• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામનો મુદ્દો ઉઠાવતા હોબાળો : ગૃહ ખોરવાયું | Rahul Gandhi raises Doklam iss…

satyasamachar by satyasamachar
February 3, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
રાહુલ ગાંધીએ લોકસભામાં ડોકલામનો મુદ્દો ઉઠાવતા હોબાળો : ગૃહ ખોરવાયું | Rahul Gandhi raises Doklam iss…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


– પૂર્વ આર્મી ચીફ નરવણના અપ્રકાશિત પુસ્તકનો સદર્ભ આપી

– નરવણેના પુસ્તકથી શાસક પક્ષ ડરી ગયો હોવાથી પ્રકાશિત કરવાની મંજૂરી અપાતી નથી : રાહુલ, ચીને જમીન હડપ કરી નથી તેવો ભાજપે નરવાણેનો વિડિયો જાહેર કર્યો 

– રાજનાથ અને અમિત શાહએ ગૃહમાં વાંધો ઉઠાવ્યો  બજેટના બીજા દિવસે મડાગાંઠ, શાસક પક્ષ- વિપક્ષ સામસામે

નવી દિલ્હી : લોકસભામાં ચીન સાથેના હુમલા લઈને રાહુલ ગાંધીએ શાસક પક્ષ એનડીએ પર આકરા પ્રહારો કર્યા હતા અને પીએમ તથા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને સવાલ કર્યો હતો કે ચીને હુમલો કર્યો ત્યારે ૫૬ ઇંચની છાતી ક્યાં ગઈ હતી. તેની સાથે ચીન સાથેના યુદ્ધ સમયના લશ્કરી વડા મનોજ નરવણેએ નિવૃત્તિ પછી લખેલા પુસ્તકને સરકાર કેમ પ્રકાશિત થવા દેતી નથી તેવા અણિયાળા સવાલ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ લશ્કરી વડા મનોજ નરવણેએ વડાપ્રધાન મોદી અને સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ સાથે તે સમયે કરેલા સંવાદને આ પુસ્તકમાં ટાંક્યો હોવાથી શાસક પક્ષને તેમની ઇમેજના તૂટવાનો ડર લાગે છે. મનોજ નરવણેને ટાંકીને મારા બેથી ત્રણ વાક્યોની સાથે તેમની આખી આ ઇમેજ ધરાશાયી થઈ ગઈ હોત, તેથી જ તેમના પક્ષના સાંસદોએ લોકસભામાં હોહા કરીને મને બોલવા ન દીધો. 

જો કે ભાજપે પણ રાહુલ ગાંધીને વળતો જવાબ આપતા હોય તેમ મનોજ નરવણેનો તે જ સમયનો વિડીયો જારી કરીને જણાવ્યું હતું કે ભારતે એક ઇંચ જમીન પણ ચીનના હાથે ગુમાવી નથી. તેની સાથે કટાક્ષ કર્યો હતો કે અમે નેહરુના યુગને ઘણો પાછળ છોડી દીધો છે, જેમણે ચીનની દાદાગીરીને છૂટો દોર આપી દીધો હતો. નેહરુની નીતિઓના કારણે ભારતે તિબેટ પરનો અંકુશ ગુમાવવો પડયો હતો.હવે આ જ પક્ષના નેતા વર્તમાન સરકાર પર આક્ષેપ કરે છે ત્યારે તે કયા મોઢે આક્ષેપ કરે છે. 

રાહુલ ગાંધીનું કહેવું હતું કે વર્તમાન સરકાર પૂર્વ લશ્કરી વડા નરવણેનું પુસ્તક છપાવવા દેતી નથી, કારણ કે તેમના કારણે તેમને તેમની ઇમેજ તૂટવાનો ડર લાગે છે. તેની સામે રાજનાથસિંહે  જણાવ્યું હતું કે જો નરવણેનું પુસ્તક અમે અટકાવ્યું હોત તો તેઓ કોર્ટમાં ગઈ શક્યા હોત. રાહુલ ગાંધીએ આ અપ્રકાશિત પુસ્તક પરના લેખને ટાંકીને સંસદમાં પીએમ મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પર પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીનું કહેવું હતું કે મનોજ નરવણેના પુસ્તકમાં કંઇક એવું છે જેનાથી શાસક પક્ષ ડરે છે. વાસ્તવમાં તો સરકારે આ પુસ્તક પ્રકાશિત થવા દેવું જોઈએ, જેના પરથી લશ્કરથી લઈને રાજકીય નેતાગીરીએ તે સ્થિતિનો સામનો કઈ રીતે કર્યો હતો તેનો ખ્યાલ આવે. સરકારે અહીં તેનાથી એકદમ વિપરીત અભિગમ જ અપનાવ્યો છે.

તેમનું કહેવું હતું કે પારદર્શકતાના દાવા કરતી સરકાર સત્યથી કેટલી ડરે છે તેનો પુરાવો પૂર્વ લશ્કરી વડાનું અપ્રકાશિત પુસ્તક છે. રાહુલ ગાંધીએ ગૃહની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે ગૃહમાં મને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાને લઈને બોલવા ન દેવાયો. રાષ્ટ્રપતિના ભાષણ પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ડોકલામનો મુદ્દો ઉઠાવતા હંગામો મચી ગયો હતો અને ચાર વાગ્યા સુધી સંસદ સ્થગિત કરી દેવાઈ હતી. કોંગ્રેસે રાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચાની માંગ કરી હતી.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું ફક્ત એવું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે પૂર્વ લશ્કરી વડા નરવણેએ પોતાના પુસ્તકમાં પીએમ મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અંગે સીધી અને સ્પષ્ટ વાત કરી છે. આ વાત એક લેખમાં આવી છે. હું આ લેખને ટાંકીને વાત કહી રહ્યો છું, પરંતુ મને બોલવા દેવાયો નથી. તેઓ ડરી ગયા છે. તેમને ડર છે કે જો પુસ્તક પ્રકાશિત થયું તો નરેન્દ્ર મોદી અને રાજનાથસિંહની સાચી વાતની ખબર પડી જશે. લોકોને તે પણ ખબર પડશે કે ચીન આપણી સામે ઊભું હતું અને આગળ વધી રહ્યુ હતુ ત્યારે ૫૬ ઇંચની છાતીનું શું થયું હતું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને વિષય બહારની વાત પર બોલવા બદલ વારંવાર રોક્યા હતા, તેના જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું તો અગાઉના સ્પીકર તેજસ્વી સૂર્યાએ કોંગ્રેસ પર રાષ્ટ્રવિરોધી હોવાના આરોપો મૂક્યા તેનો જવાબ આપી રહ્યો હતો. રાહુલ ગાંધીને અખિલેશ યાદવ સહિતના વિપક્ષી સાંસદોએ ટેકો આપ્યો હતો.

ભાજપે વળતો જવાબ આપતા ૨૦૨૦માં નરવણેનો વિડીયો જારી કર્યો હતો, જેમા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આપણે એક ઇંચ પણ જમીન ચીન સામે ગુમાવી નથી. તેની સાથે રાહુલ ગાંધી પર હકીકતને તોડી મરોડીને રજૂ કરવાનો તથા પૂર્વ સેના પ્રમુખને બિનજરુરી રીતે વિવાદમાં ઘસેડવાનો આરોપ મૂક્યો હતો.

Next Post
વિકાસને વેગ આપવા બજેટમાં રોકાણ પર ભાર મૂકાયો ઃ નિર્મલા | budget focus on investment nirmala sitarama…

વિકાસને વેગ આપવા બજેટમાં રોકાણ પર ભાર મૂકાયો ઃ નિર્મલા | budget focus on investment nirmala sitarama...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i…

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i…

જામનગરમાં ટ્રક ડ્રાઇવર યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : હાથમાં દસ ટાંકા લેવા પડ્યા | Young …

જામનગરમાં ટ્રક ડ્રાઇવર યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : હાથમાં દસ ટાંકા લેવા પડ્યા | Young …

જામનગરમાં દારૂનો નશો કરીને બફાટ કરી રહેલા પતિને તેની પત્નીએ જ પોલીસને બોલાવીને પકડાવી દીધો | a drunk…

જામનગરમાં દારૂનો નશો કરીને બફાટ કરી રહેલા પતિને તેની પત્નીએ જ પોલીસને બોલાવીને પકડાવી દીધો | a drunk…

યૌન શોષણની પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો..’, ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર | Del…

યૌન શોષણની પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો..’, ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર | Del…

Recent News

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i…

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i…

જામનગરમાં ટ્રક ડ્રાઇવર યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : હાથમાં દસ ટાંકા લેવા પડ્યા | Young …

જામનગરમાં ટ્રક ડ્રાઇવર યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : હાથમાં દસ ટાંકા લેવા પડ્યા | Young …

જામનગરમાં દારૂનો નશો કરીને બફાટ કરી રહેલા પતિને તેની પત્નીએ જ પોલીસને બોલાવીને પકડાવી દીધો | a drunk…

જામનગરમાં દારૂનો નશો કરીને બફાટ કરી રહેલા પતિને તેની પત્નીએ જ પોલીસને બોલાવીને પકડાવી દીધો | a drunk…

યૌન શોષણની પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો..’, ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર | Del…

યૌન શોષણની પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો..’, ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર | Del…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i…
GUJARAT

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i…

Gujarat LPG Policy: રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે ગેસનો પુરવઠો સુચારૂ રૂપે જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા...

Read more

જામનગરમાં ટ્રક ડ્રાઇવર યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : હાથમાં દસ ટાંકા લેવા પડ્યા | Young …

જામનગરમાં દારૂનો નશો કરીને બફાટ કરી રહેલા પતિને તેની પત્નીએ જ પોલીસને બોલાવીને પકડાવી દીધો | a drunk…

યૌન શોષણની પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો..’, ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર | Del…

જામનગરના યુવાનના ઘર પર તેની પત્ની-સાળી અને સાસુનો પથ્થરમારો : ધાક ધમકી આપ્યાની ફરિયાદ | Stones pelte…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In