• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

10 જ મહિનાની અલીને પાંચ લોકોના જીવ બચાવ્યા, કેરળની સૌથી નાની વયની અંગદાતા બનીને ઈતિહાસ સર્જ્યો | Ker…

satyasamachar by satyasamachar
February 15, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
10 જ મહિનાની અલીને પાંચ લોકોના જીવ બચાવ્યા, કેરળની સૌથી નાની વયની અંગદાતા બનીને ઈતિહાસ સર્જ્યો | Ker…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

Load More


Kerala Alin organ donor: કેરળના પથનમથિટ્ટા જિલ્લાના મલ્લપલ્લી વિસ્તારની 10 મહિનાની બાળકી અલીન અબ્રાહમ મૃત્યુ પછી પણ જીવનનું પ્રતીક બની ગઈ છે. એક ગંભીર માર્ગ અકસ્માત બાદ તેને બ્રેઇન ડેડ જાહેર કરાઈ હતી. તેના માતાપિતાએ અસામાન્ય માનવતા દાખવીને તેના અંગોનું દાન કરવાની મંજૂરી આપી હતી, જેના કારણે છ મહિનાના એક બાળક સહિત પાંચ લોકોને નવજીવન મળ્યું છે. આ ઘટના કેરળ જ નહીં, ભારત અને દુનિયાભરમાં ઉદાહરણીય છે. 

ગંભીર અકસ્માતે માસૂમનો જીવ લીધો 

5 ફેબ્રુઆરીએ બપોરે લગભગ 2:30 વાગ્યે અલીન તેના પરિવાર સાથે કોટ્ટાયમથી તિરુવલ્લા જઈ રહી હતી. એમ.સી. રોડ પર એક જંકશન નજીક સામેથી આવતી કાર સાથે અથડામણ થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અલીનને જીવલેણ ઈજા પહોંચી હતી. તેની માતા અને દાદા-દાદીને પણ ઈજાઓ થઈ હતી. અલીનને પ્રાથમિક સારવાર માટે ચાંગનાસેરી અને તિરુવલ્લાની હોસ્પિટલો લઈ જવાઈ. ત્યારબાદ 7 ફેબ્રુઆરીએ તેને કોચીની અમૃતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

બાળકી બ્રેઇન ડેડ જાહેર, માતાપિતાની માનવતા 

13 ફેબ્રુઆરીએ ડોક્ટરોએ અલીનને બ્રેઇન ડેડ જાહેર કરી. અલીનના માતાપિતા અરુણ અબ્રાહમ અને શેરીન જોન માટે એ સમય અસહ્ય દુઃખનો હતો. આમ છતાં, તેમણે માનવતાને પ્રાથમિકતા આપીને અલીનના અંગદાન માટે સંમતિ આપી. ત્યાર પછી એર્નાકુલમ સ્થિત અમૃતા હોસ્પિટલમાં અલીનના શરીરમાંથી લિવર, બે કિડની, હૃદયનો વાલ્વ અને બંને આંખની કોર્નિયા કાઢીને વિવિધ હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓના ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા.

કયું અંગ ક્યાં મોકલાવાયું?

– લિવર – તિરુવનંતપુરમની KIMS હોસ્પિટલમાં સારવાર હેઠળના 6 મહિનાના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. આ બાળક ટ્રાન્સપ્લાન્ટ દ્વારા કોઈ બીજાનું અંગ મેળવનારો કેરળનો સૌથી નાની વયનો દર્દી છે.  

– કિડની – તિરુવનંતપુરમ મેડિકલ કોલેજ SAT હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળક માટે મોકલાઈ.

– હૃદય વાલ્વ – તિરુવનંતપુરમ ખાતેની શ્રી ચિત્રા ઇન્સ્ટિટ્યૂટને અપાયો.

– કોર્નિયા – અમૃતા હોસ્પિટલમાં સંગ્રહિત કરાયાં.

જીવન બચાવવા માટેનું ‘ગ્રીન કોરિડોર’ મિશન પાર પાડ્યું

અલીનના અંગોને ઝડપથી યથાસ્થાને પહોંચાડવા માટે પોલીસ, આરોગ્ય વિભાગ અને જનતાના સહકારથી ખાસ વ્યવસ્થા કરાઈ હતી. કોચીથી તિરુવનંતપુરમ સુધીનું લગભગ 220 કિમીનું અંતર એમ્બ્યુલન્સે માત્ર 3 કલાક 15 મિનિટમાં પૂરું કર્યું, જે સામાન્ય રીતે સવા પાંચ કલાકનો સમય લે છે. આ સમગ્ર કામગીરી K-SOTTO (Kerala State Organ & Tissue Transplant Organisation)ના સંકલન હેઠળ અને ગૃહ વિભાગના સહયોગથી સંપન્ન થઈ હતી.

સરકાર અને સમાજ તરફથી શ્રદ્ધાંજલિ

રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે અલીનના માતાપિતાના નિર્ણયને માનવતાનું મહાન ઉદાહરણ ગણાવ્યું છે. કેરળના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને જાણીતા કલાકારોએ પણ આ કરુણાભર્યા નિર્ણયની પ્રશંસા કરી છે. રાજ્ય સરકારે અલીનના અંતિમ સંસ્કાર માટે પોલીસ સન્માન આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: Explainer: એલિયન્સ ખરેખર છે! ઓબામાનું ચોંકાવનારું નિવેદન, એરિયા 51ના રહસ્યો પરથી ઉઠાવ્યો પડદો

શા માટે બાળકો માટે અંગદાન દુર્લભ છે?

નાનું બાળક ગંભીર રીતે બિમાર હોય તો એને ટ્રાન્સપ્લાન્ટ માટેનું અંગ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. એ માટે નીચે મુજબના કારણો જવાબદાર છે. 

– પુખ્ત વ્યક્તિના અંગો બાળકોમાં લગાડવામાં કદની સમસ્યા નડી જાય છે.

– બાળકોના બ્રેઇન ડેડ થવાની ઘટનાઓ ખૂબ ઓછી બને છે.

– જો કોઈ બાળક બ્રેઇન ડેડ થાય તો પણ ભાવનાત્મક કારણોસર તેના માતાપિતા મોટેભાગે તો અંગદાનની સંમતિ નથી આપતા. 

અલીન માનવતાનો અમર સંદેશ આપી ગઈ

અલીનનું જીવન ભલે ટૂંકું રહ્યું, પરંતુ તેના અંગદાન દ્વારા અનેક પરિવારોમાં આશાનો પ્રકાશ ફરી પ્રગટ્યો છે. તેના માતાપિતાએ દુઃખની ઘડીમાં કરેલી માનવતાભરી પસંદગી સમાજ માટે પ્રેરણારૂપ બની છે.



Next Post
રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો', 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

Recent News

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …
INDIA

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

Panchmahal News: કહેવાય છે કે માતૃત્વને કોઈ સીમાડા હોતા નથી અને મમતાને કોઈ જાતિ નથી હોતી. આ ઉક્તિને ગોધરાના કિન્નર...

Read more

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

રાજકીય સ્થિરતાએ ભારતમાં રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો’, 38 દેશ સાથે ટ્રેડ ડીલ પર બોલ્યા PM મોદી |…

10 જ મહિનાની અલીને પાંચ લોકોના જીવ બચાવ્યા, કેરળની સૌથી નાની વયની અંગદાતા બનીને ઈતિહાસ સર્જ્યો | Ker…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In