![]()
– ચાલુ વર્ષે ઘઉંનો બમ્પર પાક થવાની આશા
– ગયા વર્ષે ખાનગી ધોરણે ઘઉંનું સ્ટોરેજ 75 લાખ ટન હતુ અને એફસીઆઈ પાસે પહેલી એપ્રિલ 2026ના રોજ 182 લાખ ટન પુરવઠો હશે
નવી દિલ્હી : સરકારે શુક્રવારે ૨૫ લાખ ટન ઘઉંની અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી છે. તેની સાથે સરકારે ઘઉં અને ખાંડના ઉત્પાદનોના નિકાસની પણ છૂટ આપી છે. સ્થાનિક બજારોમાં પુરવઠો સ્થિર રાખવા અને ઘઉંનો જથ્થો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાની બાબતને ધ્યાનમાં રાખતા ખેડૂતોને સારું વળતર મળે તે હેતુથી આ છૂટ આપવામાં આવી છે.
ખાનગી એકમો પાસે ૨૦૨૫-૨૬ દરમિયાન ઘઉંની ઉપલબ્ધતા ૭૫ લાખ ટન છે અને ત ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૩૨ લાખ ટન વધારે છે. આ સૂચવે છે કે દેશ વર્તમાન વર્ષમાં ઘઉંના પુરવઠાને લઈને આરામજનક સ્થિતિમાં છે, એમ ખાદ્યાન્ન મંત્રાલર્ય હતુ.
પહેલી એપ્રિલ ૨૦૨૬ના રોજ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે ૧૮૨ લાખ ટન ઘઉંનો પુરવઠો ઉપલબ્ધ રહેશે તેમ માનવામાં આવે છે. તેના કારણે આ સંજોગોમાં નિકાસની મંજૂરી આપવામાં આવતા સ્થાનિક ફૂડ સિક્યોરિટી પર કોઈ વિપરીત અસર નહીં પડે. ૨૦૨૬ની રવી સિઝનમાં ઘઉંની વાવણી વધીને ૩૩૪.૧૭ લાખ હેક્ટર થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળમાં ૩૨૮.૦૪ લાખ હેક્ટર હતી. આ દર્શાવે છે કે નિયત એમએસપી અને સંપાદન વ્યવસ્થાના લીધે ખેડૂતોનો આ પાકને લઈને વિશ્વાસ મજબૂત છે અને આ સીઝન પણ લણણીની વધુ એક મજબૂત સીઝન નીવડવાનો અંદાજ છે.
સરકારે આ ઉપરાંત ૨૦૨૫-૨૬ની પ્રવર્તમાન સુગર સીઝન દરમિયાન વધારાની પાંચ લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપવાનું નક્કી કર્યુ છે. આમ સુગર મિલો ઇચ્છતી હશે તે મિલોને તેના માટે છૂટ આપવામાં ાવશે. આ પહેલા સરકારે ૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ ૧૫ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી હતી. આ સાથે હવે બીજા પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી છે. સુગર મિલ્સના અંદાજ મુજબ ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં કુલ ૧.૯૭ લાખ ટન ખાંડની જ નિકાસ થઈ છે. જ્યારે ૨.૭૨ લાખ ટન ખાંડની નિકાસ કરવાનો કરાર થેયેલો છે. આ નિકાસ ૩૦ જુન ૨૦૨૬ સુધીમાં પૂરી કરવાની રહેશે. સરકાર મિલોને નિકાસનો ક્વોટા પ્રો-રેટાના ધોરણે આપશે. સુગર મિલોને આપવામાં આવેલો નિકાસ ક્વોટા તે બીજી મિલો સાથે અદલાબદલી કરી નહીં શકે.
















