![]()
વડોદરાઃ જેતલપુર રોડની વોર્ડ વિઝાર્ડ મેડિકેર સાથે ૨૮.૪૭ કરોડની ઠગાઇ કરવાના ગુનામાં સંડોવાયેલા સીઇઓ ડો.સંતોષ ગઢવી ફરાર થઇ ગયો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.તેની સાથે કૌભાંડમાં અન્ય લોકો પણ સામેલ હોવાનું પોલીસ માની રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,હોસ્પિટલના સાધનો અને હાઉસ કીપિંગ સર્વિસ સહિતના કોન્ટ્રાક્ટમાં સીઇઓ ડો.સંતોષ હરીભાઇ ગઢવી સામે ગુનો નોંધાયા બાદ તેને શોધવા આજે ટીમોએ ભાયલી ખાતે દર્શનમ બંગ્લોઝ અને આણંદના ફાર્મ હાઉસમાં તપાસ કરી હતી.પરંતુ તેનો પત્તો મળ્યો નથી.પ્રાથમિક તપાસમાં ડો.સંતોષ પાસે બીએએમએસની ડીગ્રી હોવાની માહિતી જાણવા મળી છે.
પીઆઇ આરજી જાડેજાએ કહ્યં હતું કે,ડો.સંતોષની ડીગ્રી ઉપરાંત બેન્ક ડીટેલ પણ મંગાવી છે.હાઉસ કીપિંગના કોન્ટ્રાક્ટમાં પણ તેણે સફાઇ સેવકોના નામે બોગસ કંપની ઉભી કરી હોવાની અને બેન્કમાં મોટી રકમ ટ્રાન્સફર કરી હોવાની માહિતીની તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે,ચેન્નાઇ સહિતની જે કંપનીઓ સાથે ડીલ કર્યું છે તે તમામને નોટિસ આપીને પુરાવા સાથે હાજર રહેવા જાણ કરાશે.















