Bihar Darbhanga SC-ST Act case: બિહારના દરભંગા જિલ્લાના એક ગામમાં કાયદો અને વ્યવસ્થાને પણ વિચારમાં પાડી દે તેવી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હરિનગર ગામમાં જમીન અને પૈસાની લેણદેણના વિવાદમાં એક વ્યક્તિએ ગામના આખા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલામાં અશર્ફી પાસવાન નામની વ્યક્તિએ અંદાજે 70 બ્રાહ્મણોની નામજોગ અને 150 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. એટલે કે એક જ ઝાટકે આખા ગામના બ્રાહ્મણો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
10 વર્ષ જૂનો વિવાદ અને હિંસક અથડામણ
ઘટનાની વિગતો મુજબ, આ વિવાદની શરૂઆત 31 જાન્યુઆરીની રાત્રે થઈ હતી. વર્ષ 2015માં એક મકાન બનાવવાના બાકી નિકળતા અઢી લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જે બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ હિંસક અથડામણમાં મહિલાઓ અને એક બાળકી પણ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ઘટના બાદ અશર્ફી પાસવાને આખા ગામ વિરુદ્ધ એસસી-એસટી(SC-ST) એક્ટ હેઠળ ગંભીર આક્ષેપો સાથે કેસ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે આખા ગામના લોકોએ એકઠા થઈને તેમનું શોષણ કર્યું અને હુમલો કર્યો.
આ પણ વાંચો: 4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો
ફરિયાદમાં મોટો ખુલાસો: ગામમાં હાજર ન હોય તેવા લોકો પર પણ કેસ
આ મામલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે બ્રાહ્મણોના નામ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યા છે, તેમાંથી મોટાભાગના લોકો તો ગામમાં છે જ નહીં. તેઓ દેશના અલગ-અલગ શહેરોમાં મજૂરી કે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 31 જાન્યુઆરીએ થયેલી મારામારીમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધીમાં પોલીસે 12 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. હાલ ગામમાં ભારે તણાવની સ્થિતિ છે, જેને જોતા સુરક્ષા વધારી દેવામાં આવી છે. નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ પણ સોશિયલ મીડિયા પર આ ઘટનાની વિગતો શેર કરી છે.
Bihar Darbhanga SC-ST Act case: બિહારના દરભંગા જિલ્લાના એક ગામમાં કાયદો અને વ્યવસ્થાને પણ વિચારમાં પાડી દે તેવી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હરિનગર ગામમાં જમીન અને પૈસાની લેણદેણના વિવાદમાં એક વ્યક્તિએ ગામના આખા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલામાં અશર્ફી પાસવાન નામની વ્યક્તિએ અંદાજે 70 બ્રાહ્મણોની નામજોગ અને 150 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. એટલે કે એક જ ઝાટકે આખા ગામના બ્રાહ્મણો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
10 વર્ષ જૂનો વિવાદ અને હિંસક અથડામણ
ઘટનાની વિગતો મુજબ, આ વિવાદની શરૂઆત 31 જાન્યુઆરીની રાત્રે થઈ હતી. વર્ષ 2015માં એક મકાન બનાવવાના બાકી નિકળતા અઢી લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જે બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ હિંસક અથડામણમાં મહિલાઓ અને એક બાળકી પણ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ઘટના બાદ અશર્ફી પાસવાને આખા ગામ વિરુદ્ધ એસસી-એસટી(SC-ST) એક્ટ હેઠળ ગંભીર આક્ષેપો સાથે કેસ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે આખા ગામના લોકોએ એકઠા થઈને તેમનું શોષણ કર્યું અને હુમલો કર્યો.
આ પણ વાંચો: 4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો
ફરિયાદમાં મોટો ખુલાસો: ગામમાં હાજર ન હોય તેવા લોકો પર પણ કેસ
આ મામલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે બ્રાહ્મણોના નામ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યા છે, તેમાંથી મોટાભાગના લોકો તો ગામમાં છે જ નહીં. તેઓ દેશના અલગ-અલગ શહેરોમાં મજૂરી કે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 31 જાન્યુઆરીએ થયેલી મારામારીમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધીમાં પોલીસે 12 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. હાલ ગામમાં ભારે તણાવની સ્થિતિ છે, જેને જોતા સુરક્ષા વધારી દેવામાં આવી છે. નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ પણ સોશિયલ મીડિયા પર આ ઘટનાની વિગતો શેર કરી છે.
Bihar Darbhanga SC-ST Act case: બિહારના દરભંગા જિલ્લાના એક ગામમાં કાયદો અને વ્યવસ્થાને પણ વિચારમાં પાડી દે તેવી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હરિનગર ગામમાં જમીન અને પૈસાની લેણદેણના વિવાદમાં એક વ્યક્તિએ ગામના આખા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલામાં અશર્ફી પાસવાન નામની વ્યક્તિએ અંદાજે 70 બ્રાહ્મણોની નામજોગ અને 150 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. એટલે કે એક જ ઝાટકે આખા ગામના બ્રાહ્મણો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
10 વર્ષ જૂનો વિવાદ અને હિંસક અથડામણ
ઘટનાની વિગતો મુજબ, આ વિવાદની શરૂઆત 31 જાન્યુઆરીની રાત્રે થઈ હતી. વર્ષ 2015માં એક મકાન બનાવવાના બાકી નિકળતા અઢી લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જે બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ હિંસક અથડામણમાં મહિલાઓ અને એક બાળકી પણ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ઘટના બાદ અશર્ફી પાસવાને આખા ગામ વિરુદ્ધ એસસી-એસટી(SC-ST) એક્ટ હેઠળ ગંભીર આક્ષેપો સાથે કેસ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે આખા ગામના લોકોએ એકઠા થઈને તેમનું શોષણ કર્યું અને હુમલો કર્યો.
આ પણ વાંચો: 4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો
ફરિયાદમાં મોટો ખુલાસો: ગામમાં હાજર ન હોય તેવા લોકો પર પણ કેસ
આ મામલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે બ્રાહ્મણોના નામ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યા છે, તેમાંથી મોટાભાગના લોકો તો ગામમાં છે જ નહીં. તેઓ દેશના અલગ-અલગ શહેરોમાં મજૂરી કે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 31 જાન્યુઆરીએ થયેલી મારામારીમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધીમાં પોલીસે 12 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. હાલ ગામમાં ભારે તણાવની સ્થિતિ છે, જેને જોતા સુરક્ષા વધારી દેવામાં આવી છે. નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ પણ સોશિયલ મીડિયા પર આ ઘટનાની વિગતો શેર કરી છે.
Bihar Darbhanga SC-ST Act case: બિહારના દરભંગા જિલ્લાના એક ગામમાં કાયદો અને વ્યવસ્થાને પણ વિચારમાં પાડી દે તેવી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હરિનગર ગામમાં જમીન અને પૈસાની લેણદેણના વિવાદમાં એક વ્યક્તિએ ગામના આખા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલામાં અશર્ફી પાસવાન નામની વ્યક્તિએ અંદાજે 70 બ્રાહ્મણોની નામજોગ અને 150 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. એટલે કે એક જ ઝાટકે આખા ગામના બ્રાહ્મણો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
10 વર્ષ જૂનો વિવાદ અને હિંસક અથડામણ
ઘટનાની વિગતો મુજબ, આ વિવાદની શરૂઆત 31 જાન્યુઆરીની રાત્રે થઈ હતી. વર્ષ 2015માં એક મકાન બનાવવાના બાકી નિકળતા અઢી લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જે બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ હિંસક અથડામણમાં મહિલાઓ અને એક બાળકી પણ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ઘટના બાદ અશર્ફી પાસવાને આખા ગામ વિરુદ્ધ એસસી-એસટી(SC-ST) એક્ટ હેઠળ ગંભીર આક્ષેપો સાથે કેસ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે આખા ગામના લોકોએ એકઠા થઈને તેમનું શોષણ કર્યું અને હુમલો કર્યો.
આ પણ વાંચો: 4 દાયકા બાદ 100 વર્ષના વૃદ્ધને હત્યાના આરોપથી મળી મુક્તિ, અલ્લાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો
ફરિયાદમાં મોટો ખુલાસો: ગામમાં હાજર ન હોય તેવા લોકો પર પણ કેસ
આ મામલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે બ્રાહ્મણોના નામ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યા છે, તેમાંથી મોટાભાગના લોકો તો ગામમાં છે જ નહીં. તેઓ દેશના અલગ-અલગ શહેરોમાં મજૂરી કે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 31 જાન્યુઆરીએ થયેલી મારામારીમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધીમાં પોલીસે 12 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. હાલ ગામમાં ભારે તણાવની સ્થિતિ છે, જેને જોતા સુરક્ષા વધારી દેવામાં આવી છે. નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ પણ સોશિયલ મીડિયા પર આ ઘટનાની વિગતો શેર કરી છે.
















