![]()
અમદાવાદ, બુધવાર, 18 ફેબ્રુ,2026
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના નિયમ મુજબ
અમદાવાદમાં ખાદ્યતેલનો વપરાશ કરી ફરસાણ બનાવનારાઓએ તેમના એકમમા વપરાશમાં લેવાતા
તેલમાં ટોટલ પોલાર કમ્પાઉન્ડ કેટલા છે તે જાતે માપી અને રજિસ્ટર પણ નિભાવવુ પડશે.
શહેરમાં રોજ ત્રણ ડબ્બા કે તેથી વધુ તેલનો વપરાશ કરતા ૪૩ એકમ કોર્પોરેશનના ફૂડ
વિભાગે અલગ તારવ્યા છે. આ એકમો તેમના
એકમમા ટી.પી.સી.મશીન વસાવી તેલની ગુણવત્તા પણ માપશે. વપરાયેલ તેલ કેન્દ્ર સરકાર
અધિકૃત એજન્સીને બાયોડિઝલ બનાવવા આપવાનુ રહેશે.
તેલનો વારંવાર તળવા માટે ઉપયોગ કરવામા આવે ત્યારે હાઈ
બલ્ડપ્રેસર ઉપરાંત હાર્ટ રીલેટેડ બિમારી થવાની સંભાવનાની સાથે અલ્ઝાઈમર અને લીવર
જેવી ગંભીર બીમારી નોંતરી શકે છે.એફએસએસએઆઈના નિયમ મુજબ તેલમાં ટોટલ પોલાર
કમ્પાઉન્ડની માત્રા ૨૫ ટકા નકકી કરવામા આવી છે.તેનાથી વધુ ટોટલ પોલાર કમ્પાઉન્ડ
ધરાવતુ તેલ વાપરવુ ગેરકાયદેસર છે.કોર્પોરેશનના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર
તેજસ શાહે કહ્યુ, દરરોજ ૫૦
લીટર કે તેથી વધુ તેલનો વપરાશ કરનારા તમામ ફુડ બિઝનેસ ઓપરેટરોએ હવે ડિજિટલ ટીપીસી
ટેસ્ટર મશીન રાખી દૈનિક રેકર્ડ જાળવવો ફરજિયાત છે.
વેપારીઓએ એક રજિસ્ટર રાખી તારીખ, વપરાયેલ તેલનો
જથ્થો ઉપરાંત ટી.પી.સી.ની માત્રા તથા વપરાશ પછી વધેલુ તેલ કઈ એજન્સીને આપ્યુ તે
તમામ વિગત દર્શાવવી પડશે.કોઈપણ તેલને ત્રણ વારથી વધુ વખત ગરમ ન કરવુ તથા તેમાં નવુ
તેલ ના ઉમેરવુ.તેલ ઘેરૃ લાગે તો તુરત તેનો નિકાલ કરવો.આ નિયમોનુ એક મહીનામા પાલન
નહી કરનારા એકમ સામે દંડનીય કાર્યવાહી કરવાથી લઈ એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી પણ
કરવામા આવશે.















