
અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવિત કડક દેવા વસૂલાત નિયમોથી નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) માટે પાલન ખર્ચમાં વધારો થવાની ધારણા છે. મોટી કંપનીઓ સિવાય, લોન રિકવરી માટે બાહ્ય એજન્સીઓ (તૃતીય-પક્ષ) પર આધાર રાખતી કંપનીઓને નવા નિયમો અનુસાર દેવા વસૂલાત એજન્ટોની તાલીમ અને દેખરેખને કારણે વધારાના ખર્ચનો સામનો કરવો પડશે.
એનબીએફસીના સુત્રોએ જણાવ્યું હતું કે, જે કંપનીઓ લોન રિકવરીનું કામ બાહ્ય એજન્સીઓને આઉટસોર્સ કરે છે તેમને ખર્ચમાં વધારો થઈ શકે છે. દરેક બાહ્ય લોન રિકવરી એજન્સીને તાલીમ અને પ્રમાણપત્રમાંથી પસાર થવું પડશે અને બેંક અથવા એનબીએફસીના નિયમોનું પાલન કરવું પડશે. આનાથી એનબીએફસી ખર્ચમાં વધારો થશે.
<a href="
<p>The post RBIના નવા આકરા નિયમનોથી NBFCના ખર્ચમાં વધારો થશે first appeared on gandhinagarmetro.com.</p>















