગામ જ નહીં, પરંતુ તે પહેલાંની ગંધાર, કરવટ અને ત્રાંકલ—ત્રણેય શાળાઓમાં બાળકો સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયેલાં. પછી વિદ્યાર્થીઓ પોતાની માને નહીં, પરંતુ આ માસ્તરને પહેલાં માંના સ્તર પર મૂકે. અને જ્યારે તેઓ કોઈ પણ શાળા બદલે ત્યારે આખું નિશાળનું ફળિયું રડતું અનેક લોકોએ જોયું છે. જ્યારે તેઓ પોતાની સેવાકાળની બદલી કરી રહ્યા હોય ત્યારે સમગ્ર ગામ તેમને પાછા વાળવા માટે તલપાપડ હતું. કારણ કે જ્યોત્સનાબેન માત્ર શિક્ષિકા નહોતાં, પરંતુ ગરીબ, વંચિત અને પીડિત બાળકોનાં આંસુ લૂછનાર એક સંવેદનશીલ વ્યક્તિત્વ અને હમદર્દ હતાં.

પોતાનો નાનકડો પગાર હોવા છતાં તેમણે બાળકોના શિક્ષણને લગતી કોઈપણ જરૂરિયાત માટે પોતાના પર્સમાં હાથ નાખ્યો હોય, તો તે હાથ કદી પાછો ફર્યો નથી. તેઓ જિંદગીને ખરા અર્થમાં શિક્ષક તરીકે જીવવા માંગે છે તેનું આ તામ્રપત્રમાં લખેલું આ પ્રમાણપત્ર ગણાય!
સને 1999થી શરૂ કરી 25 વર્ષ સુધી ત્રણ શાળાઓમાં તેમણે કામ કરીને TLM કોઈ ગ્રાન્ટમાંથી નહીં, પરંતુ જાતે પૈસા ખર્ચીને બનાવ્યાં. વિદ્યાર્થીઓના ચહેરા ઉપર હંમેશાં મુસ્કુરાહટ જોવાનો તેમણે પ્રયત્ન કર્યો. તેમણે ગમ્મત સાથે જ્ઞાનના વર્ગોમાં વિદ્યાર્થીઓને શીખવવામાં પડતી અગવડતાઓ ધ્યાનમાં લઈને વેસ્ટમાંથી બેસ્ટ બને તેવા શૈક્ષણિક સાધનો વિકસાવ્યાં છે.

ભરૂચ જિલ્લાના નવેઠાની શાળાના બાળકોને ગુજરાતનાં તમામ સ્થળોનો પોતાના ખર્ચે પ્રવાસ કરાવ્યો છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને કમ્પ્યુટર શિક્ષણ માટે સરકારી કોઈ વ્યવસ્થા ન હતી, તો પોતાના ખર્ચે શિક્ષક રોકીને બાળકોને નવી સદી સાથે તાલ મિલાવવા દૃઢતા બતાવી! દાતાઓ પાસેથી શાળાની જરૂરિયાતો, વિદ્યાર્થીઓની જરૂરિયાતો વગેરેને ધ્યાનમાં લેતાં તેમણે મોટું દાન એકઠું કર્યું છે. તેથી આ નવેઠા શાળા આજે આંખે ઊડીને વળગે તેવી થઈ છે.

રિસોર્સ પર્સન કે માસ્ટર ટ્રેનર તરીકે તેમણે કદી સમયને જોયો નથી. ઓફિસ અવર્સને ડસ્ટબિનમાં નાખીને તેઓ મોડે સુધી કાર્યરત રહ્યાં છે. તેથી તેઓ વહીવટી તંત્ર, વિદ્યાર્થી સમુદાય અને સાથી શિક્ષક સમુદાયમાં એટલાં જ લોકપ્રિય રહ્યાં છે. તેઓ ખરા અર્થમાં માનવતાવાદી શિક્ષિકા-આચાર્યા તરીકે પોતાના જીવનને સંદેશ બનાવી દીધું હોય તેની પ્રતીતિ સતત તેમની આસપાસના લોકોને થતી રહે છે.

સાહિત્યમાં ઊંડા રસના કારણે તેમણે બાળ કાવ્યોમાં પોતાનો હાથ અજમાવીને ઘણાં બધાં અખબારો અને પ્રકાશન સમૂહોમાં તેને પ્રકાશિત કરાવ્યાં છે. તેમની બધી કૃતિઓમાં કોઈને કોઈ રીતે બાળકનો શ્વાસ અને વિશ્વાસ પડઘાતો રહ્યો છે. તેઓ અનેકવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. જેમાં એક શાખા ધાર્મિક પ્રણામી સંપ્રદાય પણ છે. તેના મનન અને મંથન પર તેઓ પ્રવચન પણ કરે છે.

જ્યોત્સનાબેન એકેડમિક ઓછાં છે, તેથી સરકારી શિક્ષક એવોર્ડની મથામણ કરતાં નથી. તેઓ કહે છે કે, ‘બાળપ્રેમ એ મોટો એવોર્ડ છે. હું સતત મારા વિદ્યાર્થીઓમાં ઈશ્વરના દર્શન કરી શકું છું. આ દૃષ્ટિ જ મને નવી સવારને ઉત્સાહથી તાજી કરવા પ્રેરણા આપે છે.’

વિવિધ સંસ્થાઓએ તેમને બાળ રક્ષક એવોર્ડ, સારસ્વત સન્માન, પર્યાવરણ સંરક્ષક એવોર્ડ, શ્રેષ્ઠ સ્વચ્છતા શાળા એવોર્ડ, શ્રેષ્ઠ ઈનોવેશન સન્માન (2024-25), શાળાને શ્રેષ્ઠ કાર્ય સન્માન, સક્ષમ શાળા સન્માન જેવા સન્માન આપ્યાં છે.

ભરૂચ જિલ્લાની મુલાકાત સમયે જ્યોત્સનાબેન બારોટની નવેઠા શાળાની મુલાકાત લેવાની તક કોઈ છોડતું નથી. શિક્ષક જ સમાજ બદલી શકે તે વાત તેમનું કાર્ય સિદ્ધ કરે છે.

Next Post
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Recent News

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, વલ્લભીપુર દ્વારા રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૯મી પુણ્ય સ્મૃતિ નિમિત્તે જનસેવાના ઉમદા...

Read more

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In