![]()
Ahmedabad News : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ અને શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને અચાનક માઇનોર હાર્ટ એટેક આવતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રદ્યુમન વાજાને માઈનર હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં દાખલ
પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક આવતા અસારવાની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, પ્રદ્યુમન વાજાની એન્જિયોગ્રાફી કરતાં જાણવા મળ્યું હતું કે, તેમને એક નળીમાં બ્લોકેજ હતું. જેને લઈને એક સ્ટેન્ટ મૂકવામાં આવ્યું છે. જોકે, હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર રાખવા પડશે સીલબંધ!
તમને જણાવી દઈએ કે, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે(13 ફેબ્રુઆરી) સાંજે AMC હેઠળ સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ અને શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના નેતા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અચાનક પ્રદ્યુમન વાજા દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.















