• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…

satyasamachar by satyasamachar
February 14, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
નવું વહીવટી સંકુલ સેવા તીર્થ ભારતની વિકાસ યાત્રાની નવી શરૂઆત : મોદી | New administrative complex Sev…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


– વડાપ્રધાને સેવા તીર્થ, કર્તવ્ય પથ 1-2નું ઉદ્ઘાટન કર્યું

– દિલ્હીમાં 50થી વધુ સ્થળો પર મંત્રાલયોની ઈમારતોના ભાડાં પાછળ થતો વર્ષે રૂ. 1,500 કરોડનો ખર્ચ હવે બચી જશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવા વહીવટી પરિસર સેવા તીર્થ અને કર્તવ્ય પથ ૧ અને ૨નું ઉદ્ધાટન કર્યું હતું. આ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે આપણે એક નવો ઈતિહાસ બનતા જોઈ રહ્યા છીએ. વિજયા એકાદશીનો આ દિવસ ભારતના વિકાસની યાત્રામાં એક નવી શરૂઆતનો સાક્ષી બની રહ્યો છે.  આપણે વિકસિત ભારતનો સંકલ્પ લઈને સેવા તીર્થમાં, કર્તવ્ય ભવનમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ સાથે વડાપ્રધાન મોદીએ સેવા તીર્થમાં પહેલા જ દિવસે નાગરિકો, મહિલાઓ, ખેડૂતો અને સ્ટાર્ટઅપ માટે મહત્વના નિર્ણયો પર હસ્તાક્ષર કર્યા હતા.

સેવા તીર્થના ઉદ્ધઘાટન સાથે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) શુક્રવારથી જ ત્યાં શીફ્ટ થઈ ગયું છે. રૂ. ૧૧૮૯ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સેવા તીર્થમાં વડાપ્રધાનની ઓફિસ, કર્તવ્ય પથ-૧માં કેબિનેટ સચિવાલય અને કર્તવ્ય પથ-૨માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયની ઓફિસો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઝાદી પછી સાઉથ બ્લોક અને નોર્થ બ્લોક જેવી ઈમારતોથી દેશ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા, નીતિઓ બની. પરંતુ એ પણ હકીકત છે કે આ ઈમારતો બ્રિટિશ સામ્રાજ્યના પ્રતીક તરીકે બનાવાઈ હતી. આ ઈમારતો બનાવવાનો આશય ભારતને સદીઓ સુધી ગુમાલીની સાંકળોમાં કેદ રાખવાનો હતો. નોર્થ અને સાઉથ બ્લોક ૧૨૫ વર્ષથી બ્રિટિશ સંસ્થાનવાદની ગુલામીના પ્રતીક હતા.

નવા પરીસરોના નિર્માણ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, ૧૦૦ વર્ષ જૂની ઈમારતો અંદરથી જર્જરીત થઈ ગઈ હતી, નવી ટેકનિકો અને ટૂલ્સના ઉપયોગ માટે પર્યાપ્ત નહોતી. આ સિવાય અનેક પડકારો હતા. આઝાદીના દાયકાઓ પછી પણ ભારત સરકારના અનેક મંત્રાલય દિલ્હીના ૫૦થી વધુ અલગ અલગ સ્થળો પરથી ચાલતા હતા. આટલા વર્ષોમાં આ મંત્રાલયોની ઈમારતોના ભાડાં પર જ વર્ષે રૂ. ૧,૫૦૦ કરોડથી વધુનો ખર્ચ થતો હતો. દરરોજ ૮થી ૧૦ હજાર કર્મચારીઓએ એક ઈમારતથી બીજી ઈમારત આવવા-જવાનો લોજિસ્ટિક ખર્ચ અલગ થતો. હવે આ ખર્ચા બચી જશે.

પીએમ મોદીએ કહ્યું કે, રાયસીના હિલ્સ પર ભવનોનું નિર્માણ બ્રિટિશ સમ્રાટની વિચારસરણીને ગુલામ ભારતની જમીન પર ઉતારવાનું માધ્યમ હતું. જોકે, સેવા તીર્થનું આ પરીસર કોઈ પર્વત પર નહીં પરંતુ જમીન સાથે વધુ જોડાયેલું છે. સેવા તીર્થ અને કર્તવ્ય ભવન જેવા નવા પરીસર ભારતની જનતાની આકાંક્ષા પૂરા કરવા માટે બનાવાયા છે.

તેમણે ઉમેર્યું કે, આજે આપણે વિકસિત ભારતનો સંકલ્પ લઈને સેવા તીર્થમાં, કર્તવ્ય ભવનમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણા લક્ષ્યમાં વિજય થવાનો દૈવીય આશીર્વાદ આપણી સાથે છે. વિકસિત ભારતની આપણી કલ્પના માત્ર નીતિઓ અને યોજનાઓમાં જ નહીં આપણા કાર્યસ્થળો અને આપણી ઈમારતોમાં પણ જોવા મળશે.

સેવા તીર્થમાંથી નાગરિકો, મહિલા, ખેડૂતો, સ્ટાર્ટઅપ માટે નિર્ણય લેવાયા

– પીએમ રાહત યોજના, 6 કરોડ લખપતિ દીદી, ખેડૂતો માટે કૃષિ અને સ્ટાર્ટઅપ માટે ભંડોળને મંજૂરી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન કાર્યાલય પીએમઓને વિજયા એકાદશીના દિવસે સેવા તીર્થમાં ખસેડયું છે. આ સાથે વડાપ્રધાને સેવા તીર્થમાંથી પહેલા જ દિવસે નાગરિકો, મહિલાઓ, ખેડૂતો અને સ્ટાર્ટઅપ માટે મહત્વના નિર્ણયો લીધા હતા.

વડાપ્રધાન મોદીએ સેવા તીર્થમાંથી પહેલા દિવસે પ્રત્યેક નાગરિક માટે જીવન રક્ષક સુરક્ષા માટે પીએમ રાહત યોજનાને મંજૂરી આપી હતી. આ પહેલ હેઠળ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ૧.૫ લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. તેનાથી પીડિતોને તુરંત મેડિકલ મદદ ના મળવાથી કોઈ જીવન ના ગુમાવે તેની ખાતરી કરાશે. આ સિવાય પીએમ મોદીએ ૩ કરોડ લખપતિ દીદીઓનો લક્ષ્યાંક બમણો કર્યો છે. હવે માર્ચ ૨૦૨૯ સુધીમાં ૬ કરોડ લખપતિ દીદીઓનો નવો લક્ષ્યાંક નક્કી કરાયો છે. ભારતની કૃષિ ચેઈનને મજબૂત કરવા માટે પીએમ મોદીએ કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ખર્ચ રૂ. ૧ લાખ કરોડથી વધારીને બમણો કરી રૂ. ૨ લાખ કરોડ કરવાને મંજૂરી આપી છે. વધુમાં રૂ. ૧૦,૦૦૦ કરોડના કોર્પસ સાથે સ્ટાર્ટઅપ ઈન્ડિયા ફંડ ઓફ ફંડ્સ ૨.૦ ભારતની ઈનોવેશન ઈકોસિસ્ટમને પાવર આપવા માટે વિશેષરૂપે ડીપ ટેક, પ્રારંભિક તબક્કાના આઈડિયા, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને બ્રેકથુ્ર ટેક્નોલોજીમાં વડાપ્રધાને રૂ. ૧૦,૦૦૦ કરોડના કોર્પસ સાથે સ્ટાર્ટઅપ ઈન્ડિયા એફઓએફ ૨.૦ને મંજૂરી આપી છે.

Next Post
સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

Recent News

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
GUJARAT

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના...

Read more

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In