Shankaracharya Avimukteshwaranand Controversy : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિવાદ મામલે ચોંકાવનારનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દર વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે અને કોઈપણ પીઠના આચાર્ય રૂપે જઈને વાતાવરણ ખરાબ ન કરી શકે. તમામે મર્યાદાનું પાલન કરવું પડશે. જો તેઓ શંકરાચાર્ય હતા તો વારાણસીમાં લાઠીચાર્જ કેમ કરાયો હતો અને FIR કેસ નોંધાઈ હતી. નૈતિકતાની વાતો કરનારાઓએ પહેલા પોતાના આચરણ પર ધ્યાન આપવું જોઈએ.
વ્યવસ્થા અને સુરક્ષા સર્વોપરી : CM યોગી
મુખ્યમંત્રી યાગી (Uttar Pradesh CM Yogi Adityanath)એ કહ્યું કે, ‘પ્રયાગરાજના માઘ મેળામાં સાડા ચાર કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા, ત્યારે ત્યાં વ્યવસ્થા અને સુરક્ષા સર્વોપરી છે. સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ એક્ઝિટ ગેટથી બહાર નિકળી રહ્યા હોય, ત્યારે તે ગેટથી કોઈએ અંદર આવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.’
તેમણે ચેતવણી આપી છે કે, ‘આવી રીતે આવવાથી નાસભાગ થવાની આશંકા વધી જાય છે અને શ્રદ્ધાળુઓના જીવનને મોટું નુકસાન થઈ શકે છે. એક જવાબદાર અને મર્યાદિત વ્યક્તિ ક્યારેય આવા પ્રકારનું આચરણ ન કરી શકે.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘જો સમાજવાદી પાર્ટીના લોકો કોઈને પૂજવા ઈચ્છે છે તો પૂજે, પરંતુ સરકાર મર્યાદિત લોકોની છે અને તે કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે. સરકારની પ્રાથમિકતા વ્યવસ્થા જાળવવાની અને શ્રદ્ધાલુઓની સુરક્ષા કરવાની છે.’
VIDEO | Lucknow: Addressing the Budget Session of the Uttar Pradesh Legislative Assembly, UP CM Yogi Adityanath says, “Not everyone can call themselves a Shankaracharya, nor can anyone claim to be an acharya of any peeth and disturb the atmosphere at will. Everyone must follow… pic.twitter.com/swaZXF4XsM
— Press Trust of India (@PTI_News) February 13, 2026
આ પણ વાંચો : રાહુલ ગાંધી અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલના વિરોધમાં કરશે મોટું આંદોલન? જાણો કોની સાથે કરી મુલાકાત
CM યોગી અસંસ્કારી : અખિલેશ
બીજીતરફ સીએમ યોગીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) આકરા પ્રહારો કર્યા છે. તેમણે મુખ્યમંત્રીને નકલી યોગી ગણાવી કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી સૌથી વધુ સાંપ્રદાયિક, અલોકતાંત્રિક અને અસંસ્કારી છે. સરકાર કાનપુરને બદનામ કરવા માટે બુલડોઝરથી લોકોને ડરાવતી રહે છે. તેઓ શંકરાચાર્ય અને ત્રિવેણી વિવાદનું સત્ય છુપાવવનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા નબળી પડી ગઈ છે અને મેક ઈન ઈન્ડિયાને ધૂળ લાગી ગઈ છે.’
શું હતો વિવાદ ?
પ્રયાગરાજના સંગમ ઘાટ પર મૌની અમાવસ્યાના દિવસે રવિવારે (18 જાન્યુઆરી, 2026) સવારે લગભગ 9:47 વાગ્યે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા. સંગમ તટ પર જ્યાંથી ઘાટ માત્ર 50 મીટર દૂર હતો, ત્યાં પ્રશાસને તેમને પાલખીમાં બેસીને આગળ વધતા અટકાવ્યા હતા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી હતી. જોકે તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો હતો અને ધક્કા-મુક્કી કરતા સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા હતા. આ મામલો વધુ વણસ્યો જ્યારે પોલીસ બળે શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ જવાયા હતા. સંગન સ્નાન પાસે લગભગ ત્રણ કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. ઘટના બાદ શંકરાચાર્યએ આક્ષેપ કર્યો કે, તંત્ર જાણીજોઈને તેમના સમર્થકો પર કાર્યવાહી કરી, હુમલો કર્યો અને ધરપકડ કરી છે.
આ પણ વાંચો : તેલંગાણા ચૂંટણી : કોંગ્રેસે આપ્યો ભાજપ અને BRSને ઝટકો, જાણો પરિણામ

















