• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આપના નેતાઓ ઈચ્છતા કે, હું જેલ બહાર ના આવું… રાજીનામાના એક દિવસ બાદ રાજુ કરપડાના પ્રહાર | Raju Karp…

satyasamachar by satyasamachar
February 12, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
આપના નેતાઓ ઈચ્છતા કે, હું જેલ બહાર ના આવું… રાજીનામાના એક દિવસ બાદ રાજુ કરપડાના પ્રહાર | Raju Karp…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

Load More


Gujarat AAP: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને પક્ષના સંગઠન વિસ્તરણ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક મોટો ફટકો પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જાણીતા અને ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ આજે (12મી ફેબ્રુઆરી) યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે પોતાની વ્યથા ઠાલવતા પક્ષના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

આપના નેતાઓ ઈચ્છતા કે, હું જેલ બહાર ના આવું... રાજીનામાના એક દિવસ બાદ રાજુ કરપડાના પ્રહાર 2 - image

રાજુ કરપડાના ‘આપ’ પર પ્રહાર

રાજુ કરપડાએ મીડિયા સમક્ષ પક્ષ સાથેના છેડા ફાડવા પાછળના અનેક કારણો રજૂ કર્યા હતા. તેણે જણાવ્યું કે, ‘હું રાજનીતિમાં નહોતા ત્યારે પણ ખેડૂતો માટે લડતા હતા અને અનેક વાર ન્યાય અપાવવા પ્રયાસો કર્યાં છે. હું ‘AAP’ને મજબૂત બનાવવા માટે લડ્યો હતો અને પક્ષમાં પરિવાર કરતા વધુ વફાદાર રહ્યો હતો.

આપ પર ગંભીર આક્ષેપ કરતા તેણે કહ્યું કે, ‘હું જેલ બહાર ન આવું તેવી કેટલાક નેતાઓની માનસિકતા હતી. પ્રદેશના કેટલાક નેતાઓએ મને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જેલવાસ દરમિયાન પાર્ટી એક સારા વકીલની વ્યવસ્થા પણ કરી શકી નહોતી અને જેલમાં ખેડૂતોને કાનૂની મદદ મળી નહતી.’

રાજુ કરપડાના ગોપાલ ઈટાલિયા પર પ્રહાર

ગોપાલ ઈટાલિયા પર પ્રહારો કરો કરતા રાજુ કરપડાએ કહ્યું કે,  ગોપાલ ઈટાલિયાને જીતાડવા અમે રાત-દિવસ એક કર્યા છે અને તેમને જીતાડવા માટે અમે અમારા લોહી-પાણી રેડી દીધા છે અને તેઓ મને મળવા ચાર મહિનામાં એક પણ વખત આવ્યા નથી. તેમને પ્રવિણભાઈને જેલમાં મળવા બે મહિના પછી પ્રયાસ કર્યાં હતા. પરંતુ મળવા દેવામાં આવ્યા ન હતા, પરંતુ બે મહિના સુધી ક્યાં હતા? ન મળવા દીધા તો કોઈ વાંધો નથી પણ સારા વકીલને તો મોકલી શકે ને આ પ્રયાશ પણ તેઓએ કર્યા નથી.

રાજુ કરપડાએ દાવો કર્યો હતો કે, ‘આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ નથી, પરંતુ મનોજ સોરઠfયા અને ગોપાલ ઈટાલિયા ભાજપની બી ટિમ તરીકે કામ કરી રહ્યા છે તેવું હું ચોક્કસ કહીશ. ચૈતરભાઈ, હેમંતભાઈ કે ઈસુદાનભાઈ કોઈ દિવસ પાર્ટી માટે નેગેટિવ વિચાર કરતા નથી હમેશા તેઓ પાર્ટીને આગળ લાવવા પ્રયાસ કરે છે અને પાર્ટીના તમામ નેતાઓ આગેવાનો અને કાર્યકર્તા માટે સતત કામ કરે છે. હું અરવિંદ કેજરીવાલજીથી નજીક આવ્યો આ વાત ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા જોઈ શકતા ન હતા અને ત્યારથી મને પછાડી દેવાના પ્રયત્ન કરતા હતા.’

AAP નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા

રાજુ કરપડાના રાજીનામા મુદ્દે AAP નેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપી છે. તેમમે કહ્યું કે, ‘જેલમાં પણ રાજુભાઈ પોતાના બે જૂના કેસોને લઈને ચિંતામાં હતા. રાજુભાઈને એક કેસમાં પાંચ વર્ષની સજા થઈ છે અને બીજો કેસ જજમેન્ટ પર હતો. બીજા કેસમાં તેમના પરિવારના ચારથી પાંચ સભ્યો પણ જોડાયેલા છે. રાજુભાઈને ચિંતા હતી કે બીજા કેસમાં પણ એમને સજા થશે તો તેઓ ચૂંટણી નહીં લડી શકે. ભાજપે આ બંને જુના કેસોને લઈને રાજુભાઈને દબાવવાનો અને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ બંને કેસોમાં જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા પર કોઈ સમસ્યા ન આવે, તેને ધ્યાનમાં રાખીને રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું છે.’

આ પણ વાંચો: અમદાવાદના વટવામાં ખૂની ખેલ, છરી અને ઈંટના ઘા ઝીંકી યુવકની હત્યા, આરોપી ફરાર

શું હતો સમગ્ર મામલો?

12 ઑક્ટોબર, 2025ના રોજ બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. 

બોટાદના હડદડમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ પછી, અમદાવાદ કાર્યાલય ખાતે કડદાપ્રથા બંધ કરવાની અને ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે આમરણ ઉપવાસ પર બેસવાના હતા, ત્યારે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની 16 ઑક્ટોબર, 2025ના રોજ ધરપકડ કરી હતી.

રાજુ કરપડા અને પ્રવીણ રામ જામીન મંજૂર 

બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં ભાવનગર ડિસ્ટ્રીકટ ઍન્ડ સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામના ગત 29 જાન્યુઆરી, 2026ના રોજ જામીન મંજૂર કર્યા હતા. તમને જણાવી દઈએ કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદાપ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આપ કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની ચાર મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.

કડદાપ્રથાનો વિરોધ

બોટાદ માર્કેટયાર્ડ(APMC) ખાતે કપાસના વેપારીઓ દ્વારા વજનમાં કરાતા ‘કડદા’ વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન કર્યુ હતું. જેમાં 10 ઑક્ટોબરે મોડી રાત્રે યાર્ડમાં ખેડૂતો ભજન-કીર્તન કરીને વિરોધ નોંધાવ્યો હતો. 



Next Post
યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …

યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

Recent News

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…
GUJARAT

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

પી.આર. આંગડિયા પેઢીના સંચાલક સહિત બેની અટકાયત ન્યાયની માંગ સાથે આક્રોશિત કોળી સમાજ દ્વારા રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન, આરોપીઓનું...

Read more

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In