• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદની ‘દિનશા પટેલ નસગ કોલેજ’ના વિદ્યાર્થીનો ફાંસો ખાઈ આપઘાત : સ્યુસાઈડ નોટમાં ‘મેડમ’નો ઉલ્લેખ | D…

satyasamachar by satyasamachar
February 3, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
નડિયાદની ‘દિનશા પટેલ નસગ કોલેજ’ના વિદ્યાર્થીનો ફાંસો ખાઈ આપઘાત : સ્યુસાઈડ નોટમાં ‘મેડમ’નો ઉલ્લેખ | D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


– શિસ્તના નામે માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથે તપાસ સમિતિની રચના

– ‘જય પાટીલ’ આત્મહત્યા કેસમાં ‘મેડમ’ની ભૂમિકા શંકાના દાયરામાં : પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી, વિદ્યાર્થીના મોબાઈલ રેકોર્ડ્સની તપાસ અને કોલેજના સ્ટાફની પૂછપરછ હાથ ધરી

નડિયાદ : નડિયાદના મંજીપુરા વિસ્તારમાં રહેતા અને દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા જય પાટીલ નામના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક વિદ્યાર્થીની સ્યુસાઈડ નોટમાં કોઈ ‘મેડમ’નો ઉલ્લેખ હોવાનું બહાર આવતા સમગ્ર મામલો ગરમાયો છે. કોલેજ પ્રશાસને તાત્કાલિક અસરથી હાઈલેવલ તપાસ સમિતિની રચના કરી છે.

દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા જય વિજયકુમાર પાટીલના આપઘાત બાદ કોલેજ કેમ્પસમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. ઓક્ટોબર ૨૦૨૫માં પ્રવેશ લેનાર જય અભ્યાસમાં નિયમિત હતો, પરંતુ તેની શિસ્ત બાબતે અગાઉ કેટલીક ફરિયાદો ઉઠી હોવાનું કોલેજ જણાવી રહી છે. જોકે, આ ઘટનાના મૂળમાં પ્રોફેસરોની કડક વર્તણૂક હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. સ્યુસાઈડ નોટમાં ‘મેડમ’ શબ્દના ઉલ્લેખને કારણે હવે આંગળી તે તરફ ચીંધાઈ રહી છે. કોલેજમાં એક ક્લાસમાં સામાન્ય રીતે ૩ મહિલા પ્રોફેસરો ફરજ બજાવતા હોય છે, જે તમામના નિવેદનો હાલમાં નોંધવામાં આવ્યા છે. તપાસ સમિતિ એ દિશામાં તપાસ કરી રહી છે કે, પ્રોફેસરોનું વલણ માત્ર શિસ્ત લાવવા પૂરતું હતું કે, પછી તે માનસિક ત્રાસની હદે પહોંચ્યું હતું. 

ખાસ કરીને નર્સિંગ કોલેજોમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શિક્ષકોના અસંવેદનશીલ વલણ સામે હવે ગંભીર સવાલો ઉભા થયા છે. બીજીતરફ જય પાટીલ અંતિમ પગલું ભરતા પહેલા ૨ દિવસથી કોલેજમાં ગેરહાજર રહ્યો હતો. આ દરમિયાન કોલેજ દ્વારા તેના પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે સમયે પિતાએ જયને એલર્જીની તકલીફ હોવાનું જણાવી રજાનો બચાવ કર્યોે હતો. જોકે, હવે એ સવાલ ઉઠી રહ્યો છે કે, શું જય ખરેખર બીમાર હતો કે પછી કોલેજમાં શિક્ષકોના દબાણને કારણે તે ક્લાસમાં આવતા ડરતો હતો. પિતા સાથે થયેલી આ છેલ્લી વાતચીત હવે તપાસનો મહત્વનો મુદ્દો બની છે. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી છે અને વિદ્યાર્થીના મોબાઈલ રેકોર્ડ્સ તેમજ કોલેજના સ્ટાફની પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

લિવિંગ સર્ટિફિકેટ આપી દેવાની ધમકી આપી હતી : મૃતક વિદ્યાર્થીના પિતા

મૃતક વિદ્યાર્થીના પિતા વિજય પાટીલે કોલેજ પ્રશાસન પર ગંભીર આરોપો લગાવ્યા છે. થોડા દિવસ અગાઉ તેમને કોલેજમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં કોલેજ સત્તાધીશોએ જયના વર્તન પર દેખરેખ રાખવાની અને સુધારો ન જણાય તો લિવિંગ સટફિકેટ આપી દેવાની ધમકી આપી હતી. કોલેજના શિક્ષકોએ તેમના દીકરાને માનસિક રીતે એકલો પાડી દીધો હોવાથી તે છેલ્લા ત્રણ દિવસથી ભારે ડિપ્રેશનમાં હતો, તેવા આક્ષેપો કર્યા છે. 

જયે વિવિધ ગેરરીતિઓ બદલ માફીપત્ર આપ્યા હતા : કોલેજના ડીન

કોલેજના ડીન ડૉ. વિરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંવાદમાં ક્યારેક મર્યાદા ભંગ થતી હોય ત્યારે શિક્ષકો તેમને ટોકતા હોય છે. જયે અગાઉ ત્રણવાર વિવિધ ગેરરીતિઓ બદલ લેખિતમાં માફીપત્ર આપ્યા હતા. શું આ શિક્ષકોનું વર્તન સુધારાત્મક હતું કે, પછી માનસિક ત્રાસજનક, એ તપાસ સમિતિના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં તમામ ટીચર્સના નિવેદનો લેવામાં આવ્યા છે.

માનસિક દબાણ કે શિસ્તની કડકાઈ?

કોલેજ કેમ્પસમાં પ્રોફેસરોના વર્તનને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓના મતે ઘણીવાર નાની ભૂલો માટે પણ શિક્ષકો દ્વારા અત્યંત કડક વલણ અપનાવવામાં આવે છે. જય પાટીલના કેસમાં પણ આ પ્રકારનું માનસિક દબાણ જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંવાદમાં મર્યાદા ભંગ થતી હોય ત્યારે તેને સુધારવા માટે વપરાતા રસ્તાઓ હવે તપાસના દાયરામાં છે.

પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી

પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે અને વિદ્યાર્થીના મોબાઈલ રેકોર્ડ્સ અને કોલેજના સ્ટાફની પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ આત્મહત્યા પાછળનું સાચું કારણ અને જવાબદારો સામે આવશે. આ ઘટના શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શિક્ષકોના વલણ સામે મોટા પ્રશ્નાર્થોે ખડા કરે છે. શૈક્ષણિક દબાણ કે શિસ્તના નામે વિદ્યાર્થીઓ પર એટલું માનસિક ભારણ ન આવવું જોઈએ કે તેઓ મોતને વહાલું કરે. વાલીઓ અને કોલેજ સત્તાધીશો વચ્ચે યોગ્ય સંવાદનો અભાવ અને વિદ્યાર્થીની સંવેદનશીલતાને સમજવામાં થતી ચૂક આવા કરુણ અંજામ લાવે છે, જે ભવિષ્યમાં અટકાવવા અનિવાર્ય છે.

Next Post
બાલાસિનોરમાં પોલીસના મારનો ભોગ બનેલા સગીરની તબિયત લથડતા દાખલ | Minor who was beaten up by police in …

બાલાસિનોરમાં પોલીસના મારનો ભોગ બનેલા સગીરની તબિયત લથડતા દાખલ | Minor who was beaten up by police in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

Recent News

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …
GUJARAT

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

રાષ્ટ્રીયશૈક્ષિક મહાસંઘ ભાવનગર કાર્યક્રમ આપશે રેલીયોજી વડાપ્રધાન, શિક્ષણમંત્રીને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાશે ભાવનગર – અખિલ ભારતીય સ્તરેનિર્ધારીત થયેલ...

Read more

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

ભાવનગરની યુવતી સાથે અમદાવાદના પિતા-પુત્રએ 95.53 લાખની ઠગાઈ કરી | Ahmedabad father son cheated a Bhav…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In