• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં સરકારી ખરાબાની આશરે 2.80 કરોડની કીંમતી જમીન પચાવી પાડવાનું કારસ્તાન : 6 સામે લેન્ડગ્રેબિંગ…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં સરકારી ખરાબાની આશરે 2.80 કરોડની કીંમતી જમીન પચાવી પાડવાનું કારસ્તાન : 6 સામે લેન્ડગ્રેબિંગ…
19
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


Jamnagar Land Grabbing : જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની આશરે 2 કરોડ 80 લાખની જમીન કે જેના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6 શખ્સો સામે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. એક અરજદાર દ્વારા કરાયેલી અરજી દરમિયાન સ્વાગત ફરિયાદ નિવારણની બેઠકમાં તપાસના અંતે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, અને આ ગુનો દાખલ કરાયો છે. શહેર વિભાગના ડીવાયએસપી આ મામલે ઝીંણવટ ભરી તપાસ કરી રહ્યા છે.

જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની જમીન કે જે 8,586 ચોરસ મીટર છે, અને તેની હાલ બજાર કિંમત 2 કરોડ 80 લાખ થવા જાય છે. જે કોઈ ખાનગી પેઢીની માલિકી ન હોવાનું જાણવા છતાં કેટલાક શખ્સોએ આ જમીનના ખોટા નકશા બનાવી લીધા હતા, અને તેમાં 66 પ્લોટ પાડી અને જમીનના ખોટા વેચાણ કરાર ઊભા કરી નાખ્યા હતા. જે અંગે જામનગરના એક અરજદાર ગોવિંદભાઈ ભાણાભાઈ શિયાળ દ્વારા તા.23/05/2025 ના રોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને તપાસનીશ અધિકારી અને મદદનીશ કલેક્ટર જામનગર શહેરના દ્વારા તેની નોંધ કરીને જામનગર જિલ્લા લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબીશન કમિટીની તા.27/01/2026 ના રોજ મળેલી બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં જામનગરના જય સરદાર નોન-ટ્રેડીંગ કોર્પોરેશન નામથી જામનગર શહેરના સરકારી ખરાબાના સ.નં. 1125 તથા તેની આજુબાજુની નદીકાંઠાની વગર સર્વે નંબરની જમીન મળી કુલ 8581.50 ચો.મી. જમીનમાં રહેણાંક હેતુ માટે કુલ-11 પ્લોટ પાડી વેચાણ કરેલ છે. જોકે સ.નં. 1125 વાળી જમીન પ્રથમથી અત્યાર સુધી સરકારી ખરાબા તરીકે રેકર્ડમાં નોંધાયેલ છે. તેમજ અન્ય જમીન નદીકાંઠા વગર નંબરની જમીન છે. આ જમીન સામાવાળાઓને ક્યારેય ફાળવવામાં આવેલ નથી, તેમજ આ જમીન તેઓને મળેલ હોવાના આધારો તેઓએ સમિતિ સમક્ષ રજૂ કરેલા નથી. 

આમ, ઉપરોક્ત તમામે માલિકી હક્ક ન હોવા છતાં સરકારી જમીન ગેરકાયદેસર રીતે વેચાણ કરી આર્થિક લાભ મેળવેલ છે. જેથી ગુજરાત સરકારના જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ, 2020 હેઠળની અરજી અન્વયે ઉપરોક્ત બેઠકમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરાયો હતો. 

જેના અનુસંધાને જામનગર શહેર વિભાગની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર જીતેન્દ્ર હંસરાજભાઈ પીપરીયા જાતે ફરિયાદી બન્યા હતા અને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ઉપરોક્ત સરકારી ખરાબાની જમીન ગેરકાયદે પચાવી પાડવા અંગે જામનગરમાં રહેતા મનસુખ રતીલાલ ભરતી (રહે.49 દિ.પ્લોટ, સોનલ માના મંદિર પાસે, ઉદ્યોગનગર જામનગર), આમદભાઈ ઉંમરભાઈ ખફી (રહે, મસીતીયા વાડી વિસ્તાર, જામનગર), નુરમામદ ઉર્ફે ખોડુભાઇ દાઉદભાઈ ચાવલ (રહે.ગુલાબશાહ પીરની દરગાહ પાછળ, જોડીયા ભુંગા, જામનગર), રાજેશ કાંતીલાલ મારૂ (રહે. સાધના કોલોની બ્લોક નં.એલ-10/2356 જામનગર), જસેશ રતિલાલ રાણપરીયા (રહે. કૃષ્ણનગર શેરી નં.5, રણજીત સાગર રોડ, જામનગર) અને જગદિશ ગણેશભાઈ ચોવટીયા (રહે. મારૂ કંસારા હોલ પાછળ, જામનગર) સામે સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 ઉપરોકત જમીનના તેઓ માલીક ન હોવાનુ જાણતા હોવા છતા છળકપટ કરી, તેઓ પાસે કોઈ માલિકી હક્ક કે પ્રત્યક્ષ કબજો ન હોય તેમ છંતા જમીનના પ્લોટના ખોટા નક્શા બનાવી તથા ખોટા વેચાણ કરાર ઉભા કરી ગરીબ મધ્યમવર્ગના માણસોને લલચાવી જમીનને કીંમતી જામીનગીરીમાં ફેરવી જય સરદાર નોનન્ટ્રેડીંગ કોપોરેશન નામના સહી સિક્કા કરીને સરકાર સાથે છેતરપીંડી કરી સરકારી જમીન પચાવી પાડી વેચાણ કરી નાખ્યા અંગે ગુનો નોંધ્યો છે.

Next Post
સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી: બેંગકોકથી આવેલી ફ્લાઇટની સીટ નીચેથી ગાંજો ઝડપાયો, ચારની ધરપકડ | Cust…

સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી: બેંગકોકથી આવેલી ફ્લાઇટની સીટ નીચેથી ગાંજો ઝડપાયો, ચારની ધરપકડ | Cust...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

Recent News

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint
GUJARAT

પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી | Threat to settle police complaint

 વડોદરા,પોલીસ ફરિયાદમાં સમાધાન કરી લેવા માટે ધમકી આપવામાં આવતા પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે. વાડી ખાનગા મહોલ્લો માસૂમ એપાર્ટમેન્ટમાં...

Read more

સુરત અને લખનઉની દુર્ઘટના બાદ વડોદરાના ટ્યુશન ક્લાસો પર તવાઇ,1250થી વધુ ક્લાસીસની FIRE NOC તપાસ | Fir…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

બે વર્ષ પહેલા ખરીદેલા ૨૦૦ તરાપા ભંગારની હાલતમાં | 200 rafts purchased two years ago are in a dilapid…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In