![]()
– પીજીવીસીએલની સર્કલ ડિસકનેક્શન ડ્રાઈવ યથાવત્
– 4 હજારથી વધારે ટીમો ડ્રાઈવમાં જોડાઈ : રૂ. 1.51 કરોડનું વીજબીલ નહી ભરનારા 1579 ગ્રાહકોના વીજ કનેક્શન કપાયા
ભાવનગર : પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી દ્વારા તા.૧લી ફેબુ્રઆરીથી શરૂ કરવામાં આવેલી ડિસકનેક્શન ડ્રાઈવ યથાવત્ રહેતા તા.૧થી ૧૩ ફેબુ્રઆરી દરમિયાન પીજીવીસીએલની ૪૫૦૩ ટીમો દ્વારા રૂ.૧૬ કરોડથી વધારેના બાકી વીજબીલની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે રૂ.૧.૫૧ કરોડનું વીજબીલ નહી ભરનારા ૧૫૭૯ ગ્રાહકોના વીજ કનેક્શન કટ કરી દેવામાં આવ્યા છે.
ભાવનગર પીજીવીસીએલ વર્તૂળ કચેરી દ્વારા ગત ૧લી ફેબુ્રઆરીથી ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. વર્તૂળ કચેરીના પાંચેય ડિવિઝનમાં તા.૧થી ૯ ફેબુ્રઆરી દરમિયાન ૨૭૫૭ ટીમો દ્વારા વીજબીલ નહી ભરનારા ૩૦૯૧૩ ગ્રાહકો પાસેથી કુલ રૂ.૧૦.૬૫ કરોડની વસૂલાત કરવામાં આવી હતી. તેમજ રૂ.૧.૦૨ કરોડનું વીજબીલ નહી ભરનારા ૧૦૧૯ ગ્રાહકોના વીજકનેક્શન કટ કરી દેવામાં આવ્યા હતા. જે બાદ પણ ડિસકનેક્શન ડ્રાઈવ યથાવત્ રહેતા તા. ૧૦ થી ૧૩ ફેબુ્રઆરી દરમિયાન વધુ ૧૭૪૬ ટીમો દ્વારા વીજબીલ નહી ભરનારા ૧૯૪૩૯ ગ્રાહકો પાસેથી રૂ.૫.૮૦ કરોડની વસૂલાત કરવામાં આવી હતી. તેમજ રૂ.૪૯.૧૩ લાખનું બાકી વીજબીલ નહી ભરનારા ૫૬૦ ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આમ, પીજીવીસીએલ દ્વારા તા.૧ થી ૧૩ ફેબુ્રઆરી દરમિયાન કુલ ૪૫૦૩ ટીમો બનાવી વીજબીલ નહી ભરનારા ૫૦૩૫૨ ગ્રાહકો પાસેથી બાકી વીજબીલના રૂ.૧૬.૪૫ કરોડની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે રૂ.૧.૫૧ કરોડનું બાકી વીજબીલ નહી ભરનારા ૧૫૭૯ ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.
એક દિવસમાં રૂ. 1.29 લાખની વસૂલાત
પીજીવીસીએલની ૪૦૬ ટીમો દ્વારા આજે તા.૧૩ ફેબુ્રઆરીના રોજ પાંચેય વિભાગીય કચેરી હેઠળ ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આજના દિવસમાં ૪૪૫૭ ગ્રાહકો પાસેથી બાકી વીજ બીલના રૂ.૧.૨૬ કરોડની વસૂલાત થઈ છે. જ્યારે રૂ.૧૧.૦૭ લાખનું વીજ બીલ નહી ભરનાકા ૧૩૬ ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.
















