![]()
Mukesh Ambani on AI: નવી દિલ્હી ભારત મંડપમમાં ચાલી રહેલા ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026ના ચોથા દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના MD મુકેશ અંબાણીએ ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં લઈ જવા માટે મોટું એલાન કરતાં કહ્યું કે, ‘Jio અને રિલાયન્સ આવનાર સાત વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર્સ અને ઘરેલું (ઇન-હાઉસ) AI મોડલ વિકસાવવા પર ખર્ચવામાં આવશે. જેનાથી ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સંપૂર્ણ તસવીર બદલી જશે. આ સટ્ટાબાજીવાળું રોકાણ નથી પણ રાષ્ટ્ર નિર્માણ માટે રોકવામાં આવેલી શિસ્તબદ્ધ પૂંજી છે. જે દશકો સુધી સ્થાયી આર્થિક મૂલ્ય અને રણનૈતિક મજબૂતી ઉભી રાખશે.’
‘AIનો સૌથી સારો સમય આવવાનો બાકી’
મુકેશ અંબાણીએ સમિટના સંબોધન દરમિયાન AIના ભવિષ્ય પર પણ જોર આપતા કહ્યું કે, ‘AIનો સૌથી સારો સમય આવવાનો બાકી છે, એઆઈ ટેકનિકસ્ ભારતમાં સૌથી વધુ સમૃદ્ધિ અને અવસરો ઉભા કરી નવો યુગ લાવી શકે છે.’ તેમણે દુનિયામાં ચાલી રહી ચર્ચાઓને ટાંકીને કહ્યું કે, ‘શું AIની તાકાત કોઈ લોકોના હાથમાં સમેટાઇ જશે કે પછી તમામ માટે અવસરનું માધ્યમ બનશે. મુકેશ અંબાણીએ ભારતને 21મી સદીની AI મહાશક્તિ બનનાવાના સંકલ્પને ફરી યાદ કરતાં આ રોકાણને રિલાયન્સના અત્યાર સુધીનું સૌથી મોટું અને સાહસિક પગલું ગણાવ્યું હતું.’
‘AIથી નોકરીઓ જશે નહીં, રોજગાર ઉભા થશે’
સંબોધન દરમિયાન અંબાણીએ AI આવતા નોકરીઓ જોખમ અંગે પણ ખૂલીને વાત કરી હતી, કહ્યું કે AI કામને ખતમ નહીં કરે પરંતુ ઉચ્ચ કૌશલ્યથી રોજગારના નવા અવસર ઉભા કરશે. તેમણે વિશ્વાસ બતાવ્યો કે AI ભારતના યુવા ટેલેન્ટને વૈશ્વિક સ્તરે હરીફ બનાવશે.
‘ભારતના દરેક નાગરિક સુધી પહોંચે તેવું લક્ષ્ય’
મુકેશ અંબાણીએ વધુમાં ઉમેર્યું કે, આજે દુનિયા AIને લઈને બે રસ્તા પર ઉભી છે. એક રસ્તો મોંઘા અને નિયંત્રિત ડેટાવાળા AI તરફ જાય છે જ્યારે બીજો રસ્તો રિલાયન્સના વિઝન તરફ, જે સસ્તું અને સુલભ AI જે દરેક ભારતીયને સશક્ત બનાવે. રિલાયન્સનું લક્ષ્ય AI માત્ર અમીરોની ટેકનોલોજી બનીને રહે તેવું નથી, તેને ભારતના દરેક નાગરિક સુધી પહોંચાડવાનું છે. જે રીતે કંપનીએ મોબાઈલ ડેટાના ખર્ચને ઘણો ઓછો કર્યો તે જ રીતે હવે ‘AI ઇન્ફરન્સિંગ’નો ખર્ચ પણ ઘટાડવામાં આવશે. અંબાણીએ જોર આપ્યું કે ભારત AIને ભાડા પર ન લઈ શકે, તેમનું લક્ષ્ય છે કે ઈન્ટેલિજન્સને કનેક્ટિવિટી જેટલું જ સર્વવ્યાપી અને સસ્તું બનાવવામાં આવે.















