![]()
મુળીના સરા-વીરપર રોડ પર અક્સમાત
ખાનગી ગેસ કંપનીનો ચાલક અકસ્માત સર્જી વાહન મુકી નાસી છુટયો ઃ પોલીસે તપાસ
હાથ ધરી
સુરેન્દ્રનગર – મુળી તાલુકાના સરા-વીરપર રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે
અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત
નિપજ્યું હતુ. આ બનાવને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
મુળી તાલુકાના સરા-વીરપર રોડ પર મંગળવારના રોજ બપોરે સાડાબાર વાગ્યાના
આસપાસ ખાનગી ગેસ કંપનીના લોડિંગ ટ્રકના ચાલકે પૂરઝડપે વાહન ચલાવી આગળ જઈ રહેલા
બાઈકને ધડાકાભેર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ
પહોચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ચાલક ટ્રક રોડ પર
મુકીની નાસી છુટયો હતો.
બનાવને પગલે રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો સહિત લોકોના ટોળેટોળા ઉમટી
પડયા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક બાઈક ચાલક
વેલાળા ગામે રહેતા સુરેશભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યુ હતુ. આ અકસ્માતને પગલે
ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિકને હળવો કર્યો હતો. જ્યારે
અકસ્માતમાં બાઈક ચાલકના મોતથી પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો
છે.
















